________________
શાશ્વત સૌરભ ભાગ-૧
શ્રી શત્રુંજ્ય તીર્થના પુણ્યપ્રભાવક ભક્તો
—પૂ. મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ.સા.
गिरिवर दर्शन विरला पावे
ભારતભરનાં પ્રભાવક તીર્થસ્થાનો ભારતની સંસ્કૃતિનાં હંમેશાં ઉમદા પ્રેરણાબળ બની રહ્યાં છે. જૈનજગતની પ્રાચીન અજોડ જાહોજલાલી અને અપૂર્વ આત્મવૈભવની પ્રતીતિ કરાવી રહ્યાં છે આ બધાં તીર્થસ્થાનો જ.
અનંત યુગોથી અનેક આત્માઓને ભવ તારનારા શાશ્વત એવા શ્રી શત્રુંજય મહાગિરિ તીર્થને આર્યાવર્તનાં સઘળાં તીર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેની ૬૦૦ મીટર ઊંચી પર્વતમાળા ઉપર ૭૦૦ જેટલાં દેવિવમાનો જેવાં મંદિરોથી ઢંકાયેલી આ દેવનગરી જૈન-જૈનેતર શ્રદ્ધાવંતોનું પરમ પ્રેરણાસ્થાન બની છે. જેના કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે, જ્યાં જિનેશ્વર દેવાધિદેવ ઋષભદેવ પ્રભુએ નવાણું પૂર્વ પર્યંત વિચરીને મંગલધર્મના જયઘોષ અને ડંકાનિશાન ગજાવ્યાં છે.
શાશ્વત મહામંત્ર નવકાર અને શાશ્વત ગિરિરાજ સિદ્ધાચલજી, જેનું અપર નામ શ્રી શત્રુંજય મહાતીર્થ આજેય તેના આરાધકોને માટે અદ્ભુત આકર્ષણનું કારણ કહેવાય છે. પ્રભુ મહાવીરદેવના શાસનકાળમાં પ્રસંગે પ્રસંગે જે જિર્ણોદ્ધારકો થયા, શ્રમણો અને શ્રમણોપાસકો થયાં તેમાં લબ્ધિધારી વજસ્વામીજી તથા જાવડશા અને તેમના ધર્મપત્નીની જીવનકથા પ્રખ્યાત છે. છ'રી પાળતા સંઘો લઈ આવનાર વસ્તુપાળ-તેજપાળ
Jain Education International
કે મોતીશા શેઠથી લઈ હાલ સુધીના શ્રેષ્ઠી શ્રી રજનીભાઈ દેવડીના જીવનપ્રસંગો ઐતિહાસિક નોંધ સમાન છે. સવા સોમાની ટૂંક કે ઊજમફઈની ટૂંક વગેરે તીર્થભક્તિનાં પ્રતીકો સમાન છે. તીર્થરક્ષક કર્પદી યક્ષ કે શાસનદેવી ચક્રેશ્વરી પ્રભુ આદિનાથજીએ કરેલ પૂર્વ નવાણું યાત્રાથી થયેલ વિમલાચલ ગિરિવરના ભક્ત દેવી-દેવતાઓ ખરાજ, પણ આ
સિદ્ધતીર્થના ધ્યાનમાં અપમૃત્યું છતાંય અમર મૃત્યુને પામી શેઠ માણેકચંદમાંથી મણિભદ્રવીર થઈ જનાર ઇન્દ્રની પણ લગની અને ભક્તિ સંદેશો આપે છે કે શાશ્વતા શત્રુંજય શાશ્વતમુક્તિસુખને દેવા સદાય સક્ષમ છે અને છે જ.
આ અવસર્પિણિકાળમાં આ તીર્થના સત્તર જેટલા ઉદ્ધારો થયા,
For Private & Personal Use Only
૧૩
www.jainelibrary.org