SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ધન્ય ધરા: ઉપસ્થાપના, પ્રતિષ્ઠા આ ૭ બાબત તેમજ લગ્નશુદ્ધિની બાબતે લગ્નશુદ્ધિ' નામે નાનેરા ગ્રંથમાં વિશદ છણાવટ કરી છે. જે ખરેખર અધ્યયન કરવા યોગ્ય છે. જ્યોતિષ વિદ્યા એટલી વિશાળ અને વિસ્તાર પામેલી છે કે સમજવા ગુરૂગમની પરમ આવશ્યકતા છે અને તે ગુરુની ઉપાસના દ્વારા શીધ્ર પ્રાપ્ત થઈ શકે છે. જો વિદ્યા ભણતાં પહેલાં સમર્પણ ભાવે ગુરુ પાસે જઈ ન ભણાય તો આ જ્યોતિષ જ્યોતને બદલે વાલા બનીને પોતાનું જ અહિત નોતરે છે, માટે ૧૪૪૪ ગ્રંથરચયિતા, આગમિક, સૈદ્ધાંતિક, પ્રામાણિક, તાર્કિક શિરોમણિ પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિ મ.નું રામબાણ કથન આ છે કે : “कजं कुणंतयाणं सुहावहो, जोइसम्मि भणिओ, નો મળિગો ન વિસેરો, નH” અર્થાતુ | સુખ અને સફળતાને ઇચ્છનારાંઓએ કાંઈપણ પ્રવૃત્તિ કરતાં પહેલાં જ્યોતિષશાસ્ત્રમાં કહેલ સુખકારક “કાલ’ વિશેષને જ પસંદ કરીને શુભ સમયે પ્રવૃત્તિનો પ્રારંભ કરવો. જ્યોતિષશાસ્ત્રનાં મર્મમાનસશાસ્ત્રી, પૂજ્યપાદ રત્નશેખરસૂરિ મ.સા.નો ટૂંક પરિચય આપતાં કહે છે કે, દિનશુદ્ધિ પ્રદીપિકાનાં ૧૪૪ શ્લોકો છે. તે ગાગરમાં સાગરનો સમાવેશ કરવા બરાબર છે અને તેના રચયિતા પૂજ્યપાદ રત્નશેખરસૂરિ મ.સા. છે. તે પૂજ્યશ્રી, શ્રી વ્રજસેનગુરુની પાટના સ્વામી શ્રી હેમતિલકસૂરિના પદપ્રસાદથી “દિનશુદ્ધિ પ્રદીપિકા'ની રચના કરી છે. જેટલી મહત્તા લગ્નશુદ્ધિની છે તેટલી જ મહત્તા દિનશુદ્ધિ પણ છે. લગ્નશુદ્ધિ-દિનશુદ્ધિથી શ્રૃંખલાથી મુહૂર્તશુદ્ધિ (શ્રેષ્ઠ) થાય છે. મુહૂર્ત દોષરહિત બને છે. વર્તમાનકાળમાં દીક્ષા, પ્રતિષ્ઠાદિ, પ્રવેશાદિ મહોત્સવો, શુભકાર્યો જે કંઈ પણ પ્રારંભ કરવામાં આવે તે માટે હાલના પૂ. પાદ આચાર્ય ભગવંતો, ઉપાધ્યાયજી ભગવંતો, પંન્યાસો, ગણિમહારાજો પૂર્વના પૂજ્યો જેવા કે પૂ. ઉદયપ્રભસૂરિ મ., નારદચંદ્ર (નરચંદ્રસૂરિ) મ., પૂર્ણભદ્રાચાર્ય, હરિભદ્રાચાર્ય, પૂ. રત્નશેખરસૂરિ મ. દ્વારા તૈયાર થયેલ જ્યોતિષ મુહૂર્તગ્રંથોનાં આધાર તથા ઈતરધર્મના વિદ્વાન વરાહમિહિર તથા નારાયણ ભટ્ટ દ્વારા નિર્મિત મુહૂર્તમાર્તડાદિ ગ્રંથોનાં આધારે મુહૂર્તો સ્વીકારી, મંગલકાર્યમાં વાપરતા હોય છે. પંચતત્ત્વ સમસ્ત વિશ્વનાં છે. ખગોળ અને જ્યોતિષચક્રો બધાનાં છે. કોઈ પક્ષ કે સંપ્રદાય કે કોઈ ધર્મ એમ ન કહી શકે કે, આ આકાશ, નક્ષત્રાદિ મારા સંપ્રદાય છે, જે જ્યોતિષચક્રો સૌને સ્વીકાર્ય છે. ખાસ વાત એ કરવી છે કે, મુહૂર્તો દરેક જ્યોતિષાદિ ગ્રંથમાંથી લઈ શકાય. તે કઈ રીતે સ્વીકારવાં? ક્યારે સ્વીકારવાં? એમાં તમારું કે મારું ન ચાલે' જે શાસ્ત્રાજ્ઞા છે તે નજર સમક્ષ રાખી અને સારગ્રહણ કરવું, એમાં જ શાણપણ છુપાયેલું છે. હાલ જૈનશાસનનાં જ્યોતિર્વિદો, મહાન વિદ્વાન પૂજ્ય પદસ્થ ભગવંતો તથા મુનિભગવંતો પ્રાયઃ આરંભસિદ્ધિ, જ્યોતિષકરંડક અને મુહૂર્તમાર્તડ, નારચંદ્રાસંહિતા આદિ ગ્રંથોને નજર સમક્ષ રાખી, શુભકાર્યો માટે મુહૂર્તોને વધાવીને આગળ ઝંપલાવવાનો આદેશ સ્વ-પરના શિરે ધરતા હોય છે. હાલના તબક્કે જે લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, આરંભસિદ્ધિ, નારચંદ્ર આચાર જ્યોતિષના મુહૂર્તશાસ્ત્રના વિશિષ્ટ ગ્રંથોનો સહારો લઈ મુહૂર્તો કાઢવામાં આવે છે, હું આપણા વિદ્વાન મહાત્માઓને વિનંતી કરીશ કે, આ ગ્રંથો ઉપર વિશિષ્ટ વિશ્લેષણ બહાર પાડી તે ગ્રંથોની ઉપયોગિતાનાં દર્શન કરાવી, સૌને માટે ઉપકાર રૂપ બને એવી ભાવના ઝંખું છું. આ અંગે વિશેષ સંશોધન અનિવાર્ય, અસ્તુ...... “નારચંદ્ર જ્યોતિષસંહિતા'ના રચયિતા પૂ. નરચંદ્ર સૂરિ મહારાજ પોતાની આગવી ઓળખાણ આપતા નથી પણ ગુરુદેવનાં ચરણકમળમાં ભ્રમર બની પોતાની ઓળખાણને ઓગાળી નાખે છે. અંતિમ શ્લોક ૧૨૦માં એટલું જ કહે છે, હું કોણ? || ટુવાનન્દમુનીશ્વરપર્વનરોવર્નન્ક પર તિષશાસ્ત્રમાર્થી નરવારdય સુધી પ્રવર: હું ક્યાંનો? ક્યાં મારો જન્મ? યો સંપ્રદાય? આવી કશી જ ભાંજગડમાં પડતાં નથી. માત્ર એટલું જ કહ્યું છે કે હું દેવાનંદસૂરિ મ.નો ચરણકમલનો સેવકરૂપી ભ્રમર છું અને એ મારા આરાધ્ય ગુરુ છે. કેવી લધુતા નરચંદ્રાચાર્ય મહારાજની! ધન્ય હો.... મહાજ્યોતિર્વિદ પૂજ્યપાદ સૂરિ ભગવંતની નિઃસ્પૃહતાને! વંદન હો પૂજ્યશ્રીની જ્ઞાનગરિમાને શતશઃ જ્યોતિષમાર્તડ પ.પૂ. આ.ભ. નંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ. આ.શ્રી અશોકચંદ્રસૂરિજી મ.સા. [શાસનસમ્રાટ સમુદાયના] પૂજ્યપાદ નેમિસૂરિ મહારાજાનાં નવરનો પૈકી એક જ્યોતિષમાર્તડ તરીકે ઓળખાતા પૂ. આ. ભ. શ્રીનંદનસૂરિ મહારાજનું નામ મુહૂર્તમાન્યમાં સર્વશ્રેષ્ઠ ગણાતું. હાલ ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ તે મહાપુરુષોનાં જીવન ગૌરવ લેવા જેવાં છે, એમાં બે મત નહીં. તેઓ મુહૂર્તમાં વિખ્યાત હતા અને Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy