SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૧૪ આગમ સાહિલ્યનો લવબોધ –શ્રી સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ જૈનધર્મમાં શ્રુતજ્ઞાનને અનન્ય સ્થાન પ્રાપ્ત થયું છે. શ્રુતજ્ઞાનનો નાશ થાય, તો જૈનધર્મનો નાશ થાય એમ મનાયું છે. પ્રભુ મહાવીર સ્વામીના ઉપદેશવચનોને એમના પ્રથમ મુખ્ય શિષ્યો કે જે ગણધર કહેવાયા તેમણે સૂત્રરૂપે શબ્દોમાં ગૂંથી લીધા. એના આધારે ચૌદપૂર્વધર વગેરે પૂર્વધરોએ અન્ય સૂત્ર-ગ્રંથો રચ્યા. આ બધા આગમગ્રંથો કહેવાયા. એ ગ્રંથો ઉપર પૂર્વધર મહાપુરુષ શ્રી ભદ્રબાહુ સ્વામીએ નિર્યુક્તિઓ રચી એના પર ભાષ્ય, ચૂર્ણ અને સંસ્કૃત ટીકાઓ રચાઈ. ઘણા આગમોનો સમયના પ્રવાહમાં વિકટ સંજોગોના કારણે નાશ થયા પછી પણ હાલ પિસ્તાલીસ આગમો ઉપલબ્ધ થાય પૂર્વના પ્રતિભાસંપન, કરુણાવંત મહાપુરુષોએ તે તે આગમપદાર્થોનો સહારો લઈ શિષ્ય-પ્રશિષ્યવર્ગમાં સરળતાથી સમજાય એ રીતે આગમપદાર્થોનો પ્રવાહ ચાલુ રહે એ માટે પ્રકરણગ્રંથો રચ્યા. એવા સેંકડો પ્રકરણગ્રંથો આજે ઉપલબ્ધ થાય છે. એ ઉપરાંત કુલકો, ચરિત્રો, કથાઓ, સારોદ્ધાર ગ્રંથો વગેરેની ખૂબ વિશાળ હારમાળા ચાલી આવે છે. આજે પ્રાયઃ દસ હજાર કે તેથી વધુ ગ્રંથો-સાહિત્ય જૈન શ્રુતજ્ઞાનને સમૃદ્ધ બનાવતા ઉપલબ્ધ થાય છે. અંગને સંલગ્ન અવયવ ઉપાંગ કહેવાય. એ જ રીતે શ્રી આચારાંગ વગેરે અંગ સાહિત્યને સંલગ્ન ગ્રંથ ઉપાંગ કહેવાયા. ઉપાંગોની રચના પ્રાયઃ ચૌદ પૂર્વધર મહાપુરુષો કરે છે. હાલ આવા બાર ઉપાંગો ઉપલબ્ધ છે, જેમકે રાજપ્રશ્નીય વગેરે. અંગ શ્રુતમાં પીરસાયેલી બાબતોમાંથી એક ભાગરૂપ જે મહત્ત્વના વિષયના વિશેષ વિવેચનરૂપે અલગ ગ્રંથ પૂર્વધર મહાત્મા રચે તે ઉપાંગ કહેવાય. ઉપાંગ સાહિત્ય સમાવેશ ૪૫ આગમમાં થાય છે અને એમનું મહત્ત્વ અંગસાહિત્ય જેવું જ ગણાયું છે. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા તેમના કેવળજ્ઞાનના સમય દરમ્યાન જે ઉપદેશ આપતા હતા તેને તેમના ગણધરો-શિષ્યોએ અર્ધમાગધી ભાષામાં આગમરૂપે સૂત્રબદ્ધ કર્યો જેને આપણે દ્વાદશાંગી કહીએ છીએ. જૈન પરંપરા પોતાના ધર્મશાસ્ત્રને આગમના નામે ઓળખે છે. આ આગમગ્રંથો નિર્યુક્તિ ભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રો મળીને કરોડો શ્લોકપ્રમાણ સાહિત્ય પ્રત રૂપે હતું. તેમાંનું ઘણું સાહિત્ય કાળક્રમે નાશ થતાં આપણને આજે જે આગમો મળે છે તે આગમશાસ્ત્રો આ મુજબ છે : અગિયાર અંગસૂત્રો, બાર ઉપાંગસૂત્રો, દશ પયના સૂત્રો, છ છેદસૂત્રો, ચાર મૂળસૂત્રો વગેરે. વિશ્વનું કલ્યાણ કરનાર આ મૂલ્યવાન સંપત્તિ સંબંધે લેખને રજૂ કરે છે શ્રી સિદ્ધાર્થભાઈ એન. ભટ્ટ. - વિદ્વાન સર્વત્ર પૂજાય છે એ હકીકત છે, તેમ એ પણ હકીકત છે કે વિદ્વાન સર્વની પૂજા કરે છે. માનવજીવનનું નાનુંમોટું કોઈ ક્ષેત્ર અને વર્ય નથી હોતું, કારણ કે એક વાર ‘તત્ત્વ' સુધી પહોંચવાની દૃષ્ટિ-દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ જાય પછી કોઈ પક્ષાપક્ષીને સ્થાન રહેતું નથી, પછી તે ગૃહસ્થ હોય કે રાજ્યક્ષેત્ર હોય કે ધર્મક્ષેત્ર હોય. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy