SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી * લોકાની સમજને માટે કામશાસ્ત્રને લગતા સક્ષિપ્ત ગ્રન્થાની પણુ સંખ્યાબંધ રચનાએ થઇ છે. સ્વ. વૈદ્યરાજ શંકર દાજી પદેએ તૈયાર કરેલી આયુર્વેદીય પુસ્તકોની યાદીમાં તથા ઔફેટના કૅટેલાગસ ફેંટેલાગેારમ્’માં એવાં આશરે ચાલીસેક પુસ્તકાનાં નામ મળી આવે છે, જેમાંથી કચૂડામણિ, અનગરગ, રતિરહસ્ય, નાગરસસ્વ, રિતમંજરી, પોંચસાયક, સ્મરદીપિકા, રતિરત્નપ્રદીપિકા, સુચિમારતન્ત્ર, વગેરે મુદ્રિત થયેલાં છે અને તેમાંનાં કેટલાકના દેશી ભાષાએમાં તે જ યુરે।પીય ભાષાઓમાં પણ અનુવાદે થયેલાં છે. આમ, હિન્દમાં કામશાસ્ત્રવિષયક જ્ઞાન કેટલું પ્રાચીન છે તે જણાઇ આવશે. આરેાગ્યવિષયક અન્ય શાસ્ત્રાની જેમ આ શાસ્ત્રની પણ સૌથી પ્રથમ પ્રતિ દુનિયાભરમાં હિન્દુ જ કરી હતી એમ કહેવામાં કાઇ જાતના ઇતિહાસવરાધ નથી. તેની આટલી પ્રાચીન ઐતિહાસિક પરંપરા અને શાસ્ત્રીય ચર્ચા અન્ય કાઇ પણ દેશમાં મળતી નથી. કામશાસ્ત્રના સાચા જ્ઞાનથી પાશ્ચાત્યેા એ સમયે અજાણ હતા. ગ્રીસ અને રામમાં પ્રતિષ્ટિત લેાકા પણ સજાતીય સંયેાગને સ્ત્રીપુરુષના સચેગ જેટલા જ કુદરતી માનતા—અને તે પણ એટલે સુધી કે સ્ત્રીપુરુષના પ્રેમની જેમ, સજાતીય પ્રેમના વિષય પર પણ કાવ્યા લખાયાં છે! જર્મન અને ફ્રેન્ચ ભાષામાં ડેડ સેાળમી-સત્તરમી સદી સુધી એ પ્રકારની નવલકથાઓ અને કાવ્યા થાક^ધ લખાયાં છે. પાછળથી વૈવિદ્યાની પ્રગતિ થતાં, વાસ્તવિક વસ્તુસ્થિતિ જણાતાં એવા સાહિત્યપ્રકાશન સામે પ્રચારકાર્ય થવા લાગ્યું. જાતીય વિકૃતિએ સર્વ સ્થળે છે અને હિન્દમાં પણ હતી તે તત્કાલીન અનેક ઉલ્લેખ પરથી જણાઇ આવે છે. પરંતુ પ્રાચીન ભારતવાસીઓ વિકૃતિને વિકૃતિ તરીકે જ પિછાનતા હતા, એ જ વસ્તુ મહત્ત્વની છે. Jain Education International ૨૪૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy