SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ધન્ય ધરા: ૧૧. ૧૫ પ્રકારના ભેદમાંથી કોઈપણ ભેદથી આત્મા સિદ્ધગતિ પામવા માટે તૈયાર હોય. કાળચક્ર આરા અને મોક્ષાભિલાષીની થોડી વિચારણા કર્યા પછી મૂળ વાત મોક્ષમાર્ગના પ્રરૂપક, ઉદ્દઘાટક દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની તરફ નજર દોડાવીએ. તીર્થંકર પરમાત્મા પૂર્વે જણાવ્યું તેમ કોઈ મોક્ષગામી આત્માની કૃપાના કારણે વ્યવહારરાશિમાં પધારે છે. ત્યારપછી અનેકાનેક જન્મ-મરણ બાદ છેલ્લેથી ત્રીજા ભવે વીશસ્થાનક તપની ઉત્કૃષ્ટ રીતે ત્રિવિધ આરાધના કરી તીર્થકર નામકર્મની નિકાચના કરે છે. સવિ જીવ કરું શાસન રસી ની ‘ભાવદયા’ રોમેરોમમાં પ્રસરાવી–વિકસાવી અંતે એ જીવ પાયાનું ચણતર કરી તીર્થંકર પદ પ્રાપ્ત કરવાની લાયકાત પ્રાપ્ત કરે છે. | તીર્થંકરના ભવમાં નમુસ્કુર્ણ સૂત્રમાં વર્ણવેલ ૩૫ ગુણધારક બની અનંતગુણના સ્વામી થાય છે. જન્મથી જ અતિશયવાન એવા વીતરાગી પ્રભુ આ લોકમાં અનંતબળના સ્વામી કહેવાય છે. ૧૮ દોષથી રહિત અને ૧૨ ગુણથી યુક્ત પરમાત્મા પહેલા વજઋષભનારા સંઘયણવાલા હોય છે. જન્મથી ત્રણ જ્ઞાનના ધણી દીક્ષા સ્વીકારતાં ચોથા મનઃ પર્યવજ્ઞાનવાલા થાય છે. દીક્ષા પછી છદ્મસ્થ અવસ્થામાં ઉપસર્ગ સહી, ધ્યાન-તપ કરી જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી સંપૂર્ણ એવા કેવળજ્ઞાન અને દર્શનના ધારક બને છે. આ રીતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ જિનની કક્ષાએ એ આત્મા પહોંચે છે. અપ્રમત્તપણે આટલો દીર્ધકાળ પૂર્ણ થયા પછી વીતરાગી પ્રભુ સમવસરણમાં બેસી બારે પર્ષદા આગળ આત્મકલ્યાણ કરાવનારી મોક્ષમાર્ગ દર્શાવનારી દેશના-ઉપદેશ આપે છે, જે શ્રવણ કરી તરત જ ભવિ જીવો સર્વવિરતિ ધર્મ અંગીકાર કરે છે. આ રીતે ગણધરપદની અને ચતુર્વિધ સંઘની કરુણાલુ પ્રભુ સ્થાપના કરે છે. સંઘની સ્થાપના કે મોક્ષમાર્ગની પ્રરૂપણા નવા તીર્થંકર ભ.ની અપેક્ષાએ વ્યાવહારિક રીતે બરાબર છે. બાકી અનંતકાળથી સંઘ-મોક્ષમાર્ગ–આત્માની વાતો દરેક તીર્થકર ભગવંતોના શ્રીમુખે સર્વ પ્રથમ થાય છે અને આ રીતે પર્યાયાંતકતુ ભૂમિ'ના નિયમે પ્રભુના કેવળજ્ઞાન પછી મોક્ષમાર્ગ ભરતક્ષેત્રને આશ્રયી શરૂ થાય અને “યુગાંતકતુ ભૂમિ'ના હિસાબે તીર્થપતિ ભગવાનના નિર્વાણ પછી અમુક વર્ષ સુધી ભરતક્ષેત્રમાં એ ચાલુ રહે છે (મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ મોક્ષમાર્ગ ચાલુ રહે છે). દેવાધિદેવ જ્યારે ભાવ જિન તરીકે સમવસરણમાં બિરાજી ધર્મદેશના આપે છે ત્યારે બારે પર્ષદા એ વાણી પ્રભુ આપણા માટે જ આપે છે એવા શુદ્ધભાવે સાંભળે, જેના કારણે મનુષ્ય તો ઠીક પણ તિર્યંચો-દેવો પણ એ દેશના સાંભળી ભાવના ભાવે-સંકલ્પ કરે કે ક્યારે દુર્લભ એવો મનુષ્ય ભવ પામી અલ્પ કાળમાં સંયમી થઈ ઘાતી કર્મનો ક્ષય કરી કેવળી થઈ મોક્ષમાં શાશ્વતા સુખનો સ્વામી બનીશ. મોક્ષમુક્તિ-સિદ્ધગતિ ગમે તે કહો તેનો પરિચય નમુત્યુર્ણ સૂત્રમાં વિશેષણ દ્વારા “સિવ–મય-મરૂઅ-મહંતમખિય-મખ્વાબાહ-મપુણરાવિત્તિ” શબ્દ દ્વારા પણ જ્ઞાની પુરુષોએ શબ્દાતીત હોવા છતાં શબ્દમાં આપ્યો છે. એ જાણીકરુણાના સાગર પ્રભુએ જે ઉપકારની દૃષ્ટિએ મોક્ષમાર્ગને જે રીતે જીવમાત્ર માટે કહ્યો છે તે ત_સ્વરૂપે સમજી જીવન ધન્ય કરીએ એ જ મંગળ કામના. જે મનુષ્ય-મરૂદેવા માતા ભ. ઋષભદેવના કેવળજ્ઞાન પછી કેવળી થઈ મોક્ષે ગયાં. જ તિર્યંચ-નંદમણિયારનો જીવ દેડકાના ભવમાં આયુ પૂર્ણ કરી દેવ થયો. દિ કંબલ-સંબલ વાછરડા મટી દેવ થઈ ભ.ની ભક્તિ કરી ધન્ય બન્યા. ચંડકૌશિક સર્પ ક્રોધ ત્યજી પ્રભુ વીરના બે શબ્દથી તરી ગયા. દિ મેઘરથ રાજાએ જીવદયા પાળવામાં પોતાની કાયા અર્પણ કરી. અહંન્તોએ કોને માટે મુક્તિનાં દ્વાર ' ખોલ્યાં ? આત્માના અસ્તિત્વ માટે ૧. આગમ પ્રમાણ, ૨. પ્રત્યક્ષ પ્રમાણ, ૩. અનુમાન, ૪. ઉપમાન, ૫. અર્થાપત્તિ અને ૬. સંભવ પ્રમાણ જાણવાલાયક પડે છે. એક રીતે આત્મા શાશ્વતો છે, જ્યારે મોક્ષ એ આદિ અનંત સ્થિતિ વાળો છે. તે જ રીતે અહંન્તો જ્યારે ૪ ઘાતી કર્મરહિત થાય ત્યારે જ મુક્તિનાં દ્વારની પ્રરૂપણા–ઉપદેશ આપી દ્વાર ખોલે છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy