SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ધન્ય ધરા: અભિનદનનાથ ચોથા તીર્થકર અભિનંદનનાથનો વર્ણ સુવર્ણ, લાંછન વાનર, વૃક્ષ રાયણ કે વૈશાલીવૃક્ષ છે. એમના યક્ષ યજ્ઞેશ્વર અને યક્ષિણી કાલિકા છે. તેઓ કાયોત્સર્ગ અવસ્થામાં હોય છે. અભિનંદનનાથના યક્ષ યજ્ઞેશ્વર હાથી પર બેઠેલ અને શ્યામવર્ણના હોય છે. તેમના ચાર હાથમાં બિજોરું, અક્ષમાલા, નકુલ અને અંકુશ હોય છે. આ યક્ષની એક પ્રતિમા શત્રુંજય ઉપર ચૌમુખજીની ટૂંકમાં આવેલી છે, જેમાં બે હાથ ઢીંચણ પર રાખેલ અને વાહન હાથી છે. યક્ષિણી કાલિકાનું બીજું નામ વજશૃંખલા પણ છે. તે પદ્માસન પર બેઠેલ અને વર્ણ શયામ છે. તેના ચાર હાથમાં ગદા, શક્તિ, પાશ અને વરદમુદ્રા હોય છે. તેનું વાહન હંસ પણ બતાવાય છે. સોળ વિદ્યાદેવીઓમાંની એક વિદ્યાદેવી માનવામાં આવે છે. મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં અને શત્રુંજય પર ચૌમુખજીની ટૂંકમાં કાલિકા યક્ષિણીની પ્રતિમા આવેલી છે, જેમાં તે હંસારૂઢ છે. ચાર હાથમાં વરદમુદ્રા, અંકુશ, કમંડલ અને અષ્ટપાશ છે. સુમતિનાથ પાંચમા તીર્થંકર સુમતિનાથનું લાંછન ફ્રેંચ અથવા રક્તહંસ છે. તેમનું કેવળવૃક્ષ પ્રિયંગુ છે. યક્ષ તુમ્બરુ અને યક્ષિણી મહાકાલી છે. તેમના ચામરધારી મિત્રવીર્ય છે. એમના શિલ્પમાં બંને બાજુએ ફૂલના હાર અથવા ઝંદગધારી ઊડતી આકૃતિ અથવા તેને ફરતે બીજા જિનની નાની ૨૪ આકૃતિઓ હોય છે. બે સિંહયુમથી બનેલું સિંહાસન, મુખ્ય લાંછન ક્રૌંચા ઉપરાંત ભદ્રપીઠ ઉપર ચક્રનું ચિહ્ન, મુખ્ય પ્રતિમાની બંને બાજુએ હાથીયુગ્મ જળનો અભિષેક કરતાં અથવા ઉપરના ભાગે ઊભેલાં બતાવાય છે. મૂર્તિના પગ પાસે દાતાની મૂર્તિ હોય છે. ઉત્તરભારતમાં ઘણે સ્થળેથી સુમતિનાથની મૂર્તિઓ મળી છે. બીજા જિનની મૂર્તિ કરતાં આ જિનની પ્રતિમા જુદી પડે છે. આબુ, શત્રુંજય ઉપર તથા અમદાવાદમાં પતાશાની પોળમાં આ પ્રકારની પ્રતિમા છે. યક્ષ તુમ્બરુનો વર્ણ શ્વેત, વાહન ગરુડ છે. ક્યારેક સિંહનું વાહન પણ બતાવાય છે. તેના ચાર હાથમાં વરદ, ગદા, શક્તિ અને પાશ અથવા સર્પ, ફળ અને અભયમુદ્રા હોય છે. આબુ ઉપરના લૂણવસહી મંદિરના દરવાજા બહાર પક્ષની પ્રતિમા આવેલી છે. યક્ષિણી મહાકાલી કે પુરુષદત્તાનો વર્ણ સુવર્ણ, આસન પદ્માસન છે. ચાર હાથમાં વરદમુદ્રા, માતુલિંગ, પાશ, અંકુશ હોય છે. પુરુષદત્તાના સ્વરૂપમાં વાહન હાથી દર્શાવાય છે. પદ્મપ્રભ છઠ્ઠા તીર્થંકર પાપ્રભનું લાંછન રક્તકમળ, વર્ણ રક્ત, કેવલીવૃક્ષ છત્રાભ છે. યક્ષ કુસુમ અથવા પુષ્પ યક્ષ, યક્ષિણી શ્યામા કે મનોવેગા, ચામરધારી તેમના સમકાલીન રાજા યમથુતિ છે. મૂર્તિઓમાં પણ ઉક્ત વર્ણન મુજબનું પ્રતિમા વિધાન જોવામાં આવે છે. તેમાં સિંહાસન અને ભદ્રપીઠ નીચે બે સિંહ હોય છે. એમની પ્રતિમાઓ આબુ, શત્રુંજય અને વંથલી (સૌરાષ્ટ્ર)માં આવેલી છે. યક્ષ કુસુમ અથવા પુષ્પનો વર્ણ નીલ, વાહન હરણ અને ચાર હાથમાં ફળ અને અભયમુદ્રા, અક્ષમાલા અને નકુલ અથવા કુન્ત (ભાલો), વરદમુદ્રા, ખેટક અને અભયમુદ્રા હોય છે. સ્વતંત્ર પ્રતિમા મળી નથી. યક્ષિણી શ્યામા કે મનોવેગાનો વર્ણ શ્યામ અને વાહન નર હોય છે. ચાર હાથમાં વરદમુદ્રા, ધનુષ, વીણા અને અભયમુદ્રા અથવા પાશ, બીજપૂરક, વરદમુદ્રા અને અંકુશ હોય છે. ક્યારેક તેનું વાહન અશ્વ દર્શાવાય છે. સુપાર્શ્વનાથ સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથનું લાંછન સ્વસ્તિક, મસ્તક ઉપર એક અથવા પંચફણા નાગનો છત્રવટો, કેવલીવૃક્ષ શિરીષ, યક્ષ માતંગ અથવા વરનંદિ, યક્ષિણી શાંતિ અથવા કાલી, ચામરધારી ધર્મવીર્ય નામે રાજા. આ તીર્થકરની પ્રતિમાઓ શત્રુંજય પર મોતીશાની ટૂંકમાં, શંખેશ્વરના દેરાસરમાં, જેમાં સુપાર્શ્વનાથના મસ્તક પર સપ્તફણા નાગનો છત્રવટો છે. તેમજ રાજકોટમાં માંડવી ચોકના દેરાસરમાં છે. યક્ષ માતંગ અથવા વરનંદિમાં માતંગનો વર્ણ નીલ, વાહન હાથી અને ચતુર્ભુજમાં બિલ્વફળ, નકુલ, પાશ અને અંકુશ હોય છે. આ યક્ષની પ્રતિમા શંખેશ્વરમાં આવેલી છે, જેમાં વાહન હાથી છે. પાટણમાં સાળવીવાડમાં આવેલ ત્રિપુરેશ્વર મહાદેવ મંદિરમાં એક યક્ષ મૂર્તિ છે, જેનું વાહન હાથી અને ચાર હાથમાં બિજોરું, અંકુશ, પાશ અને સર્પ છે. યક્ષિણી શાંતિનું વાહન હાથી અને હાથમાં વરદ, અક્ષસૂત્ર, ત્રિશૂલ અને અભયમુદ્રા હોય છે. કાલી યક્ષિણીનું Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy