SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૧૯. ભટાર રોડ પધાર્યા. ત્યાં ચાતુર્માસમાં આસો સુદ ૨ના સમાધિમરણપૂર્વક સ્વર્ગસ્થ બન્યા. સં. ૨૦૬૨ સાબરમતીથી કલિકુંડ પૌષધધારી છ'રીપાલક સંઘ આ.ભ. શ્રી તથા પં. રવિરત્નવિજય મ.ની નિશ્રામાં નીકળેલ. કલિકુંડથી પાલિતાણાનો છ'રીપાલક સંઘ પૂ. આ. ભ. શ્રી ગુણરત્નસૂ.મ., આ. પુણ્યરત્નસૂ.મ., પં. યશોરત્નવિ.ની નિશ્રામાં પેશુઆનિવાસી સંઘવી શેષમલ દેવીચંદજીએ કાઢેલ. (તા. ૨૧-૧૧-૨૦૦૫થી -૧૨-૨૦૦૫). તા. ૨૧-૧૧-૨૦૦૫થી તા. ૮-૧૨-૨૦૦૫ સાબરમતીથી શત્રુંજયનો સંઘ પૂજ્યશ્રીની આજ્ઞાથી પં. શ્રી રશિમરત્નવિ.ની નિશ્રામાં બેડાનિવાસી સંઘવી દેવીચંદજી ભીકમચંદજી કોઠારીએ અતિ ભવ્ય રીતે કાઢ્યો. સંઘમાળ પૂ.આ.ભ.શ્રીએ કરાવી. ૭-૧૨થી ૧૯-૧૨ પાલિતાણાથી ગિરિનગરનો છ'રીપાલક સંઘ સંઘવી શ્રી હરખચંદજી મુકુનમલ કાંકરિયા (કલકત્તા) પરિવારે જયકુમારબાબુનાં ધર્મપત્ની વાસંતીદેવીનાં ભાવનાનુસાર ખૂબ ઉલ્લાસથી કાઢેલ. ગામેગામ સાધર્મિક વાત્સલ્ય હતા. ૨૭-૧ થી ૧૯-૨-૦૬ મંડારથી શંખેશ્વર થઈ શત્રુંજય મહાતીર્થનો ભવ્ય પ્રાચીન પદ્ધતિનો સંઘ સંઘવી રુગનાથમલ સમરથમલ દોશી દિલ્લીવાળાએ કાઢેલ. ગામેગામ સ્વામીવાત્સલ્ય થયાં. પ્રથમવાર સંપૂર્ણ પાટણનું સ્વામીવાત્સલ્ય કરવામાં આવેલ. દરેક યાત્રિકને સુવર્ણહારની પ્રભાવના થયેલ. રાત્રે દીવડાઓની રોશનીથી સ્વર્ગલોક સમા વાતવારણને નિહાળવા દરરોજ હજારો લોકો ઊમટી પડતાં હતાં 800 ગામના ૧૨૦૦ આરાધકો જોડાયા હતા. ૮૦ લોચ અને ૧૦૦૦ પૌષધ થયાં હતાં. ગિરિરાજની તળેટીની મહાપૂજા અભૂતપૂર્વ થયેલ. સં. ૨૦૬૩ સુરેન્દ્રનગરમાં પુનઃ ભવ્યચાતુર્માસ પૂર્ણ થયા બાદ પ્રાચીન તળેટી સિદ્ધવડ ઘટીપાગથી મુંજય મહાતીર્થની ભવ્ય નવ્વાણું યાત્રા માંડવલાનિવાસી સંઘવી મોહનલાલ રુગનાથમલ પરિવાર–એમ. એમ. એક્સપોર્ટ (ચેન્નઈ) શ્રી શત્રુંજય મહાપુરમ્ વસાવી અતિભવ્ય રીતે કરાવેલ. ૨૨૦૦ આરાધકોએ અને સંઘવી રમેશભાઈ મુથા સહિત ૧૮૦૦ ચોવિહાર છઠ્ઠ થયા. ભાવનગરથી પાલિતાણાનો સંઘ હિંમતલાલ નાગરદાસ બગડીયાએ કાઢેલ. પૂ.આ.ભ.ની આજ્ઞાથી પં. રવિરત્નવિ.મ.ની નિશ્રામાં જૈન સોસાયટીથી કલિકંડથી જેમ વેલગિરિથી અચલગઢ ૬ પૌષધધારી સંઘ વેલગિરિનિવાસી સંઘવી સેજમલ દીપચંદજી. ત્યાર બાદ પિંડવાડાથી શ્રી શંખેશ્વરતીર્થ છ'રીપાલક સંઘ (તા. ૨૮-૧-૨૦૦૭ થી ૧૮-૨-૨૦૦૭) દાદાપ્રેમસૂરિજીના સાંસારિક ભત્રીજા સંઘવી લલિતકુમાર ભૂરમલજી સાદરિયાએ અત્યંત ઉલ્લાસથી કાઢેલ. સં. ૨૦૬૪શ્રી અમદાવાદ-શાંતિનગરમાં ઐતિહાસિક ચાતુર્માસ પૂર્ણ થયા બાદ શ્રી શંખેશ્વર મહાતીર્થમાં મંડારનિવાસી સંઘવી રુગનાથમલ સમરથમલ દોશી પરિવારે (દિલ્લી) મંડાર ગૌરવ વાદિદેવસૂરિ ઉપધાન નગરી વસાવી ૧૭00 આરાધકોનું ૨૧મી સદીનું વિશાળતમ ઉપધાન કરાવેલ, જેમાં સંઘવી ભંવરભાઈ સહિત ૭૫ આરાધકો મૂળવિધિમાં જોડાયા. ૧૨૫ આરાધકો (૨૦ બહેનો)એ લોન્ચ કરાવેલ. ચુસ્ત જયણાના પાલન સાથે ૫૦ દિવસ દરેકની જગડુશાહ ભોજનખંડમાં ભક્તિ કરવામાં આવતી હતી. છેલ્લે વરઘોડાના દિવસે ૫૦ હજાર માણસોને પણ બેસાડી સૂર્યાસ્તના અડધો કલાક પહેલાં જમાડી જબરદસ્ત જિનાજ્ઞા પાલન કરાવેલ. ૧૧થી ૩ સુધીમાં ૭પપ મોક્ષમાળનો પ્રસંગ સુવ્યવસ્થિત રીતે ૫. રશ્મિરત્નવિ.ના માર્ગદર્શનમાં થયેલ. ભાવનગરના પ્રાર્થનામંડળે પિંડવાડાના વિજય આ. પ્રેમસૂરિમંડળ, જીરાવલા દશમ મંડળે સુંદર વ્યવસ્થા કરેલ. ત્યારબાદ તીખીથી શંખેશ્વરનો છ'રીપાલક સંઘ પૂ. આ.ભ.શ્રીની આજ્ઞાથી આ. પુણ્યરત્નસૂ. પં. શ્રી યશોરત્નની નિશ્રામાં સંઘવી જેઠમલ કેસરીમલજી બેંગ્લોરવાળાએ કાઢેલ. પૂ. સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્યદિવશ્રી વિજયપ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. ઉપાધ્યાયશ્રી યશોભદ્રવિજયજી ગણિવર, પૂ. પ્રવર્તક શ્રી યોગીન્દ્રવિજયજી મ., પૂ. ગણિવર્યશ્રી ભુવનસુંદરવિજયજી મ., પૂ. ગણિવર્યશ્રી ગુણસુંદરવિજયજી મ. આદિ સાધુ-સાધ્વીજી મ.ની નિશ્રામાં વિ.સં. ૨૦૫૧ના મહા માસમાં ગિરધરનગર, અમદાવાદથી શ્રી શત્રુંજય તીર્થાધિરાજનો ભવ્ય છ'રીપાલિત સંઘ નીકળેલ. ગિરધરનગરના અનેક ઉદાર સંઘપતિઓએ ગામોગામ શાસનધર્મપ્રભાવનાનાં અનેક સુંદર કાર્યો કરેલાં. જીવદયાનાં કાર્યો પણ ઘણાં કરવામાં આવેલ. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy