SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ समाहि- वर-मुत्तमं दिंतु સમાધિમરણના પ્રાપ્તકર્તાઓ ૨૦૩ જૈન દર્શનમાં મરણના સત્તર પ્રકાર જણાવાયા છે, તેમાંથી બાલમરણના પ્રતિપક્ષ પંડિતમરણને શુભમરણ જણાવાયું છે, કારણ કે મૃત્યુ સમયે સમાધિ રહેવી, ટકવી, વધવી તે તો જીવનઆચારની સફળતા કહેવાય. આઉર પચ્ચક્ખાણ, મહાપચ્ચક્ખાણ, મરણસમાહિ, સંથારગ, ચઉસરણ વગેરે વિવિધ આગમ અને પયન્ના ગ્રંથોમાં અંતિમ આરાધના, ચારશરણા, સમાધિ હિતશિક્ષા વગેરે વિશે સારું એવું તત્ત્વ પીરસાયું છે તે પ્રમાણે લોગસ્સ સૂત્રમાં જણાવાયું છે. “આરુગ્ધ બોહિલાભ-સમાહિ-વર-મુત્તમં કિંતુ.'' તેજ પ્રમાણે પ્રાર્થનાસૂત્ર જયવીયરાયમાં કરાયેલી તેર પ્રાર્થનાઓમાં એક અરજ કરવામાં આવી છે “સમાહિમરણં ચ બોહિલાભો અ” જે બન્ને સૂત્રોમાં આવેલ શબ્દ કે સમાધિમરણ તેનો ભાવાર્થ છે-કે ચોરાશીલાખ જીવયોનિમાં ભટકતા જીવને ઉપરાઉપરી મળી રહેલા જન્મ અને ખૂબ જ વિષમસ્થિતિમાં થઈ રહેલા મરણોથી અલગ પ્રકારનું ધર્મમય જીવનનો અંત દેખાડતું સમાધિમય મૃત્યુનું પ્રાપ્ત થવું. ઉંદરનું બિલાડીથી ચવાઈ જવું, સાપ દ્વારા દેડકાં ખવાઈ જવાં, ગાડી નીચે ચગદાઈ મરવું ને ઝાડ-પાનનું કોઈની કુહાડીથી કપાઈ જવું, પરમાધામી દ્વારા નારકીઓના ટુકડે-ટુકડા થઈ જવા કે માનવીના બીજા માણસ દ્વારા ખૂનખરાબા, આક્રમણ કે યુદ્ધ વગેરે દ્વારા અપમૃત્યુ થઈ જવું કે કોઈ પણ રીતે વેરઝેર કે આક્રમણ વગર અસમાધિમય મરણ થઈ જવું ખૂબ સુલભ પણ દુર્લભમય છે સમાધિમરણ અન્યથા પ્રભુ-પરમાત્મા પાસે તેવા મરણની પ્રાપ્તિ માટે ગૌતમસ્વામી ગણધર જેવી મહાનવિભૂતિ પ્રાર્થના કેમ કરત? Jain Education International ——પ. પૂ. દર્શનવિજયજી મ.સા. નિશ્ચયનયના સમાધિમરણ પછી તો જીવાત્મા અલ્પભવી કે એકાવતારી બની જાય છે, પણ તેવી ઉચ્ચ દશાની આ વાત અત્રે પ્રસ્તુત ન કરતાં વ્યવહારનયથી જેને ચારશરણ સાથેનું ધર્મમરણ કહેવાય છે, તેવી સમાધિની જ અત્રે રજૂઆત જાણવી, કારણ કે કાયા-કંચન-કામિની અને કુટુંબની માયાથી પર બની આત્મસ્થદશાનું અવસાન તે કોઈ નાની–સૂની વાત નથી. આવા પંડિત મરણ તો નિગ્રંથ સાધુ-સાધ્વીઓ છોડી ભાગ્યે જ કોઈને સુલભ બને છે, માટે પ્રાચીન પ્રસંગોને ગૌણ ગણી લોકજાગૃતિ-હેતુ વર્તમાનના નિકટના કાળમાં થઈ ગયેલા પ્રસંગોથી આત્માને મૃત્યુમહોત્સવ માટે સુસજ્જ બનાવવાનો છે. ભૂતકાળની કથામાં ગજસુકુમાર મુનિ સોમિલ સસરાના મરણાંત ઉપસર્ગ છતાંય સમાધિબળે કેવળી બની મોક્ષે ગયા. બીજી તરફ પ્રભુ પાર્શ્વનાથનો જીવ પ્રથમ મરુભૂતિના ભવમાં સગા મોટાભાઈ કમટ્ટનો ઉપસર્ગ સહન ન થતાં અસમાધિમરણને કારણે હાથીના ભવમાં ચાલ્યો ગયો. નંદ મણિયાર પણ વાવડી અને પાણીમાં વ્યામોહ પામી આર્તમરણ થકી મરી પોતાની જ વાવડીમાં દેડકો બની ગયા તો બીજી તરફ અવંતિકુમારનો જીવ નલિનીગુલ્મ વિમાનથી ચ્યવી ભદ્રા શેઠાણીને ત્યાં જન્મી અચલ સંયમસાધના થકી શિયાલણના મરણાંત પરિસહને સહી સમાધિને કારણે પાછો નલિનીગુલ્મ વિમાને પહોંચી ગયો. તેવી જ અનુપમ સમાધિના ધણી થઈ ગયા અગ્નિકાપુત્ર આચાર્ય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy