________________
૩૧.
નરસિંહની ઊર્મિકવિતા વહેતી થઈ તે પહેલાં જૈન કવિઓએ ફાગુ, પ્રબંધ, ચરિઉ (ચરિત્ર), કક્કા, બારમાસી, દોહા, છંદ આદિ અનેક કાવ્યપ્રકારોમાં માતબર પ્રદાન કર્યું છે. એમાં માત્ર જૈનધર્મના યમનિયમની વાતો જ નથી, બલ્કે સમાજજીવનની સ્થિતિ-પરિસ્થિતિનાં વિવિધ ચિત્રો છે, રાજકીય ઉથલપાથલની વિગતો છે, કળા અને સંસ્કૃતિનાં આરસીરૂપ વર્ણનો છે, જીવનના વિવિધ રસોનાં પ્રતિબિંબો છે. કેટલીક કૃતિઓ તો યાવચંદ્રદિવાકરો પ્રશિષ્ટ કૃતિ તરીકે પ્રસ્થાપિત થયેલી છે. જૈનોએ જીવનવ્યવહારની આચારસંહિતા ઘડી છે તેને કારણે દેશના વિશાળ લોકસમૂહમાં જૈનોનું આગવું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે.
ગુજરાતી ભાષા ઉપરાંત તામિલ સાહિત્યનો વિકાસ-યશ જૈનોને ફાળે જાય છે. પ્રાચીન કન્નડ એન્સાઇક્લોપીડિયા પણ જૈન રચના છે. જૈનોનું વિશિષ્ટ અને પ્રતિષ્ઠાવંત પ્રદાન વિજ્ઞાનક્ષેત્રે પણ થયું છે. ભારત પ્રાચીનકાળમાં વિશ્વભરમાં વૈજ્ઞાનિક વિચારધારામાં મોખરે હતું એ મોખરાની હરોળમાં જૈન તત્ત્વચિંતકોએ મહત્ત્વની કામગીરી બજાવી હતી. જૈનોએ જ્ઞાનની એટલી બધી પ્રતિષ્ઠા કરી કે પ્રત્યેક જૈન સાધુને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશી, અર્ધમાગધી ભાષાઓનું જ્ઞાન તો હતું જ. આ જૈન સાધુઓને પોતાનાં શાસ્ત્રો ઉપરાંત પટદર્શન, તર્ક વગેરેનો અભ્યાસ હતો તેથી સાર્વજનિક સાહિત્ય પણ ખૂબ જ રચાયું. આમ મધ્યકાલીન યુગમાં જૈન સાધુઓએ ગજબનો પુરુષાર્થ કર્યો છે.
આ લેખમાળા રજૂ કરનાર પ્રા. સિદ્ધાર્થ ભટ્ટનાં ધર્મપત્ની શ્રીમતી કોકિલાબહેન પણ ગુજરાતી અને અર્ધમાગધી ભાષામાં અનુસ્નાતકની પદવી ધરાવે છે. જૈન હોવાને નાતે એમને જૈનધર્મનું અનુસંધાન હોય તે સ્વાભાવિક છે, પણ અભ્યાસકાળ દરમિયાન અર્ધમાગધી ભાષા-સાહિત્યમાં એમ.એ. થયાં તેમાં શિખરસ્થ વિદ્વાનોનો લાભ મળ્યો તે નોંધનીય છે. આ આંતર્રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાનોમાં પંડિત બેચરદાસજી, પંડિત સુખલાલજી, પુણ્યવિજયજી, દલસુખભાઈ માલવણિયા, હરિવલ્લભ ભાયાણી, વગેરે મુખ્ય હતા. કહેવાની જરૂર નથી કે આટઆટલા ગુરુજનોના સાન્નિધ્યે કોકિલાબહેનની પ્રશા કેવી તો પરિમાર્જિત થઈ હોય, પાંગરી હોય, પ્રફુલ્લિત થઈ હોય! એમનાં લખાણોમાં એ જોઈ શકાય છે. હમણાં જ થોડા સમય પહેલાં તેઓ સ્વર્ગવાસી બન્યાં. આ પ્રકાશન જોવા તેઓ ન રહ્યાં તેનું અમને ભારોભાર દુઃખ છે. —સંપાદક
અમારી પાસે ભાલણકૃત બે નળાખ્યાન’ નામનું પુસ્તક છે. શ્રીમંત ગાયકવાડ સરકારના આશ્રયથી રામલાલ ચૂનીલાલ મોદીએ સંશોધન કરી તે પુસ્તકનાં ઉપોદ્ઘાત અને ટીકા સાથે તેની પહેલી આવૃત્તિ ૧૯૨૪ (વિ.સં. ૧૯૮૦)માં પ્રગટ કરી હતી. રામલાલ, મૂળ પાટણના હતા અને તેમનું આ પુસ્તક અમદાવાદમાં સલાપસરોડ પર આવેલા દેવીલાલ છગનલાલ પરીખના ધી ડાયમંડ જ્યુબિલિ' પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું.
ધન્ય ધરા:
નળાખ્યાનની મૂળ કથા ‘મહાભારત'માં કહેવાઈ છે. મહાભારતમાં આવી અનેક આડકથાઓ છે. મૂળ સંસ્કૃતમાં ‘નતોપાધ્યાન' ‘મહાભારત'ના વનપર્વમાં છે. એ મહાકાવ્યના વનપર્વમાં નળાખ્યાન જેવી ઘણી આડકથાઓ કહેવામાં આવી છે. નળાખ્યાનને કેન્દ્રમાં રાખીને ભારતની અનેક ભાષાઓમાં અનેક
Jain Education Intemational
નાટકો, કાવ્યો, ચમ્પૂ કાવ્યો લખાયાં છે. મૂળ સંસ્કૃતમાં જ કેટલાંક જોઈએ તો નૈષધીય ચરિત, નતોય, સહવયાનન્ત, નતાયુવય, નતપમ્પૂ જેવી ઘણી કૃતિઓ રચાઈ છે. વળી, જૈન કિવઓએ પણ નળાખ્યાનને ધ્યાનમાં રાખીને આ સંદર્ભમાં કેટલીક કૃતિઓ રચી છે. તેમાં નોંધપાત્ર માણિક્યચંદ્રની સો સર્ગની નતાન કાવ્યમય રચના; રામચન્દ્રનું નાટક નવિતાસ જેવી કૃતિઓ સાથે અન્ય કૃતિઓમાં સમયન્તીવમ્પૂ, નમયન્તીપ્રવન્થ અને નનથાને પણ મૂકી શકાય.
ગુજરાતી સાહિત્યના વિદ્વાન કે. કા. શાસ્ત્રીએ ગુજરાત સાહિત્ય પરિષદે પ્રકાશિત કરેલી ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથશ્રેણીના ગ્રંથ ૨ના ખંડ ૧માં ભાલણ વિશે વિસ્તારથી લખ્યું છે તેથી અમારે એમાં જવું નથી અને તેવું કરવું પ્રસ્તુત પણ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org