SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૨૪૦ જંઘાની દીવાલના કર્ણ ઉપર (ખૂણામાં) દિકપાલ, બાજુના રિસેસ ઉપર વ્યાલા છે, જેને હાથીના બ્રેકેટનો ટેકો છે અને ઉપર ગંધર્વ અને અપ્સરા વિવિધ મુદ્રાઓમાં છે. ભદ્રબાલ્કનીમાં સુંદર શિલ્પો છે તો જાળીમાં કૂદતા વ્યાલાની કોતરણી છે. ટ્રીકામંડપમાં નીચાણ છે અને એમાં વિદ્યાદેવી, ગણ અને ઉત્તર, દક્ષિણમાં કુંભ પુરુષની મોટી મૂર્તિ છે. ૬ થાંભલા અને ૪ પ્લાસ્ટર સુંદર રીતે કોતરેલાં છે. | મુખ ચતુષ્કીની સીડીની આજુબાજુમાં મોટી પેનલ છે, જેમાં વિદ્યાદેવીની મૂર્તિ જેમકે વજંકુશા અને યક્ષ ગોમુખ, બ્રહ્મા વગેરે કોતરેલ છે. છત-ખૂબ જ રસદાયક વિવિધતા દેખાડે છે. મુખ ચતુષ્કી એ સાધારણ છે જ્યારે ટ્રીકાની છત એ સમતલ જાતની છે, જેમાં મધ્ય પદક એ વ્યાલા અને નૃત્યાંગના અને એરોબેટલના ગોળાસર હરોળથી સુશોભિત છે. ગૂઢમંડપની છત એ સોલંકી પ્રકારની છે, જેમાં દસ વીંટી આકારના ગોળાકાર મધ્યમાં આવેલ પા કેસર પદકમાં પૂરું થાય છે. દરેક વીંટી આકારના ગોળાકાર શણગારેલ છે, જેના બ્રેકેટમાં અપ્સરા અથવા નાયિકા મનમોહક મુદ્રામાં કંડારેલ છે. ગૂઢમંડપનો દરવાજો એ સુંદર પારંપારિક નકશી- ભાતમાં કોતરેલ છે. ઝાલરા પાટણ શાંતિનાથ મંદિર-ઝાલરા પાટણ ઝાલરા પાટણના જૂના ગામમાં આવેલ પૂર્વમુખી શાંતિનાથ મંદિરમાં ગર્ભગૃહ અને અંતરાળ, કે જે આરંભના વાસ્તુનાં છે એની આગળ ગૂઢમંડપ છે અને પોર્ચ, કે જે પછીના સમયનો છે એનો સમાવેશ થાય છે. રચનામાં આ મંદિર પંચરથ અને નગરશૈલીના શિખરથી સુશોભિત છે, જેની પ્રમાણતા અને ચળકાટ એ એક ઉત્તમ નમૂનો છે. પડથાર, કે જેના ઉપર મંદિર ઊભું છે એમાં સુંદર મોલ્ડિંગ છે જેના ગોખલામાં જિનમૂર્તિઓ કંડારેલ છે. દીવાલ ઉપર બે હરોળમાં ઊભાં પૂતળાંઓ છે. શિખર પણ પાંચ રથનું છે. મંદિરમાંનાં આગળ પડતાં મોલ્ડિંગ અને સુંદર નકશીવાળી કોતરણી અને શિલ્પોનો એક જુદો જ પ્રભાવ છે. આ શેલી મુખ્યત્વે મધ્યભારતમાં દેખાય છે, જ્યાં એ ઘણી લોકપ્રિય છે. આ મંદિરનું નિર્માણ, શાહ પીપાએ ઈ.સ. ૧૪૦૬માં કર્યું અને એની પ્રાણપ્રતિષ્ઠા ભવદેવસૂરિએ કરેલ છે. | કુંભારિયા હિંદુ તીર્થસ્થાન અંબાજી નજીક અને માઉન્ટ આબુથી ૨૨ કિ.મી. ઇશાને આવેલ આ મંદિરનો સમૂહ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે અને આરસના નામથી પ્રખ્યાત હતો, જેમાં અંબાજીનો પણ સમાવેશ થાય છે. કુંભારિયા અંબાજીથી ૨ કિ.મી. દૂર છે અને અંબાજી, પૂર્ણ ગુજરાત સાથે એસ.ટી.થી જોડાયેલ છે. કુંભારિયામાં જૈનધર્મશાળા છે, જ્યાં ભોજનશાળા પણ છે. હાલમાં અહીં ૬ મંદિરો છે, જેમાંથી પાંચ જૈન મંદિરો છે અને એક શિવમંદિર છે. જૈનમંદિરો પોતાની નાજુક અને સુંદર કોતરણી માટે મશહૂર છે, જેને જોવા ફક્ત જૈન જ નહીં બધાં જ લોકો આવે છે. અમદાવાદની આણંદજી કલ્યાણજીની પેઢી અહીંનો વહીવટ સંભાળે છે. મહાવીર મંદિર અહીં આવેલ મંદિરસમૂહમાં સહુથી પ્રાચીન આ મંદિર ઊંચી જગતી (પીઠ) ઉપર આવેલ છે, જેમાં મૂળ પ્રાસાદ, ગૂઢ મંડપ જેની આગળ અને બાજુમાં પ્રવેશદ્વાર છે, ટ્રીકા, રંગમંડપ, બાલનક અને આજુબાજુમાં આઠ દેવકુલિકાઓ છે. મંદિરની આજુબાજુ પ્રકરા (ચોક) છે. શાંતિનાથ મંદિર મહાવીરમંદિરની ઉત્તરે આવેલ આ મંદિર ચતુરવિમસ્તિ જિનાલય છે, જેની રચના વગેરે મહાવીરમંદિર જેવી જ છે અને શાંતિનાથ ભગવાનને અર્પણ કરેલ છે. મૂળપ્રાસાદમાં શાંતિનાથ તીર્થકરની મૂર્તિ ધ્યાનમુદ્રામાં કુંભી ઉપર છે આ પછીના સમયની છે. કુંભીની ઉપરના લેખમાં વિ.સં. ૧૩૧૪નો ઉલ્લેખ છે. પાર્શ્વનાથ મંદિર મહાવીર મંદિર અને શાંતિનાથ મંદિર કરતાં થોડું મોટું, પરંતુ બેઉ મંદિરોને લગભગ મળતું એવું આ મંદિર છે. અહીં મુખ ચતુષ્કીમાં બાલનકને બદલે નળમંડપ બાંધેલ છે. આ મંદિરમાં ૯ દેવ કુલિકાઓ છે. મંદિરની સજાવટ મહાવીરમંદિર અને શાંતિનાથ મંદિર સરખી નકશી અને કોતરણીથી નથી કરી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy