SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પથપ્રદર્શક સુરેશ પુરષોત્તમદાસ દલાલ - રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં...” જેવા લોકપ્રિય ગીતોના સર્જક શ્રી સુરેશ દલાલ. પ્રણયની અનુભૂતિ, પ્રણયની પ્રસન્નતા, પ્રણયના આવેગ, પ્રણયની મસ્તી -આ બધું સુરેશ દલાલનાં કાવ્યોમાં ભરપૂર જોવા મળે છે. એમ કહી શકાય કે તેઓ મુખ્યત્વે પ્રણયના કવિ છે. પ્રકૃતિની સાથે-સાથે પ્રણયનાં સંવેદનો ગૂંથી લેવા એમને માટે સહજ છે. પ્રણચના સૂક્ષ્મ ભાવ અને મધુર લચસોંદર્યથી નીતરતાં ગીતો તેમની આગવી ઓળખ છે. વળી આધ્યાત્મભાવને પ્રગટ કરતી ભક્તિરચનાઓ પણ તેમણે આપી છે. તેમણે રચેલાં “ઇટ્ટાકિટ્ટા', “ધીંગામસ્તી', ટાંગાટોળી’નાં બાળકાવ્યો બાળકો નાચતાં-કૂદતાં, હોંશથી ગાઈ શકે એવાં મધુર અને સરળ હોય છે. તો કાવ્યત્વની છાંટવાળી સામાજિક ઘટનાઓ, દેશ-વિદેશની વિશિષ્ટ વ્યક્તિઓ અને સાહિત્યનો આસ્વાદ કરાવતા તેમના નિબંધો એમની સિદ્ધહસ્ત કળાનો અંશ છે. તારીખનું ઘર', ‘હસ્તાક્ષર', “રોમાંચ”, “સાતત્ય', “પિરામિડ' જેવા અનેક વિષયો અને વિવિધ શૈલીના કાવ્યસંગ્રહો તેમણે આપ્યા છે. નામ : કી = હે ' સુરેશ દલાલ ધીર પરીખ - ડો.ધીરુ પરીખ કવિ, વાર્તાકાર, વિવેચક અને ચરિત્રકાર છે. સાહિત્યક્ષેત્રે તેમણે “કાળમાં કોર્યા નામ', “આગિયા', “અત્રત્ય તત્રત્ય', “ઉઘાડ', અંગાપચીસી' જેવાં પુસ્તકોનું પ્રદાન કરેલ છે. “રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ' મહાનિબંધ તેમણે શ્રી કે.કા.શાસ્ત્રીના માર્ગદર્શન નીચે લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમની કવિતા નાજુક ચિત્રાંકનો, સ્વચ્છ કાવ્યબાની અને સુઘડ છંદોવિધાનથી જુદી તરી આવે છે. તેમણે મુક્તકો, હાઇકુ અને ગીતો પણ લખ્યાં છે. ચરિત્રાલેખન એ તેમના શોખનો વિષય છે. ઈશ્વરચંદ્ર વિધાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ.મોટા જેવા મહાનુભાવોનાં હૃદયંગમ ચરિત્રો આલેખ્યાં છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને કુમારચંદ્રક તથા જયંત પાઠક પુરસ્કાર એનાયત થયેલ છે. તેઓ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના ભાષાસાહિત્ય ભવનના ગુજરાતી વિભાગના નિવૃત્ત અધ્યક્ષ છે. હાલ તેઓ “કુમાર' અને “કવિલોક' સામયિકોનું સફળ તંત્રી તરીકે યોગદાન આપી રહ્યા છે. ટ ધીર પરીખ ભગવતીકુમાર હરગોવિંદદાસ શમ - જેના અણુએ અણુમાં સર્જનનો રસ સભર છે એવા બહુમુખી પ્રતિભા ધરાવનાર આ સાહિત્યકારે સાહિત્યના દરેક પ્રકારમાં ગણનાપાત્ર સર્જન કર્યું છે. નવલિકા, નિબંધ, વિવેચન, કવિતા વગેરે સાહિત્યનાં સ્વરૂપોમાં એમનું મહત્ત્વનું પ્રદાન છે. “અસૂર્યલોક” અને “ઊર્ધ્વમૂલ’ જેવી ઉત્તમ નવલકથાના આ રચયિતાએ નવા-નવા વિષયો અને અભિનવ કથનરીતિથી સાહિત્યજગતમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કાવ્યોમાં પણ સેનેટ, ગીત, ગઝલ તથા છાંદસ અને અછાંદસ કવિતાઓ તેમની પાસેથી મળે છે. રસપૂર્ણ કલ્પનો, અલંકારો અને ભાષાની લઢણ એમનાં કાવ્યોની વિશેષતા રહી છે.. “સંભવ” અને “છંદો છે પાંદડાં જેનાં!' તેમની કાવ્યકૃતિઓ છે. તેમની અન્ય જાણીતી કૃતિઓમાં “આરતી અને અંગાર', “સમયદ્વીપ', “વ્યર્થ કક્કો, છળ બારાખડી', “અડાબીડ' છે. “શબ્દાતીત' તેમનો નિબંધસંગ્રહ છે. પત્રકારત્વના ક્ષેત્રે તથા કટારલેખક તરીકેની એમની નામના એટલી જ મહત્ત્વભરી છે. - ક ભગવતીકુમાર શર્મા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy