SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ધન્ય ધરા: જેમાં અનેક પ્રભાવક સૂરિવરો, મુનિવરો, સાધુઓ અને ભરત મહારાજાથી માંડીને કુમારપાળ જેવા ધર્મપ્રેમી રાજવીઓ, વસ્તુપાળ જેવા મંત્રીઓ, ઇતિહાસ-પ્રસિદ્ધ સમરાશા, જાવડશા, પેથડશા જેવા મહાનુભાવો આ પ્રભાવક તીર્થના પરમ ભક્તો ગણાયા છે. શ્રી શત્રુંજય ગિરિરાજના પુણ્યપ્રભાવક ભક્તો.... શાશ્વત ગણાતા આ ગિરિરાજનું સ્થાન આસ્થાળુ જૈનોના હૃદયમાં અજોડ અને અનન્ય છે. આરાધક અને ઉપાસક વર્ગે આ ગિરિરાજ સાથે તન્મયતાનો નાતો જુદી જુદી રીતે જોડ્યો છે. આચાર્ય ભગવંતોએ મુક્ત કંઠે આ ગિરિરાજનો ઉત્તમ મહિમા ગાયો છે. પૂજ્ય સાધુ- પ. મનિરાજશ્રી. સાધ્વી ભગવંતોએ અહીં તપ-જપ-ધ્યાન-સાધના કરી સિદ્ધિ હસ્તગત કરી છે. શ્રદ્ધાળુ શ્રીમંત પર્ણચંદ્રવિજયજી મ.સા. શ્રાદ્ધવર્ગે શત્રુંજયના ભવ્ય છ'રીપાલિત સંઘો, નવાણું યાત્રાઓ, ચાતુર્માસો યોજ્યાં છે. નવ નિર્માણ અને જીર્ણોદ્ધારથી આ પાવન તીર્થને જગમાં અનન્ય સ્થાન અપાવ્યું છે. લાખો જેનો આ તીર્થની નવાણું, છઠ્ઠ કરી સાત જાત્રા વગેરે કર્યા છે. ભક્ત કવિઓએ સ્તવનો, સ્તુતિઓ, થોયો, છંદ, ચેત્યવંદનો રચી તીર્થના મુક્તકંઠે ભારે ગુણ ગાયા છે. ભક્તોની અગણિત શૃંખલા શ્રી આદિનાથ ભગવાનના કાળે શ્રી પુંડરીક ગણધર અને ભરત ચક્રવર્તીથી આરંભી આજ સુધી અખંડ ધારાએ ચાલી આવે છે. શત્રુંજયના પુણ્યવંતા ભક્તોની આ પરંપરાને લાખ લાખ વંદનાઓથી નમન કરીએ છીએ. એજ રીતે છરીપાલિત સંઘોના સંઘપતિઓના યોગદાનની પણ અનુમોદના કરીએ છીએ. છ'રી પાલતા જે નર જાય, પાતિક ભૂક્કો થાય” કર્મની વિષવેલડીને કાપતી છરી સમાન છ'રી પાળતાં પાળતાં સંઘ પોતાના નગરથી શ્રી શત્રુંજય સહિત ઉત્તમ તીર્થોની યાત્રા કરવા જાય છે. આમાં ભૂ છેલ્લે “રી' આવે એવી છ બાબતો પાળવાની હોય છે. શ્રદ્ધાળુ શ્રીમંત શ્રાવક પરમાત્મભક્તિ વગેરે ધર્મકાર્યો કદી એકલવટો નથી કરતો. પોતાની સાથે બીજાં સેંકડોને જોડે છે એમ સંઘ તૈયાર થાય ને સંઘ સાથે થતી ભક્તિ વગેરે અનન્ય ઉલ્લાસનો સંગ ઉમેરે છે. એમાં સંઘભક્તિ પણ થાય છે. સામુદાયિક પુણ્ય પણ ઊભાં થાય છે. લક્ષ્મી સુકૃતના માર્ગે જઈ સાર્થક થાય છે. જૈનેતરોને પણ અનેક રીતે સહાયક થવાથી શાસનપ્રભાવના પણ થાય છે. દિવસો સુધી પ્રભુમિલનના અનેરા તલસાટ પછી જે દિવસે તીર્થમાં પ્રભુમિલન થાય છે, તે દિવસે અનન્ય આનંદાનુભૂતિ થાય છે. આવા ભવ્યતમ છ'રીપાલિત સંઘોના પ્રથમ સંઘપતિ હતા ભરત મહારાજા....પછી તો એવા ધન્યતમ સંઘવીઓની મોટી પરંપરા આજ સુધી ચાલી આવે છે. આ સંઘપતિઓના હૈયે પ્રભુભક્તિ છે, ગુરુભક્તિ છે. સંઘસાધર્મિક ભક્તિ છે, જીવદયા–અનુકંપા છે ને ચંચળ લક્ષ્મી પુણ્યલક્ષ્મીમાં પરિવર્તિત કરવાની તીવ્ર શુભ ભાવનાઓ ધરબાયેલી છે. આ તીર્થની રક્ષા અને નિર્માણક્ષેત્રે અનેકોનું યોગદાન આપણાં મસ્તક ઝુકાવી દે તેવું છે. કોને કોને યાદ કરવા? ભાવડશા કે ભીમા કુંડલિયાને, ધરણશા કે ખેમા દેદરાણીને, કાકંદીના ધના અણગારને કે જીરણ શેઠને, મોતીશા શેઠને કે હેમાભાઈને, શેઠ હઠીસિંગને કે કસ્તુરભાઈ લાલભાઈને? આ સૌનું ભારે મોટું યોગદાન નોંધાયેલું છે. આ લેખમાળા રજૂ કરનાર ડહેલાવાળા સમુદાયના પૂ. મુનિરાજશ્રી પૂર્ણચન્દ્રવિજયજી પ. પૂ. આ.શ્રી જગતચંદ્રસૂરિજી મ. ના શિષ્યરત્ન બન્યા, જૈનદર્શનનો તલસ્પર્શીય અભ્યાસ કર્યો, જ્ઞાનસંપદા વધારી લેખનશક્તિમાં આગળ વધી દીક્ષાકાળથી પ્રારંભાયેલી તીવ્ર સંશોધન જિજ્ઞાસાવૃત્તિને લીધે સાહિત્યયાત્રા આગળ ધપાવી રહ્યા છે. પૂજ્યશ્રીને લાખ લાખ વંદના. “શ્રાવકવિધિ સંગ્રહ’ અને ‘નૂતનવર્ષાભિનંદન' એ સુંદર પ્રકાશનો પૂજ્યશ્રીનો ઘણો જ સ્તુત્ય પ્રયાસ છે. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy