SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ (૧) ઉજ્જૈનના શ્રેષ્ઠી માણેકચંદ નિકટના જ સૈકામાં થઈ ગયેલ જૈનધર્મી માણેકચંદ નાસ્તિકતા છોડી સાવ આસ્તિક બની આનંદવિમલસૂરિજી આ.ભગવંતના શ્રીમુખે નવકારનું માંગલિક સાંભળી ચાલુ ઉપવાસ કરતા, અડવાણે પગે અને એકાકી વિચરણ કરતા, સિદ્ધગિરિના ધ્યાનમાં જ મગરવાડા મુકામે લૂંટારુઓના ઉપદ્રવમાં કાયાના ત્રણ ટુકડા થઈ જવા છતાંય ધર્મભાવના અને નવકારપ્રભાવે સમાધિમરણ સંપ્રાપ્ત કરી દેવલોકમાં ઇન્દ્રની પદવી પામ્યા. આજે માણિભદ્રવીર તરીકે તેઓ તપાગચ્છની સુરક્ષા કરી રહ્યા છે, ઉપરાંત અનેક ભક્તોને ચમત્કાર દર્શાવી રહ્યા છે. એક જ ભવના સમાધિમરણ થકી દેવભવ પછીના આગામી ભવમાં જ કેવળી બની મુક્તિને વરનારા ઉત્તમાત્મા છે. કીર્તિધર અને સુકોશલ મુનિ, મેતારજ મુનિ કે ધર્મરૂચિ અણગાર. જ્યારે વિપક્ષે કાલસૌરિક કસાઈ કે મમ્મણશેઠ, ધવલશેઠ કે ભદ્રા બ્રાહ્મણીના જીવો અસમાધિમરણને કારણે નરકગતિમાં ચાલી ગયા છે, જે હકીકત સમાધિ સાથેના દેહત્યાગનું માહાત્મ્ય જણાવે છે. વર્તમાન કાળમાં પણ કાળ અને સંઘયણબળની વિષમતા છતાંય સમાધિપૂર્વક સ્વર્ગવાસ મેળવવાના જૂજ પ્રસંગો અત્રે પ્રસ્તુત છે, જે ખરેખર આત્મજાગૃતિ હેતુ અવગાહવા યોગ્ય છે. મહદ્અંશે ગૃહસ્થોના જ સમાધિ પ્રસંગ અત્રે રજૂ કરાવ્યા છે, કારણ કે સંસારની માયાજાળ વચ્ચે મૃત્યુ સમયની સમાધિ તે તો આશ્ચર્યભૂત ઘટના કહેવાય. —સંપાદક (૨) મોતીશા શેઠ નિકટના ભૂતકાળમાં મુંબઈ નગરના કચ્છી દાનવીર શેઠ મોતીશા, જેમને ત્રણ વખત બ્રિટિશ સરકારે ફાંસી ફટકારી પણ પુણ્યપ્રતાપે માંચડો જ તૂટી ગયો. તે પછી પણ અનેક સખાવતો કરી, છેલ્લે મૃત્યુપથારીએ સંપૂર્ણ આયુષ્ય ભોગવી કાયાની માયા છોડનારા બન્યા. તે જમાનામાં રૂા. એક લાખ દેવાદારોના છેલ્લે–છેલ્લે માફ કરાવ્યા. ખૂબ સમાધિ પામવા છેલ્લે સાધુસાધ્વી ભગવંતોનું સાંનિધ્ય રાખ્યું. સમતાપૂર્વક પ્રાણ છોડ્યા ત્યારે મુંબઈ અને ગુજરાત આખાયમાં સોંપો પડી ગયેલ. ઠેકઠેકાણે શોકસભાઓ તથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો ગોઠવાયા. આજેય પણ પાલિતાણાની નવ ટૂંકોમાં મોતીશાની ટૂંક તથા મુંબઈ-ભાયખલ્લા ઉપર વિશાળ જિનાલય સાથે સંકળાયેલ મોતીશા શેઠ લેન ખ્યાત-પ્રખ્યાત છે. પરિણતધર્મ સાથે મૃત્યુ પણ મહોત્સવ બને છે. Jain Education International ધન્ય ધરા: (૩) મંત્રી ઉદયન કુમારપાળ રાજાના અંગત વફાદાર મંત્રી તરીકેનું જેમનું નામ ખ્યાત–પ્રખ્યાત છે, તેઓ છેલ્લા યુદ્ધમાં પોતાના રાજા માટે વિજયી બન્યા પણ કાયા શત્રુસૈન્યના પ્રહારથી ખૂબ ઘવાયેલ હોવાથી મરણાંત કષ્ટ પામ્યા. તે સમયે પણ પોતાના પુત્ર બાહડને બોલાવી લઈ અંતિમ ત્રણ ઇચ્છાઓ વ્યક્ત કરતાં શત્રુંજયના દાદા આદિનાથજીનું જિનાલય આરસનું કરવા તથા ગિરનારના નેમિનાથ પ્રભુના દહેરા સુધીનાં પગથિયાં બનાવવા તથા મૃત્યુપૂર્વે જ સાધુવેશ અપાવવા પુત્ર પાસે રજૂઆત કરી. ધન્ય બાહડ પુત્ર કે જેમણે નકલી સાધુને પિતાની સમાધિ માટે રજૂ કરી પિતાને પણ સમાધિસ્વરૂપ નિર્યામણા કરાવી. મંત્રી મુનિ બની ધર્મમય સમાધિમરણ પામી સ્વર્ગે ચાલ્યા ગયા. પાછળથી નકલી સાધુએ પણ વિધિવત્ દીક્ષા લઈ મરણસમાધિ સાથે પ્રાણ છોડ્યા હતા. For Private & Personal Use Only (૪) વસ્તુપાળ-તેજપાળ જીવનભર શાસનસમર્પિત રહી ગચ્છ સમુદાયોના ભેદ વચ્ચે પણ શાસનની રક્ષા અને પ્રભાવના કરતા રહી હિન્દુઓ સાથે મુસ્લિમોને પણ યોગ્ય સાચવી લઈ જૈનધર્મનો ડંકો ચારેય તરફ બજાવનાર બેઉ ભ્રાતાઓએ પોતાના ભાઈ લુણિગને ધર્મનાં વચનો આપી મૃત્યુ સમયે સમાધિ અપાવેલ, જેની યાદમાં આજેય પણ દેલવાડાનાં દહેરાસરîની બાજુમાં લુણિગવસહી જિનાલય છે. તેજ વસ્તુપાળ અને તેજપાળ અનુક્રમે મરણ પથારીએ હતા ત્યારે વિચરતાં સાધુ-સાધ્વી ભગવંતોને પોતાની નિકટમાં રાખી આરાધના કરેલ અને શાસનની ખૂબ પ્રભાવના કર્યા પછી પણ જીવનમાં સંયમની આરાધના ન થઈ તેનો સારો એવો ખેદ વ્યક્ત કરેલ. બેઉ ભાઈઓ તો સમાધિ પામી પરલોકે સિધાવી ગયા, પણ તેજપાળનાં ધર્મપત્ની અનુપમાદેવી માટે તો સીધા જ મહાવિદેહ www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy