________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ઉદ્ઘાટન..... મુક્તિકારનું
[ અર્હન્તોએ કોના માટે મુક્તિદ્વાર ખોલ્યાં? ]
ભૌતિક જગતને પ્રકાશનાર સૂર્ય હશે પણ સ્વજ્ઞાનબળે ત્રણેય લોકમાં ઉદ્યોત કરનાર અરિહંત પ્રભુ છે. તીર્થંકર જેમનું બીજું પર્યાયવાચી નામ છે તેવા અહંતોએ કોને કોને માટે મુક્તિદ્વાર ખોલી આપ્યાંના બદલે પ્રશ્ન એવો ઉદ્ભવે કે પરમાત્માની કૃપા થયે કોણ શિવસુખના સ્વામી ન બની શકે?
પ્રવર્તક પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્ર વિજયજી મ.
૧૨૩
અરિહંતપ્રભુ થકી જ ચંડકૌશિક જેવાં તિર્યંચો પ્રગતિ પામી દેવલોકે જાય કે હિરણૈગમિષી જેવા દેવો પણ વિરક્તિ પામી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ બને અથવા ગૌતમાદિ ગણધરો મુક્તિપુરીને સાધી જાય તેમાં આશ્ચર્ય નથી, પણ નારકીના ભવમાં પણ જિનશાસનથી ભાવિત જીવો દુ:ખો વેઠી નિર્ણય કરી શકતા હો તો તેને અરિહંત પરમાત્માએ પ્રરૂપેલ સદ્ધર્મનો જ પ્રભાવ ગણાય. સામાન્ય કેવળી પણ મોક્ષે સિધાવે પણ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી, કરોડો દેવોની સેવા છતાંય અરિહંત અહંતોનાં પાંચેય કલ્યાણકોની આરાધના પણ કલ્યાણકારી રૂપે પરિણમે તેવા કરુણાનિધાન તીર્થપતિની પરમભક્તિનો પાયો કહેવાય છે. કવિએ કદાચ તેટલા માટે જ ગાયું લાગે છે કે “જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો.’’
આ લેખમાળા રજૂ કરનાર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.ના સમુદાયના સાહિત્યોપાસક પૂ. પ્રવર્તક મુનિશ્રી હરીશભદ્રવિજયજી મહારાજ દ્વારા સંકલિત આ લેખશ્રેણીને શ્રદ્ધા-ભક્તિથી વાંચશુ તો આપણી ધર્મસાધનામાં જરૂર પ્રગતિ થશે જ. પરીક્ષાઓ, પાઠશાળાઓ, શિક્ષક-શિક્ષિકાઓનાં અધ્યયન, ઓપનબૂક, પરીક્ષા, બુદ્ધિચતુરાઈ વગેરે માધ્યમ દ્વારા જૈનદર્શનનું સરળ જ્ઞાન આપવાની તેઓની પ્રબળ ભાવના ખરેખર પ્રશંસાપાત્ર છે.
પૂજ્યશ્રીની જન્મભૂમિ મુરબાડ, પિતા શ્રી અમૃતલાલભાઈ, માતા રૂક્ષ્મણીબહેન, બાર વર્ષની કુમળી વયે સં. ૨૦૦૫માં મહા વદ-૫-મુરબાડ મુકામે સંયમનો સ્વીકાર કર્યો. તેમના સાહિત્યરસથાળમાં ઘણાં જ સચિત્ર પ્રકાશનો તેમજ તત્ત્વબોધ પરીક્ષાનાં પુસ્તકો જગપ્રસિદ્ધ બન્યાં છે. પોતાના સંસારી પરિવારમાં 'ધ ભાવના વધે તે માટે પાલિતાણા તીર્થમાં ચાતુર્માસ અને કુંભોજગિરિમાં ૯૯ યાત્રા પણ કરાવી હતી.
Jain Education International
ઉદાત્ત ધ્યેયથી ઘણા જ્ઞાનની સાધના કરે છે. તેઓમાં એક આ લેખમાળાના લેખક પ્રવર્તક સાહિત્યોપાસક પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મહારાજ, તેઓશ્રીના ગુરુ સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજશ્રીએ બાળસાહિત્યની ધૂમ મચાવી હતી. શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નામની સંસ્થા ૧૬૫ - ૧૯૪૮માં સ્થાપી તેના દ્વારા પાઠશાળાઓમાં અર્થજ્ઞાનનો પ્રચાર કર્યો હતો.
પૂ. મુનિશ્રીએ ગુરુની સાથે રહી બાળસાહિત્ય પ્રકાશન પ્રચારનો યજ્ઞ માંડ્યો. ૬૦ વર્ષના સંયમીજીવનમાં અર્થનાં સચિત્ર, સુંદર, બાળબોધ પ્રકાશનો પ્રગટ કર્યાં, તેમાં ‘કરોળિયાની જાળ’, ‘મારો સોહામણો ધર્મ',
For Private & Personal Use Only
www.jainelibrary.org