________________
૧૯૨
ધન્ય ધરા:
રહ્યાં. આ સમયે એટલો તો માનવ મહેરામણ ઊમટ્યો કે જ્યારે હાવરાબ્રિજ પરથી યાત્રાસંઘ પસાર થયો ત્યારે ભાવિકો અને યાત્રિકો સૂત્ર પોકારતા હતા કે “હાવડાબ્રિજ છોટા હૈ, સંધ હમારા મોટા હૈ.” જેનો પ્રારંભ મહાન હોય તેની પૂર્ણાહુતિ પણ એટલી જ મહાન હોય છે અને આ પ્રારંભ અને પૂર્ણાહુતિને જોડતા દિવસો-મુકામો પણ એટલા જ મહાન શાસનપ્રભાવક બન્યા હતા. દરરોજનાં હજાર-હજાર દર્શનાર્થીઓ પરમાત્માના મંગલમય શાસનનો જયજયકાર કરતા હતા. બંગાલ, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા પ્રાંતોમાં “જૈન જયતિ શાસનમ્ની એક ભવ્ય ગુંજ આ મહાન યાત્રાસંઘ દ્વારા ગુંજિત બની હતી.
આ યાત્રા સંઘમાં પણ બે ભાઈઓ અને પાંચ બહેનોની દીક્ષા થઈ હતી. પરમાત્માની કલ્યાણક ભૂમિઓ તથા રાજસ્થાન અને ગુજરાતના અનેક નાનાં-મોટાં તીર્થોની સ્પર્શના થઈ હતી. સ્વગચ્છ અને પરગચ્છ, સ્વ સંપ્રદાય અને પર સંપ્રદાયનાં અનેક સાધુ-સાધ્વીજી પણ શાસનરાગ અને સ્નેહથી યાત્રાસંઘનાં દર્શનનો લાભ લેતાં હતાં.
આ યાત્રાસંઘના છેલ્લા મુકામ સિદ્ધાચલ તીર્થધામપાલિતાણામાં ભવ્યાતિભવ્ય સામૈયાપૂર્વક નગરપ્રવેશ થયો હતો અને એ જ રાતે શ્રી શત્રુંજયગિરિરાજ પર શ્રી આદીશ્વર દાદાની પરમ પાવન છત્રછાયામાં તીર્થ-માળારોપણનો પ્રસંગ પણ પરમ હર્ષોલ્લાસ સાથે પરિપૂર્ણ થયો હતો.
આ ઐતિહાસિક યાત્રાસંઘો ઉપરાંત પૂજ્ય આ. શ્રી વિક્રમસુરીશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં (૧) બિજાપુર (કર્ણાટક)થી કુલ્પાકજી તીર્થનો ૪૪ દિવસની યાત્રા સંઘ અને (૨) અમદાવાદથી પાલિતાણાનો યાત્રાસંઘ અનુપમ
નો યાત્રાસંઘ અનુપમ શાસનપ્રભાવનાપૂર્વક નીકળ્યો હતો.
સિદ્ધાંત મહોદધિ સુવિશાલગચ્છનિર્માતા : પ.પૂ.આ. દેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી
મ.સા.ની નિશ્રામાં શ્રી શત્રુંજય મહાતીર્થના નીકળેલા છ'રીપાલિત
સંઘની યાદી સં. ૨૦૧૩ શંખેશ્વરથી શ્રી શત્રુંજય મહાતીર્થ, દાદરનિવાસી શ્રી દામજી પદમશી, સં. ૨૦૧૫ ચડવાલથી (રાજસ્થાન) શત્રુંજય મહાતીર્થ, ચેલાજી વન્નોજી, પોષ સુદ
૧૨, પ્રયાણ કરતાં સામે સફેદ નાગરાજના શુભ શુકન થયાં. ૨૧૦૦ યાત્રિકો હતાં. પ્રયાણના દિવસે ૭૦૦ યાત્રિકોએ આયંબિલ કર્યા હતાં. જીરાવલામાં ૫૦૦૦ યાત્રિકો દર્શન કરવા આવ્યાં હતાં. સંઘમાં ૮૫ સાધ્વી, ૨૫ સાધુ હતા. ૨૨-૧-૫૯ થી ૮-૩-૫૯ લગભગ ૪૮ દિવસનો સંઘ હતો.
“સૂરિ પ્રેમ’ના પટ્ટધર સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા શ્રી શત્રુંજય મહાતીર્થના યાત્રાસંઘો
વિ.સં. ૨૦૧૭ રાણકપુરથી પાલિતાણા, સંઘપતિશ્રી હરખચંદજી કાંકરિયા, વિ.સં. ૨૦૧૭, પાલિતાણાથી કદંબગિરિ, સંઘપતિશ્રી ગોવિંદજી જેવટ ખોના, વિ.સં. ૨૦૧૮, રાજકોટથી જૂનાગઢ-ગિરનાર તીર્થ, સંઘપતિશ્રી દામોદરદાસ ઝીણાભાઈ, વિ.સં. ૨૦૨૫, ખંભાતથી પાલિતાણા, સંઘપતિ શ્રી ગોવિંદજી જેવત ખોના, વિ.સં. ૨૦૨૫, તળાજાથી પાલિતાણા, સંઘપતિશ્રી કપૂરચંદજી અનરાજજી, વિ.સં. ૨૦૨૫, ચલાલાથી પાલિતાણા, સંઘપતિશ્રી નાનચદ જૂઠાભાઈ, વિ.સં. ૨૦૩૪, સુરતથી પાલિતાણા, સંઘપતિ શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર, વિ.સં. ૨૦૩૫, ખંભાતથી પાલિતાણા, સંઘપતિ શ્રી મંગળદાસ માનચંદ, વિ.સં. ૨૦૪૦ અમદાવાદથી પાલિતાણા, સંઘપતિશ્રી જયંતીલાલ આત્મારામ તથા પરશોત્તમદાસ છોટાલાલ, વિ.સં. ૨૦૪૫, અમદાવાદથી પાલિતાણા, સંઘપતિ શ્રી રીખવચંદજી છોગાલાલજી, વિ.સં. ૨૦૪૬, પાલિતાણાથી કદંબગિરિ, સંઘપતિ શ્રી ઉમેદમલજી યેરવડાવાલા. પૂ. આ. શ્રી વિજયપ્રભાકરસૂરિજી મ.ની નિશ્રામાં નીકળેલા છ'રીપાલિત સંઘો
સં. ૨૦૪૪ રાજકોટથી પાલિતાણાનો છ'રીપાલિત સંઘ, વિ.સં. ૨૦૪૮ રાજકોટથી પાલિતાણાનો. ..
જામનગરથી પાલિતાણાનો સંઘ : પ્રવચનપ્રભાવક પૂ.પં. શ્રી ગુણશીલવિજયજી ગણિવર (હાલ આચાર્ય)ની નિશ્રામાં જામનગરથી શત્રુંજય મહાતીર્થનો ભવ્ય ઐતિહાસિક છ'રીપાલિત સંઘ નીકળેલ. પ્રયાણ વિ.સં. ૨૦૫૦ મહા સુદ ૧૩, સંઘમાળ ફાગણ સુદ ૧૦, સંઘપતિ શ્રીયુત દિલીપકુમાર ભાઈચંદભાઈ મારુ (લંડન નિવાસી) યાત્રિકો ૪૦૦ ઉપર, ૨૪ દિવસના આ ભવ્ય સંઘમાં શાસનપ્રભાવક કાર્યો અનેકવિધ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org