SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ આત્માનુભૂતિના જૈન જયોતિર્ધશે ૫. પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) સાધના-આરાધના કરતાં આત્મદર્શન થવા, આત્માનુભૂતિની સ્પર્શના થવી કે પછી આત્મસાક્ષાત્કારના પ્રભાવે ભેદજ્ઞાન ઉત્પન્ન થવું તે બધીય યોગભૂમિકા મોટે ભાગે સવિશુદ્ધ સંયમને આભારી છે. બાકી આરંભ-સમારંભ, રાગ-દ્વેષ કે વિષયકષાયના સંસારમાં બેઠેલા ગૃહસ્થોને તે અનુભૂતિઓ દુર્લભ છે. આત્માનુભૂતિ પ્રગટ થવી, ટકવી, વૈરાગ્ય થવો, સંયમપ્રાપ્તિ થવી, ગુણઠાણે પ્રગતિ થવી, ક્ષપકશ્રેણિ લાગવી, કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થવું વગેરે તો ચરમભવમાં જ શક્ય છે, છતાંય વર્તમાનમાં પણ તેવી જ આત્મોત્થાનની પગદંડીએ સંચરણ કરનારા જે જે મહાત્માઓ થયા તેમાંથી પરિચિત અમુક સાધકોની જીવનસાધના અલ્પાક્ષરમાં અત્રે પ્રસ્તુત છે, જે ફક્ત પ્રભુ મહાવીર પછીના કાળના જીવંત પ્રસંગો જાણવા. કદાચ અનેક મુનિભગવંતોનો ઉલ્લેખ જોવા ન મળે તો તે સ્થળ–સંકોચ તથા ગ્રંથમર્યાદાના કારણે, બાકી તેવા જ સાધકો-આરાધકોને ભાવભરી વંદના. પ્રસ્તુત છે આત્મનુભૂતિના જૈન-જ્યોતિર્ધરોની આછી-આછી માહિતી -સંપાદક લોકો (૧) પ્રભુવીરના અગીયાર ગણધરો ઃબધાય બ્રાહ્મણ મટી શ્રમણ બન્યા તેમાંય ગૌતમ ગણધર તો મન:પર્યવજ્ઞાની બની ગયા હતા. જેમને દીક્ષાનું દાન તેમને થાય કેવળજ્ઞાન તેવી લબ્ધિવાળા હતા. ફક્ત ત્રિપદી સુણી દ્વાદશાંગીની રચના કરી નાખવી તે સામાન્ય ઘટના નથી. પ્રશ્નો પણ પોતા માટે નહીં પણ બાળજીવોના બોધ માટે પૂછનારા, અંતે પ્રભુવીરના નિર્વાણ પછી જ ખરી આત્મસંવેદના અનુભવનારા તેઓ કારતક સુદ ૧ના સૂર્યોદય સમયે કેવળી બની ગયા હતા. તમામ વિદ્વાન પંડિતોના પ્રશ્નોના સમાધાન પ્રભુ પાસે થઈ જતાં જે આત્મજાગૃતિ આવી, તે આજીવન સમર્પણમાં પરિણમી. આજેય પર્યુષણામાં તેમના જીવનગીતો ગવાય છે. (૨) આ. રત્નપ્રભસૂરિજી :-૫૦૦ વિદ્યાધરો સાથે ચારિત્ર આ. સ્વયંપ્રભસૂરિજી પાસે લેનારા તથા વિદ્યાધરપતિ રત્નચૂડમાંથી રત્નપ્રભસૂરિ બનનારા તેમના સમયમાં ઓસિયા નગરીની સ્થાપના થઈ છે. કોઈ પણ જૈન ન હતા તેવા સ્થાનમાં ઓસિયામાં (ઉપકેશનગરમાં) ૩૫ ઠાણા સાથે ઉપવાસ ઉપર ઉપવાસ કરી ચાતુર્માસ કરનારા તેમના પ્રભાવે ઓસવાલ વંશની સ્થાપના થઈ, માંસાહારિણી ચામુંડા દેવીએ માંસાહાર છોડ્યો, એક લાખ એંસી હજાર જૈનેત્તરો જૈન Jain Education International ૧૩૫ બની ગયા, તેવા લબ્ધિધારી આચાર્ય ભગવંતના હાથે થયેલી વિવિધ પ્રતિષ્ઠાઓ વિખ્યાત છે. અંતર્મુખી સ્વભાવને કારણે વિવિધ શક્તિઓ પ્રગટી હતી. (૩) આ. યક્ષદેવસૂરિજી ઃ—કહેવાય છે કે તેમના એક શિષ્ય દ્વારા માણિભદ્ર ઉપર પાત્રાનું પાણી પરઠવી દેતાં યક્ષે કોપાયમાન થઈ તેમને પાગલપણ આપેલ જે આચાર્ય યક્ષદેવસૂરિજીના અભિમંત્રિત જળથી દૂર થઈ જતાં શિષ્ય સ્વસ્થ થયા અને યક્ષને પ્રતિબોધતાં આચાર્ય ભગવંતનું પોતાનું નામ પણ સાર્થક થયું. જાણવા મુજબે બંગાળ પ્રદેશ તરફ વધુ વિચરણ થતાં ત્યાં જેઓ જૈન બન્યા તે બધાંય સરાક તરીકે પ્રસિદ્ધ થયા છે. આચાર્ય ભગવંત સંયમી, તપસ્વી અને આરાધકાત્મા હતા તેથી લબ્ધિઓ લાધી હતી. (૪) મંત્રી અભયકુમાર ઃ—પદાનુસારી લબ્ધિના સ્વામી તેઓ ચારેય બુદ્ધિના ધણી છતાંય જ્યારે પિતારાજા શ્રેણિક પ્રતિનું રાજકર્તવ્ય પૂરૂં થયું જાણ્યું ત્યારે તેમના ક્રોધનો લાભ ઉઠાવી સંસાર ત્યાગી દીધો, પ્રભુવીરને જીવનસમર્પણ કરી દીધું. પોતાની સઘળીય મેધાશક્તિ આત્મવિકાસમાં ગાળી દીધી, જેથી તેમની જેટલી ઘટનાઓ ચારિત્ર પૂર્વેની નોંધાઈ છે, તેનો અલ્પાંશ પણ દીક્ષાજીવનના સ્વીકાર પછી નથી જોવા મળ્યો, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy