SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરાઃ ' ક પોતાના અધિષ્ઠાતા દેવ માનીને પૂજે છે. મંદિરનું શિખર ૧૧મી સદીનું મશેલીનું છે, જેમાં કર્ણ, શૃંગ (મિનારા), ઉરશ્ચંગ (ઢળતા શંકુ આકારના ઘુમ્મટ) અને મુખ્ય શિખરનો સમાવેશ થાય છે. મધ્યભાગમાં રથિકાને બદલે ગવાક્ષય (બાલકની) છે, જે સાધારણ વાત છે. ગૂઢમંડપમાં ભદ્ર અને કર્ણ છે એ વરંડિકા સુધી ગર્ભગૃહના મોલ્ડિંગનો હિસ્સો છે. જગા (દીવાલ)નો ભાગ એ યક્ષ, યક્ષિણી અને વિદ્યાદેવીની મૂર્તિઓથી સુશોભિત કરેલ છે. દીવાલ ઉપર સરસ્વતીની પુસ્તક સાથે, પાર્શ્વયક્ષ જેની ઉપર સાતફણાના સર્પનું છત્ર છે, અય્યતા, અપ્રતિચક્ર વગેરેની મૂર્તિઓ છે. ગૂઢમંડપમાં ફાંસના જાતનું શિખર છે, જેના ઉપર નૃત્ય કરતાં વિદ્યાધર, સંગીત વગાડતા ગાંધર્વ, ખૂણામાં યક્ષમૂર્તિ અને ભૂમિતિ તેમ વેલીની નકશીઓ છે. આગળના ભાગ ઉપર જિન અને યક્ષની મૂર્તિઓ છે. મુખમંડપનો હાલમાં જીર્ણોદ્ધાર થયો છે–પણ એ જૂની રચનાને ધ્યાનમાં રાખીને થોડા ફેરફાર સાથે કરેલ છે. આ ભાગના અંતમાં યક્ષિણી અને વિદ્યાદેવીની મૂર્તિઓથી સુશોભિત કરેલ છે. એની ઉપર આદિનાથ, કાલી, મહામાનસી, વરુણયક્ષ, સર્વાનુભૂતિ યક્ષ, અંબિકા, મહાવિદ્યા અને રોહિણી વગેરેની મૂર્તિઓ છે. ઘાણેરાવ મહાવીર મંદિર રાણકપુરના નજીકના પરિસરમાં આવેલ આ મહાવીરમંદિર ઉત્તરમુખી છે અને એમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, ગૂઢમંડપ, ટ્રીકામંડપ અને પોર્ચ (મુખ ચતુષ્કી)નો સમાવેશ થાય છે, જેમાં પગથિયાં ચડીને જવાય છે અને સામે રંગમંડપ-૨૪ દેવકુલિકા સહિત છે. આ પૂર્ણ ઇમારત ઊંચી જગતી ઉપર ઊભી છે છે અને એની ચોતરફ ઊંચી દીવાલ ચણેલી છે. ગર્ભગૃહ ચોરસ છે અને એને ભદ્ર તથા કર્ણ છે. મધ્યઆકૃતિ એ બહારની બાજુની આકૃતિ છે અને પ્રદક્ષિણાપથ એ બહારમાં સુંદર શણગારેલા જાળીવાળા ઝરોખાથી સજાવેલ જિનમંદિરોની કલાસપતિ ખરેખર વિશ્વમાં બેજોડ અને સમૃદ્ધ છે. મૂળ પ્રાસાદ જે ૭.૭૭ મી.ની પહોળાઈવાળો છે એ પંચરથના નકશા ઉપર આધારિત ચોરસ ખંડ છે, જેમાં ભદ્ર, પ્રતિરથ અને કર્ણ એ ૪:૪:૧:૨ના પ્રમાણમાં છે. આ મૂળ પ્રાસાદ પીઠ ઉપર ટેકાયેલો છે. વેદીબંધ, મંદિરની નીચેની દીવાલ ગોખલાઓથી સુશોભિત છે, જેમાં કુબેર, ગજાભિષેક લક્ષમી, વાયુ, મિથુન વગેરેની મૂર્તિ સ્થાપેલ છે. કપોતાએ લટકતી કળીઓની નકશીથી સુશોભિત કરેલ છે. એની ઉપર ગોખલામાં દિકપાલ છે જે ચારેબાજુથી ઉગમોથી ઘેરાયેલો છે, જેમાં ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુતી, ઇશાન, વરુણની મૂર્તિઓ છે. ગર્ભગૃહના ભદ્રને સુંદર નકશીદાર જાળીવાળી બાલ્કની–બારીથી સજાવેલ છે, જે બે પ્લાસ્ટરથી જોડાયેલ છે. પ્લાસ્ટર ખૂબ જ સુંદર રીતે કમળ, ઘટપલ્લવ, કીર્તિમુખ, ભૂંગળા કે જેની ઉપર તરંગપોટિકા છે એ નકશીઓથી સજાવેલુ છે. પશ્ચિમ બાજુના ગોખલામાં ભૈરવની મૂર્તિ છે, જે એક અસાધારણ વાત છે. કદાચ હજી આ લોકોએ નવો નવો જૈનધર્મ અપનાવેલ એટલે પોતાના પહેલા ધર્મને હજી ભૂલી શક્યાં નથી અને મંદિરના એક ગોખલામાં એની સ્થાપના કરી. એવી જ રીતે પશ્ચિમ પરિસરમાં એકબીજાને વીંટળાયેલા બે નાગની મૂર્તિ છે, જે જેનશ્રાવક બહારમાં પડથાર એ ઘણા મોલ્ડિંગથી પારંપારિક રીતથી સજાવેલ છે અને ભદ્રમાંના ગોખલાઓમાં જૈન દેવ-દેવીઓ, યક્ષ-યક્ષિણીઓની મૂર્તિ છે, જેમાં મુખ્યત્વે પદ્માવતી, ચક્રેશ્વરી, યક્ષ બ્રહ્મા, યક્ષ નિર્વાણી અને ગોમુખી એ પૂર્વથી પશ્ચિમ તરફ પ્રદક્ષિણાની વ્યવસ્થામાં ગોઠવેલ છે. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy