SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ધન્ય ધરાઃ ૧૩૫૪માં તરુણપ્રભસૂરિ માટે તૈયાર કરવામાં આવેલા ચિંતામણિ–યંત્રપટ' અને ઈ.સ. ૧૩૫૫માં ભાવદેવસૂરિ માટે બનાવવામાં આવેલા “સૂરિ–મંત્રપટની ગણના થાય છે, પરંતુ ચંદ્રગુપ્ત મૌર્યના સમકાલીન ભદ્રબાહુ સ્વામી વિરચિત ‘કલ્પસૂત્ર'માં ભરતકામના ચિત્રથી સુશોભિત યવનિકાનો ઉલ્લેખ થયેલો છે તે સૂચક છે. પ્રાચીન કાળમાં સચિત્ર વસ્ત્રપટના નમૂના મળ્યા નથી, પણ પથ્થર, પકવેલી માટી, ખડકની દીવાલો અને છત, કાષ્ઠ, કાગળ અને નાજુક તાડપત્રોનો ચિત્રકારીમાં ઉપયોગ કરનારા ભારતીય કળાકારોએ ઓઢણ, ઢાંકણ અને પડદા રૂપે વપરાતા વસ્ત્રપટોનો અભિવ્યક્તિના માધ્યમ તરીકે ઉપયોગ નહીં કર્યો હોય તે સંભવિત નથી. કાપડ પરના ચિત્રપટો તાંત્રિક અને અતાંત્રિક એમ બંને પ્રકારના હોય છે. આ ચિત્રો લાંબા ઓળિયા રૂપે થતાં. તેમાં મંત્ર, યંત્ર (ધાર્મિક), યાત્રાસ્થળ, માંગલિક ચિહ્ન, વિશિષ્ટ પ્રસંગ જેવા વિષયો રજૂ કરવામાં આવતા. સચિત્ર વસ્ત્રપટો વીંટો વાળીને મંદિરમાં કે ઘરમાં રાખવામાં આવતા અને પ્રસંગોપાત પૂજા માટે તેમને બહાર કાઢવામાં આવતા. ક્યારેક તેમને સુશોભનની વસ્તુ તરીકે ભીંત પર ટાંગવામાં આવતા. પાટણમાં સંગ્રહાયેલો સરસ્વતીના ચિત્રવાળો સંવત ૧૪૦૮નો વસ્ત્રપટ કાપડના બે ટુકડા જોડીને તૈયાર કરાયેલો છે. જૈન સ્થાપત્યકળા) રૌલોત્કીર્ણ સ્થાપત્ય (વિહારો અને મંદિરો) જૈન સ્થાપત્યકળાના પ્રાચીનતમ દષ્ટાંત ઉડિસાના ભવનેશ્વરની નજીક આવેલા જોડિયા પર્વતો ઉદયગિરિ અને ખંડગિરિના ગુફાવિહારો છે. પર્વતના ખડકમાં ભૂભૌતિક પરિબળોથી નિર્માયેલી આ ગુફાઓને ઈ.સ. પૂર્વે બીજી અને પહેલી સદી દરમિયાન ખોદીને જૈન શ્રમણોની જરૂરિયાત મુજબનાં મોટાં કદ અને આકાર આપવામાં આવ્યાં છે. અમુક ગુફાવિહારો માનવનિર્મિત પણ છે. પાંત્રીસ ગુફાઓની હારમાં કેટલીક એક ઓરડાવાળી છે તો કેટલીકમાં ઓરડા સાથે ઓસરી પણ છે જ્યારે કેટલીક પ્રવેશમંડપ અને પ્રાંગણ સહિત વધુ ઓરડાઓવાળી છે. મોટામાં મોટી ચાર ગુફાઓની રચના ખુલ્લા પ્રાંગણની ત્રણ બાજુએ સ્તંભોથી શોભતી પરસાળવાળા બે માળની છે. દક્ષિણ ભારતના સર્વપ્રથમ જૈન પુરાવશેષો ઉડિસાની માફક ગુફાવિહારના રૂપમાં જ મળી આવે છે. તમિળનાડુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy