SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ર કુંદનિકા કાપડિયા પ્રિયકાન્ત મણિયાર - પ્રિયકાન્ત મણિયારનું નામ સાંભળતાં જ રાધા-કૃષ્ણના સંદર્ભે લખાયેલ ગીત ‘આ નભ ઝૂક્યું તે કાનજી, ને ચાંદની તે રાધા રે' યાદ આવે જ આવે ! પ્રિયકાન્ત શૃંગારના કવિ છે. ઉત્કટ પ્રણય-શૃંગારના મધુર મનોરમ ચિત્રો તેમની પ્રણય કવિતામાં આલેખાયાં છે. સૌંદર્યરાગ અને પ્રતીકરાગથી છલકાતાં પ્રાસ અને લયના બુટ્ટાઓથી મઢાયેલાં પ્રેમસંવેદનાનાં રમણીય કલ્પનાસભર ગીતો તો પ્રિયકાન્તનાં જ હોય ! કવિએ ગીતોમાં લોકગીત, ભજન અને ગરબીઓના વિવિધ ઢાળોને પ્રયોજ્યા છે. માનવજીવનની ઘેરી કરુણાનો સ્પર્શ પણ કેટલાંક કાવ્યોમાં જોવા મળે છે. શહેરીજીવનની ભીંસ અને યાતનાઓની કટાક્ષપૂર્ણ વિડંબના કરતી કાવ્યકૃતિઓ પણ તેમણે રચી છે. માનવજીવનની વ્યર્થતા આ કાવ્યોમાં પ્રતિબિંબિત થઈ છે. 'પ્રતીક', 'રપશ', પ્રબળ ગતિ', 'લીલેરો ઢાળ' વગેરે તેમની જાણીતી કૃતિઓ છે. ‘પ્રબળ ગતિ’માં અમેરિકાપ્રવાસના ફળ રૂપે જન્મેલી ગધમય કવિતા છે. બકુલ ત્રિપાઠી Jain Education International કુંદનિકા કાપડિયા - પ્રગતિશીલ, સુધારક અને જીવનલક્ષી નવલિકા તથા નવલકથાના સુપ્રસિદ્ધ લેખિકા શ્રીમતી કુંદનિકા કાપડિયા, તેમની સાહિત્યદૃષ્ટિ અને કલાત્મક અભિગમ પ્રશસ્ય છે. એમણે ‘દ્વાર અને દીવાલ’માં ગૃહજીવનના આદર્શના સ્ત્રીઉપયોગી નિબંધો આપ્યા છે. ટૂંકી વાર્તા અને નવલકથાના તો તેઓ સિદ્ધહસ્ત લેખિકા છે. ‘પ્રેમનાં આંસુ', ‘વધુ ને વધુ સુંદર’, ‘જવા દઈશું તમને' વગેરે એમના વાર્તાસંગ્રહો જીવનદર્શનના સૌંદર્ય વચ્ચે સંવેદનશીલતાને ઉજાગર કરે છે. પરોઢ થતાં પહેલાં', ‘અગનપિપાસા’ અને ‘સાત પગલાં આકાશમાં' એમની ત્રણ નવલકથાઓ છે. પુરુષપ્રધાન સમાજમાં ખળભળાટ મચાવનાર ‘સાત પગલાં આકાશમાં’ હકીકતમાં તો સ્ત્રીને સ્વતંત્રતાનું આહ્વાન છે. એમના વિચારોમાં મુક્તિના આકાશ તરફની યાત્રામાં સમાનતા-સ્વતંત્રતા આવશ્યક પહેલું પગથિયું છે. સ્ત્રીઓનું મહત્ત્વ આંકવાના આગ્રહી કુંદનિકાબેનનું લક્ષ્ય કળા અને સાધના પ્રતિ છે. પથપ્રદર્શક પ્રિયકાન્ત મણિયાર બકુલ ત્રિપાઠી - હાસ્ય-વ્યંગના ઉત્કૃષ્ટ કોટિના સાહિત્યકાર શ્રી બકુલ ત્રિપાઠી. એમનો પ્રથમ સંગ્રહ ‘સચરાચરમાં' પ્રગટ થયો ત્યારે હાસ્ય સમ્રાટ એવા શ્રી જ્યોતિન્દ્ર દવે એ કહ્યું કે "પ્રથમ પ્રયાસે જ સિદ્ધિ દાખવનાર શ્રી બકુલ ત્રિપાઠીએ આપણા પ્રથમ પંક્તિના નિબંધકારોમાં સ્થાન લીધું છે એમ કહેવું વધારે પડતું નથી.” બૌદ્ધિક સંદર્ભોમાંથી નીપજેલું એમનું હાસ્ય ઊંડાણવાળું, સૂક્ષ્મ અને માર્મિક છે. એમનું મોટા ભાગનું સર્જન અખબાર, સામયિક અને આકાશવાણીને આભારી છે. ૧૯૫૩માં ‘ગુજરાતસમાચાર’માં એમની ‘સોમવારની સવારે' કૉલમ શરૂ થઈ, જે અદ્યાપિ એવા ને એવા જોમ અને ઉત્સાહથી ચાલુ છે, લીમ્કા બુક ઓફ રેકોર્ડસ'માં આ કટારલેખનની નોંધ લેવાઈ છે.આકાશવાણી-અમદાવાદ પરથી બકુલમાઈનો કાર્યક્રમ 'ગપસપ' રજૂ ચર્ચા, જેમાં લેખન, અભિનય અને દિગ્દર્શનની જવાબદારી એમણે સંભાળી હતી. એમના નોંધપાત્ર પુતકોમાં “સોમવારની રાવારે', 'દ્રોણાચાર્યનું સિંહાસન, ‘ગોવિદે માંડી ગોઠડી', 'લગ્નમંગલ-હાચમંગલ', 'હૈયું ખોલીને હીએ' વગેરે છે. નાટ્યક્ષેત્રે એમણે સફળ એકાંકીઓ આપી છે, ત્રિઅંકી નાટક ‘લીલા' એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમને 'કુમારચંદ્રક' તથા 'રણજિતરામ સુવર્ણચંદ્રક' મળ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy