________________
શાશ્વત સૌરભ ભાગ-૧
પારમેશ્વરી દીક્ષા લીધી. પાછળથી સૂરિપદને પામ્યા પછી પણ બે શિષ્યોના કાળધર્મ નિમિત્તે બૌદ્ધો સાથેના દ્વેષભાવથી બચી જઈ ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત રૂપે ૧૪૪૦ ગ્રંથો જીવનાંત સુધીમાં લખી નાખ્યા. આગમ, કર્મસાહિત્ય, ન્યાય, અન્યદર્શનની વાતો વગેરે કોઈ પદાર્થો તેમના ગ્રંથથી બહાર નથી રહ્યા તેવા અનુપમ છતાંય આ. હરિભદ્રસૂરિજી નિષ્પક્ષ અને તટસ્થ સંસ્કૃતપ્રાકૃતભાષાના ખાણ હતા. તેમણે પોતાની રચનામાં જૈન અને જૈનેત્તર અનેક દાર્શનિક ગ્રંથકારોના નામ રજૂ કર્યા છે. આ. સિદ્ધર્ષિ, આ. ઉદ્યોતનસૂરિજી, આ. જિનેશ્વરસૂરિજી, આ. વાદિદેવસૂરિજી. આ. દેવચંદ્રસૂરિજી, આ. મલયગિરિજી, આ. પ્રદ્યુમ્નસૂરિજી, ક.સ.આ. હેમચંદ્રાચાર્યજી તથા ઉપાધ્યાય યશોવિજયજી જેવા તત્ત્વવેતાઓએ પણ પોતપોતાની રચનાઓમાં આ. હરિભદ્રસૂરિજીને ભાવવંદના પાઠવી છે. સ્વયં ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સાહેબે પણ લેખકશ્રી (મને) સમરાઈચ્ચકહાગ્રંથ ચારિત્રજીવનમાં સર્વપ્રથમ ભણાવેલ, પછી જ ઉપમિતિભવપ્રપંચકથા લીધેલ હતી. આ. હરિભદ્રસૂરિજી લગભગ વિ.સં. ૭૮૫ની સાલમાં દેવલોકને પામ્યા છે.
નય અને સ્યાદ્વાદના અદ્ભુત જ્ઞાનપુંજથી પ્રકાશિત ‘દ્વાદશાર નયચક્ર'ના રચયિતા
(૧૫) આચાર્યશ્રી મલ્લવાદીસૂરિજી
મહારાજા
શ્રુતદેવી દ્વારા આંચકી લેવાયેલ નયચક્ર જેવા નામનો ગ્રંથ પાછો મેળવવા મલ્લમુનિએ કરેલી સરસ્વતીની આરાધના અને તેણીની જ કૃપાથી પાછળથી મળેલ વાદશક્તિથી બૌદ્ધોને હરાવી દસ હજાર શ્લોક પ્રમાણ નયચક્ર શાસ્ત્ર રચનાર, ઉપરાંત પદ્મચરિત્ર, સન્મતિતર્કની ટીકા વગેરે અનેક નૂતન ગ્રંથો રચ્યા છે. તેવી જ રીતે પ્રથમ આ. માનદેવસૂરિજી કે જેમની આચાર્ય પદવી વખતે સંઘ ઉપર સ્વયં લક્ષ્મી અને સરસ્વતી આવીને બેઠી હતી, તેથી ચારિત્રના પતનનો ભય દૂર કરવા જેમણે છએ વિગઈનો જીંદગીભર માટે ત્યાગ કરી દીધેલ તથા તે પછી તપ, બ્રહ્મચર્ય અને જ્ઞાનના અજવાળાથી આકર્ષાઈ જયા, વિજ્યા, અપરાજિત તથા પદ્મા નામની ચાર શાસનદેવીઓ જેમની પાસે નિત્ય વંદન કરવા આવતી હતી, જ્યારે મ્લેચ્છોના વ્યંતરોના કારણે તક્ષશિલા નગરીમાં મહામારીનો ઉપદ્રવ થયો ત્યારે છેક નાડોલમાં બેઠા બેઠા લઘુશાંતિ અને તિજયપહુત્ત સ્તોત્ર રચી આપી મહામારી દૂર કરાવી છે. રજપૂતોને પ્રતિબોધી વી.સં. ૭૩૧માં ગિરનારથી અનશન સાધ્યું.
Jain Education International
૧૩૩
ચોથી આગમવાચના દ્વારા શ્રુતજ્ઞાનને રક્ષિત અને અસ્ખલિત બનાવનારા
(૧૬) આચાર્યશ્રી સ્કંદિલસૂરિજી મહારાજા ઉત્તર મથુરાના બ્રાહ્મણમેઘરથના સુપુત્ર, છતાંય વૈરાગ્યથી દીક્ષા લઈ આચાર્યપદ સુધી પહોંચ્યા છે. વીર નિર્વાણની નવમી સદીમાં થયેલ હૂણો અને ગુપ્તોના ખુંખાર યુદ્ધ પછી જૈનાચાર્ય મલ્લવાદીજીએ બૌદ્ધોને હરાવ્યા તે પછી આ. સ્કંદિલસૂરિજીએ મથુરામાં અને આ. નાગાર્જુનસૂરિજીએ વલ્લભીપુરમાં વિશાળ મુનિ સંમેલન કરી ચોથી આગમવાચના કરાવી, જિનાગમોને ગ્રંથારૂઢ કરાવ્યા છે. આર્ય જંબૂ તથા આર્યહિમવંતે પણ પૂરો સહયોગ આપ્યો. આ. ગોવિંદ તથા આ. મલ્લવાદિસૂરિજીએ પણ ચોથી આગમવાચના પછી સ્મરણશક્તિનો હ્રાસ જાણી જૈનાગમો પુસ્તકારૂઢ કરાવ્યા જેમાં તેમના શિષ્ય ગંધહસ્તિએ ત્રણ પૂર્વ જેટલું જ્ઞાન ગ્રંથસ્થ કર્યું. જેમાં મથુરાના શ્રાવક પોલાકે અંગ, વિવરણો તથા ભાષ્યો વગેરેને તાડપત્ર ઉપર લખાવી આપી શ્રુતભક્તિનો લાભ લીધો તથા આચાર્ય સ્વયં મથુરામાં જ કાળધર્મ પામ્યા.
ઉપદેશમાલા'ના રચયિતા
(૧૭) રાજર્ષિ ધર્મદાસગણિ મહત્તર તથા અન્ય શ્રુતધરો
પરમાત્મા મહાવીરના હસ્તે દીક્ષિત અવધિજ્ઞાની ધર્મદાસગણિની રચના ઉપદેશમાળા આજેય વિદ્યમાન છે. તેમ આ. શિવશર્મસૂરિજી રચિત કમ્મપડિ તથા પાંચમો કર્મગ્રંથ, આ. ચંદ્રર્ષિ મહત્તર રચિત પંચસંગ્રહ વાચક શ્રીસંઘદાસગણી મહત્તર રચિત વસુદેવહિંડી, પૂર્વધર આ. વિમલચંદ્રસૂરિજી રચિત પઉમચરિયું અને હિરવંશચરિયું ગ્રંથ, આ. ઉદ્યોતનસૂરિજીની પ્રાકૃત કુવલયમાલાથી લઈ આ. માનતુંગસૂરિજી રચિત ભક્તામર સ્તોત્રપાઠ વગેરે રચનાઓ આજેય પણ તે તે જ્ઞાનીપુરુષોની સ્મૃતિસ્વરૂપ શ્રુતખજાના રૂપે આપણી પાસે છે. કહેવાય છે કે વિશિષ્ટ પૂર્વધરો વિ.સં. ૧૯૦ સુધી થયા પછી ફક્ત શ્રુતધર જ રહ્યા અને શ્રુતધરો પણ મુખ્યતયા આ. હરિભદ્રસૂરિજીના સ્વર્ગગમન કાળ વિ.સં. ૭૮૫ સુધી થયા, છતાંય પાછળથી પણ વિશિષ્ટ ગ્રંથો રચનારા આ. સિદ્ધર્ષિ જેમણે ઉપમિતિ ભવપ્રપંચકથા રચી છે તેવા જ સમર્થ હતા. આ જિનદાસગણી મહત્તર આ. વુટ્ટવાઈ. આ. વટેશ્વર વગેરે વગેરે તેથી જ પ્રસ્તુત લેખમાળામાં આ. હિરભદ્રસૂરિજી પછીના પણ અમુક વિશિષ્ટ
For Private & Personal Use Only
www.jainelibrary.org