SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ डादरा गणिता वित्तवर नाग। कालगतिऐ मासमहाम दिखाडल वि ऋणुनार नि दिसासखा समय सम पारक आसा હસ્તલિખિત સચિત્ર જૈનગ્રંથતો નમૂનો તેરમી શતાબ્દિતા હસ્તલિખિત કલ્પસૂત્રતા તાડપત્ર ઉપરથી (આમાં અષ્ટમંગળ પૈકીતા મંગળો છે.) જૈન ઉપાંગસાહિત્ય ભારતની વિશાળતા કેવળ ભૌગોલિક નથી. ભારતની વિવિધતા પણ કેવળ સામાજિક નથી જ. જૈનેતર (હિંદુ જનસમુદાય)નું સાહિત્ય જેટલું પ્રાચીન છે અને વિવિધતાથી ભરપૂર છે તેવું જ જૈનસાહિત્યનું કહી શકાય. જૈનેતર સાહિત્યમાં વેદ, ઉપનિષદ, સ્મૃતિઓ, પુરાણોથી માંડીને જેને સાહિત્યિક રચનાઓ કહી શકાય તેવું વિશાળ સાહિત્ય રચાયું છે. એવું જ બૌદ્ધ સાહિત્ય વિશે પણ કહી શકાય. આપણા વિષયના સંદર્ભમાં આપણે જૈનેતર સાહિત્યના આટલા ઉલ્લેખથી વિશેષ વિગતમાં જતા નથી. એટલું અવશ્ય કહીશું, જગતભરનું સાહિત્ય એક સમયે શ્રુતસ્વરૂપનું હતું. જ્યારે, લખાણબદ્ધ કરવાની ઘણી બધી અસુવિધાઓ હતી ત્યારે પેઢીઓ અને સૈકાઓ સુધી તેવું સાહિત્ય ચાલતું રહ્યું. તાડપત્રીઓ-ભોજપત્રો જેવા પર એ લખાણબદ્ધ થયું ન હતું ત્યારે તેવા શ્રુત સાહિત્યમાં વધારો-ઘટાડો થતો રહે એ સ્વાભાવિક છે અને, ભારત જેવા વિશાળ ભૂમિપ્રદેશમાં પ્રજાસમૂહો સ્થળાંતરો કરતા રહે ત્યારે તેવું સાહિત્ય વિવિધ ભાષાઓમાં રચાતું જાય, તેમાં સ્થાનિક ખાસિયતો ઉમેરાતી જાય, સંજોગો બદલાતા કે અનુભૂતિઓ બદલાતા તેના સાહિત્યિક અને અપેક્ષાત્મક સ્વરૂપમાં પણ પરિવર્તન આવતું જાય. સાહિત્ય એ તો વહેતી નદીના જળ જેવું છે. એ સતત વહ્યા જ કરે છે. ત્યારે, તેના રચિયતા કોણ હતા, કોણે શો ફેરફાર કર્યો, ક્યા પ્રદેશો અને પ્રજાસમૂહોમાં તે ફરતું રહ્યું, તેનું આદિ સ્વરૂપ કેવું હતું—જેવી ચર્ચાઓ સંશોધન કરનારાઓને અવશ્ય ગમે. જ્યાં સુધી સામાન્યજનને નિસ્બત છે ત્યાં સુધી તેવી ચર્ચાઓમાં તેમને રસ નથી હોતો અને તેથી તેવી વિતંડામાં પડવાની જરૂર પણ નથી. તો, એ સાથે એ પણ ઉમેરવું જોઈએ Jain Education International ધન્ય ધરા કે કોઈક સાહિત્ય ચિરકાળ સુધી ટકેલું રહે છે કારણ કે આસ્થા એ સાહિત્યને ટકાવે છે. તેથી, એવા સાહિત્યને તર્કની એરણ પર ચકાસવાનો આયામ કર્યા વિના એવા સાહિત્યની અલૌકિકતાનો સ્વીકાર કરવો જોઈએ અને એ જ સ્વરૂપે એવા સાહિત્યને સ્વીકારવું જોઈએ. શ્રદ્ધા અને તર્ક–આ બંનેની શાસ્ત્રીય ચર્ચા કરવી મિથ્યા છે. સામાન્યજન એને સ્વીકારે છે અને તેથી તે ચિરકાળ પર્યંત ટકેલું રહે છે. સાહિત્ય અને ઇતિહાસ વચ્ચેના સંબંધની પણ ચર્ચા કરવી નથી. જે તે સમયે રચાતું સાહિત્ય, સમાજમાં પ્રવર્તતી વાસ્તવિકતાઓથી ભિન્ન હોઈ શકે નહીં. ત્યારે, જે તે સમયે રચાયેલા સાહિત્ય થકી તવારીખિયા ઇતિહાસની ખોજ કરવાનો આયામ પણ ન કરીએ. સમગ્ર જૈનસાહિત્યમાં આગમોનું સ્થાન છે તેવું જ સ્થાન અંગબાહ્ય સાહિત્યનું પણ છે. વારાણસીની પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન' નામની સંસ્થાએ આઠ ભાગમાં ‘જૈન સાહિત્ય ા વૃક્ તિહાસ' પ્રકાશન કરેલું છે. તેના બીજા ભાગ ‘અંવાઘ આગમ’ના લેખકો ડૉ. મોહનલાલ મહેતા અને ડૉ. જગદીશચન્દ્ર જૈન છે. વારાણસીની આ ગ્રંથશ્રેણી જૈન અને જૈનેતરો માટે એટલી જ ઉપયોગી છે. તેથી, એ ગ્રંથશ્રેણીના બીજા ભાગમાં અંગબાહ્ય આગમસાહિત્ય વિશે આપવામાં આવેલી વિગતોનો ખ્યાલ પણ સંક્ષિપ્તમાં આપવાનો પ્રયાસ આ લેખમાં કરવામાં આવ્યો છે. જો, અંગ આગમોની રચના : મહાવીરસ્વામીના ગણધરોએ કરી છે તો અંગબાહ્ય સાહિત્ય એવાં ઉપાંગોની રચના સ્થવિરોએ કરી છે અને છતાં, સમયાનુસાર આચાર્યોએ એ બંને પ્રકારને જોડવાનો પ્રયત્ન કર્યો છે. આ ગ્રંથના બંને વિદ્વાન લેખકોએ અંગબાહ્ય આગમોને પાંચ ભાગમાં વહેંચ્યા છે-એક ઉપાંગ; બે મૂલસૂત્ર; ત્રણ છેદસૂત્ર; ચાર ચૂલિકાસૂત્ર; અને પાંચ પ્રકીર્ણક. ઉપાંગ સાહિત્યમાં બાર ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે—ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાજીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્યપ્રજ્ઞપ્તિ, જમ્બુદ્રીપપ્રજ્ઞપ્તિ,ચન્દ્રપ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા અથવા કલ્પિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા અને વૃષ્ણિદશા. પ્રાચીન સાહિત્યને નિસ્બત છે ત્યાં સુધી તેની રચના વિશે ચોક્કસકાળ કે વર્ષ અથવા વર્ષો નક્કી કરી શકાય નહીં. કાલકાચાર્ય (શ્યામાર્ય)ના કહેવા પ્રમાણે તે સર્વની રચના વિક્રમ સંવત પૂર્વે ૧૩૫થી ૯૪ સુધીમાં થઈ હશે. બીજો ભાગ મૂલસૂત્રોનો છે. મૂલસૂત્રોમાં ચારનો જ સમાવેશ છે–ઉત્તરાધ્યયનસૂત્ર, આવશ્યકસૂત્ર, થાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy