SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ સંશોધનીય ગ્રંથની અંદર પૂજ્ય મુનિશ્રી માનચંદ્રજી મ.સા.ને જ્યોતિષશાસ્ત્રના પ્રખર જ્ઞાતા અને મુહૂર્તમાર્તણ્ડ કહી વધાવ્યા છે. પૂજ્યશ્રીની પૂર્વાવસ્થાની વિશેષ માહિતી મળતી નથી. એમણે ગ્રંથપુષ્પોનો ગુચ્છ જિનશાસનને આપીને અપૂર્વ શ્રુતસેવા બજાવી છે. મૂળ ચંદ્રશાખાના પૂ. ભક્તિચંદ્રજી મ.સા.ના એ વિનીત શિષ્ય પૂજ્ય માનચંદ્રજી મ.સા.એ જ્યોતિષવિષયક ઘણા ગ્રંથો આલેખ્યા છે. કચ્છમાં આવેલ વિંઝાણ પોશાળના ગ્રંથોની ટીપ પરથી એમની કૃતિઓ નીચે પ્રમાણે વિદિત થાય છેઃ (૧) ચંદ્રચિંતામણિ જ્યોતિષ, (૨) અનુપમ મંજરી, (૩) ખગોળ ગણિત, (૪) ૫૦૦ વર્ષનાં પંચાંગોનું સંશોધનાત્મક નિર્માણ, (૫) જ્યોતિષ ફળ, (૬) ષપ્રશ્ન ફલ. આ બધી કૃતિઓ ઉપરથી એવું લાગે છે કે, આ મહાપુરુષ પ્રખર મુહૂર્તશાસ્ત્રી હતા અને પોતાના વિશદ જ્ઞાન દ્વારા જિનશાસનના ચરણે અમૂલ્ય ગુલમહોર ગ્રંથોનાં અનુપમ ગુલદસ્તાઓ ભેટ ધર્યા છે. પૂજ્યશ્રીના સુશિષ્ય કલ્યાણચંદ્રજી મ., તતશિષ્ય સૌભાગ્યચંદ્રજી મ. સાહેબ થયા, જે મહાત્મા પ્રખર મંત્રવાદી તરીકે પંકાયા હતા અને જિનશાસન તથા અન્ય ધર્મીઓમાં પણ જબરી પ્રસિદ્ધિને પામ્યા હતા. પૂજ્ય માનચંદ્રજી મ.સા. દ્વારા લિખિત-રચિત હસ્તપ્રતોના સંશોધનમાંથી જ્યોતિષનાં અમૂલ્ય પુસ્તકોનું પરિમાર્જન કરી, કોઈ પુણ્યાત્મા કે કોઈ દીર્ધદ્રષ્ટા મહાત્મા બહાર પાડે તો, શાયદ તિથિ પ્રશ્નોનો સમાધાન માર્ગ સુલભ બની શકે. એમની કૃતિમાં ભંડારોમાં ધૂળ ન ખાતાં ફુલ બની સ્વ–પરને, સૌને જ્ઞાનબળ દેનારી બને એ જ આંતરિક ઉષ્માભરી ઝંખના સહ પ્રકાંડ જ્યોતિષ મુહૂતૅમાર્તંડ પૂ. માનચંદ્રજી મ.સા.ના ચરણે સહસ્રશઃ વંદના. મુહૂર્તપ્રભાવક, મુહૂર્તવૈજ્ઞાનિક, જ્યોતિષવાચસ્પતિ પ.પૂ. આ.ભ. શ્રી ઉદયપ્રભસૂરિજી મહારાજા સાહેબ ૧૩-૧૪મી શતાબ્દીમાં તેજસ્વી સહસ્રાંશુ પ્રકાંડ વિદ્વતાના ધણી, જ્યોતિષશાસ્ત્રના ગહન રહસ્યવેત્તા, ઉદ્ગાતા, ઉદ્દઘાટા! પ.પૂ. જ્યોતિષસમ્રાટ ઉદયપ્રભસૂરિ મ.સા. ‘આરંભસિદ્ધિ’ ગ્રંથના પ્રસ્તોતા છે. ‘આરંભસિદ્ધિ’ગ્રંથના પાનેપાને, શબ્દોની કેડીએકેડીએ, ઢગલાબંધ પ્રખર જ્યોતિર્વિદોના નામોલ્લેખ કરીને પૂજ્યશ્રીએ પોતાની સર્વતોમુખી પ્રતિભાને ઉપસાવી છે. ફક્ત નામોલ્લેખ જ નહીં તે તે વિદ્વાનોએ આપેલા અભિપ્રાયો, જણાવેલાં મંતવ્યોને Jain Education International ધન્ય ધરા પણ ગ્રહણ કરી ફક્ત પોતાની પૂરતાં ન રાખતાં ગ્રંથનાં માધ્યમે સર્વ જન સુધી પહોંચાડવાની જબરી મહેનત કરી છે. ખરેખર, ખુદ વિદ્વત્તાની ટોચે પહોંચેલા હોય, સ્વજ્ઞાનબળે જ ગ્રંથ તૈયાર કરતા હોય, છતાં પણ પોતાનાથી મોટા વિદ્વાનોનો ઉલ્લેખ કરીને સ્વલઘુતા દાખવી છે અને પોતાનાથી કદાચ નાના પણ જ્યોતિર્વિદ હોય, તો પણ તેમણે તેમનાં નામોનો ઉલ્લેખ કર્યો, તે તો તે પૂજ્યશ્રીની ખરેખર મહાનતા જ કહી શકાય, એટલે જ તો આ ગ્રંથ ટોચ કક્ષાને પામી શક્યા. તેથી ‘આરંસિદ્ધિ' ગ્રંથને શ્રુતજ્ઞાનના આધારે મેરુ પર્વતની ઉપમા અપાય તે કાંઈ ખોટી ન ઠરી શકે. જ્યારે આ ગ્રંથ સંપૂર્ણ તૈયાર થઈને વિદ્વાનોના કરકમલમાં આવ્યો, ત્યારે તેને જોતાં વિદ્વત્ઝનોનાં નયનકમલ વિકસ્વર થાય, તો તેમાં શી નવાઈ? હાલ જે અભ્યાસક્રમ મુજબ સાધુ-સાધ્વીજી ભગવંતો સ્યાદ્વાદ મંજરી જેવા તર્કપૂર્ણ સૌભાગ્યવંત ગ્રંથને ભણી રહ્યા છે, તે ગ્રંથના પ્રણેતા પ. પૂ. આ. ભ. શ્રી મલ્લિષણસૂરિ મ.સા.ના ગુરુદેવ પણ આ જ સર્વતોમુખી પ્રતિભા ધરાવનાર, આરંભસિદ્ધ’ ગ્રંથરત્નને વિદ્વાનો સુધી પહોંચાડનાર પ.પૂ. આ.ભ. શ્રી ઉદયપ્રભસૂરિ મ.સા. જ છે. પૂજ્યપાદ નેમિસૂરી મ.ના સમુદાયના પ.પૂ. આ. ભ. ધર્મધુરંધર સૂરિ મ.સા.એ ‘આરંસિદ્ધિ'ના પુરોવચનમાં (પ્રસ્તાવના) મુહૂર્ત અને જ્યોતિષ અંગે વિશદ છણાવટ-વિશ્લેષણ કર્યું છે. તે ખરેખર, મનનીય પંક્તિઓ પઠનીય છે. તે મારી મતિ મુજબ જણાવવા આપને પ્રયત્ન કરું છું. જ્યોતિ : તિમિરને હરે તે જ્યોતિ. તે દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે. દ્રવ્ય : આકાશમાં દેખાતા પ્રકાશનાં વલયો તે દ્રવ્ય જ્યોતિ. ભાવ : તે દ્રવ્ય જ્યોતિને વિશેષપણે જાણવાથી, અજ્ઞાનનાં આવરણો હટવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે ભાવજ્યોતિ. ખ = આકાશ, મૂળભૂત સ્થાન તે આકાશ, તેને ખગોળ કહેવાય છે. જૈનદર્શનની તે અંગે સ્વતંત્ર વિચારણા છે. આકાશમાં ચમકતી વસ્તુઓના ૫ ભેદ પાડ્યા, તે સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારા. તે પાંચમાં મુખ્ય ચંદ્ર, બાદ સૂર્ય-તે બંને ઇન્દ્રો છે. બાકી ગ્રહ-નક્ષત્ર-તારા તેમના પરિવારરૂપે છે. ગ્રહો = ૮૮, નક્ષત્રો = ૮૮, તારાઓ – ૬૬૯૭૫ કોડાકોડી તારા છે. આ સર્વ એક ચંદ્રનો પરિવાર છે. જંબુદ્રીપમાં ૨ ચંદ્ર અને ૨ સૂર્ય છે. ત્યારબાદ બમણાં કરતાં કરતાં લવણ સમુદ્રમાં ૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy