SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ જિનદર્શનના શ્રુતધરો જ્ઞાનપીપાસુઓને જિનદર્શનનું શ્રુતજ્ઞાન આજ સુધી એકધારૂં ઉપકાર કરી રહ્યું છે. તેમાં લોકસમાજમાં અને વિશ્વના પ્રાંગણમાં કેવળીકથિત આગમોની જ્ઞાનગંગાને ઘટ-ઘટ અને ઘર-ઘરમાં સ્થિર કરી ચિરંજીવી ઉપકાર કરવાનું કાર્ય કષ્ટો વેઠીને પણ જે જે શ્રુતધરોએ કર્યું છે તેનો આછેરો પરિચય આ લેખમાળામાં ‘જિનદર્શનના શ્રુતધરો' શીર્ષકથી આપવામાં આવ્યો છે. જેથી આપણી શ્રુતભક્તિ કિંચિત અંશે પણ થાય તેવી ભાવના રાખી છે. શ્રુતગંગાની વહેતી ધારાને અવિરત રાખનાર જ્ઞાનપ્રેમીઓ, જ્ઞાનસંરક્ષકો તથા જ્ઞાનપ્રચારકો અને આરાધકોને સર્વપ્રથમ અભિવંદન સાથે અભિનંદન. ચાલો શ્રુતધરોના મહાયુગશ્રમને વધાવવા અતિ સંક્ષેપમાં લખાયેલ નિમ્નાંકિત મુદ્દાઓ વાંચીએ–વાગોળીએ. આવશ્યક સૂત્ર, વિવિધ તીર્થકલ્પ વગેરે ગ્રંથોમાં પ્રભુવીરના અગીયાર ગણધરોના પ્રેરક પરિચયો સાથે તેઓની લબ્ધિઓનું રસમય વર્ણન કંડારાયેલું છે. આ ગણધરોની નિર્મળ નિસ્વાર્થ જીવનસાધના, પરગજૂ પ્રકૃતિ અને એ યુગના દશે દિશાના સુવિખ્યાત મહાપંડિતો હતા. (૧) માનવંતા શ્રુતસર્જકો ૧૧ ગણધરો મગધ દેશથી લઈ અડધા કૈક્ય દેશ સુધી સતત વિચરણ કરી સમ્યક જ્ઞાન અને ધર્મપ્રચાર કરનાર તથા સાડીપચીસ આર્યભૂમિમાં વિચરી તે તે સ્થાનને શ્રુતજ્ઞાનથી ભાવિત–પાવિત કરનાર શાતનંદન મહાવીર પ્રભુને કોટિવંદના. વૈશાખ સુદ ૧૧ના શુભદિને તીર્થપતિ વીર ભગવાનના શ્રીમુખે ફક્ત ત્રિપદી સાંભળી અંતર્મુહૂર્તમાં જ દ્વાદશાંગીની રચના કરી દેનાર તથા વિરાટવિશ્વને જ્ઞાનવારસો ભેંટ ધરનાર શ્રી ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્તસ્વામી, સુધર્માસ્વામી, મંડિત, અપિત, અચલભ્રાતા, મેતાર્ય તથા પ્રભાસ સ્વામી નામક અગીયાર ગણધરોના ચરણકમળમાં નતમસ્તક ભાવવંદના, જન્મે બ્રાહ્મણ, કર્મે શ્રમણ તથા જીવનકવનથી વૈશ્રમણ જેવા, તે બધાંય વિદ્વાનો ગૃહસ્થીમાં ૧૪ વિદ્યાના જ્ઞાતા હતા અને ચારિત્રપ્રાપ્તિ પછી દ્વાદશાંગીના સર્જક, ગણિપિટકના ધારક તો બન્યા જ પણ Jain Education International ——૫. ૪. જયદર્શનવિજયજી મ.સા. ૧૨૯ -સંપાદક For Private & Personal Use Only સાથે પંચમજ્ઞાન કૈવલ્યને સંપ્રાપ્ત કરી એક એક માસના ઉપવાસ કરી વૈભાગિરિ પર્વતથી નિર્વાણને સાધનારા પણ થયા છે. ભરતક્ષેત્રે વર્તમાન ચોવીશીના અંતિમ કેવલજ્ઞાની– મોક્ષગામી આચાર્ય શ્રી જંબૂસ્વામીજી મહારાજા (૨) આર્ય જંબુસ્વામી આજ સુધી જેમની રચેલ દ્વાદશાંગી જગત ઉપર ઉપકાર વરસાવી રહી છે, તેવા દીર્ઘ આયુષ્યમાન સુધર્માસ્વામીના શિષ્ય રૂપે ફક્ત ૧૬ વરસની ઉમ્ર આઠ-આઠ ક્રોડાધિપતિની કન્યાઓને ત્યાગી પ્રભુવીરના પ્રવજ્યા પંથે સંચરનાર જંબુકુમાર વીરનિર્વાણ પૂર્વે ૧૬ વરસે જન્મ્યા હતા. અન્ય દસ ગણધરોના શિષ્યો સુધર્માસ્વામીની આજ્ઞામાં આવી ગયેલ હોવાથી તેમની દ્વાદશાંગી છિન્ન થઈ ગઈ હતી, જ્યારે આર્ય જંબુસ્વામી તો ટૂંક સમયમાં જ સુધર્માસ્વામી પાસે રહી શ્રુતકેવલી બની ગયા અને વીસમા દીક્ષા પર્યાયમાં તો કેવલી પણ બની એંશી વરસ સુધીનું આયુભોગવી પ્રભવસ્વામીને વારસો સોંપી અંતિમ કેવળી સ્વરૂપે મોક્ષે સીધાવી ગયા. આબાલ બ્રહ્મચારી આવા અનુપમ શ્રુતધરના નિર્વાણ સાથે જ મન:પર્યવજ્ઞાન, ૫૨માવધિજ્ઞાન, પુલાકલબ્ધિ, આહારકકાયલબ્ધિ, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય તથા યથાખ્યાતચારિત્ર, કૈવલ્યજ્ઞાન અને મોક્ષ એમ દશ ઉત્તમ વસ્તુઓ પણ વિચ્છેદ પામી ગઈ. www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy