________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૧૮૧
જ રાજભંડારમાંથી ચોરી કરી હોય તો-કાર્તિક માસમાં સાત
આયંબિલથી શુદ્ધ થાય. If સધવા, વિધવા, સાધ્વી સાથે અસદાચારના સેવનથી
ઓછામાં ઓછું છ મહિના સુધી તપ કરાય. # બીજાની વસ્તુ પોતે રાખી મૂકે તો-છ માસ સામાયિકથી
શુદ્ધ થાય. જ પણ આ ખાસ ધ્યાનમાં રાખવું કે અન્ય ક્ષેત્રે ભૂલથી થયેલાં
પાપોની શુદ્ધિ આ પાવન તીર્થમાં થઈ શકે છે પણ આ પાવનતીર્થમાં કરેલું પાપ તો નિકાચિત-ચીકણું બને છે. માટે જ કહેવાયું છે કે
“अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति, तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ।" તીરથની આશાતના નહીં કરીએ આ સ્તવનને ખાસ
બધાએ અર્થ સાથે સમજવા જેવું જ છે. ૪િ પુણ્ય પ્રભાવક ભક્ત બન્યા પછી આપણે આ તીર્થના
આરાધક-ઉપાસક–સાધક બનતાં શું લાભ થશે ? જ આ તીર્થનું ધ્યાન કરવાથી–૧000 પલ્યોપમના અભિગ્રહ
કરવાથી લાખ પલ્યોપમનાં અને આ તીર્થ તરફ જયણાપૂર્વક ચાલવાથી–એક સાગરોપમ જેટલાં કર્મો નાશ પામે છે. (શત્રુંજય–કલ્પવૃત્તિ).
38 શ્રી શત્રુંજય તીર્થની ભાવયાત્રા કે શત્રુંજય લધુકલ્પ અર્થ
સાથે સ્મરવા માત્રથી અને આ તીર્થે નવકારશી પણ કરવા
છતાં છઠ્ઠનો (બે ઉપવાસનો) લાભ થાય છે. | પોરસી, પુરિમઢ, એકાસણું, આયંબિલ, ઉપવાસ કરવાથી
અનુક્રમે ૩, ૪, ૫, ૧૫, ૩૦ ઉપવાસનો લાભ મળે છે. ક્રિ શ્રાવક, દ્રવ્ય અને ભાવપૂર્વક માત્ર કપૂરનો ધૂપ કે દર્શન
કે પૂજન કરે તોય ૩૦ ઉપવાસનો લાભ મેળવે છે. જ તળેટીમાં એક પહોર જાગરણ કરવાથી-છ મહિનાના ઉપવાસનો લાભ મેળવી શકાય છે.
આ તીર્થનો મહિમા દરેક જાતિવાળાંઓમાં વ્યાપેલો હતો તેથી જ હજારો સંઘો, ભાવસાર, રાજપુતોએ, જૈન, બ્રાહ્મણોએ, કણબીઓએ, લેઉઆઓએ, કંસારાઓએ, ચંડાલોએ પણ કઢાવેલા છે. તેનું વિસ્તૃત વર્ણન પ્રબંધ પંચશતી ગ્રંથમાં જોવા મળે છે, જેમાં નીચી જાતિવાળા સંઘપતિઓ-ભક્તો માત્ર તળેટીની પ્રદક્ષિણા કે સાધના કરીને પાવન થઈ પાછા ફરતા હતા, એટલો બધો વિવેક હતો, સદ્ભાવ હતો. આજે પહેરવેશ, અભક્ષ્ય ખાણીપીણી, અશ્લીલતાએ આ તીર્થને અભડાવા દીધું છે કે તે તુરંત બંધ કે કન્ટ્રોલ કરનારાઓ પણ અનંતી પુણ્યરાશિ એકઠી કરી શકશે. આ તીર્થાધિરાજને અનંતશઃ વંદના......!
દશ્ય ૧ અયોધ્યા શહેરમાં નાભિરાજા અને
મરુદેવી,
ય
૨
૧૬ મંગળ સ્વપ્રો,
દય 3
સ્વપ્રોનું અર્થઘટન,
દસ્ય ૪ મરુદેવી અને ૫૬ દેવી કુમારિકાઓ (દિકુમારિકાઓ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org