SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ : ફાધર વાલેસ(-)જન્મ પરભાષી પણ સાહિત્યસેવા દ્વારા સવાયા ગુજરાતી સિદ્ધ થયેલ શ્રી ફાધર વાલેસ, પરભાષી ગુજરાતી સાહિત્યકારોમાં શ્રી કાકાસાહેબ પછી મહત્ત્વનું અને ગણનાપાત્ર નામ અને કામ એમનું છે. એમણે “કુમાર”, “જનકલ્યાણ' અને “ગુજરાત સમાચાર'માં લેખમાળાઓ લખી છે. ગણિતના આ અધ્યાપકે જીવનઘડતરનાં અમૂલ્ય પુસ્તકો આપ્યાં છે. એમનાં પુસ્તકોમાં “સદાચાર', લગ્નસાગર', કુટુંબધમ’, ‘હૃદયધર્મ”, “દેહધર્મ', “સ્ત્રીધર્મ', “ચારિત્ર્યયજ્ઞ', સંસ્કારતીર્થ”, “સંસારસાધના' વગેરે છે. એમને કુમાર ચંદ્રક તેમજ રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યા છે. “આત્મકથાના ટુકડા'માં એમના પોતાના જીવનનું પ્રેરણાદાયી આલેખન છે. શબ્દનો વિનિયોગ વિષયક ચિંતનાત્મક કૃતિ “શબ્દલોક' પણ એમણે આપી છે. વિદ્વત પરિષદો અને જાહેર વ્યાખ્યાનમાળાઓમાં વિશ્વભરમાં પ્રવચનો આપવા જતા આ વિદ્વાન સાહિત્યકાર અંગ્રેજી, ગ્રીક, ફ્રેન્ચ, હિન્દી, ગુજરાતી અને તામિલ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે. ': ૨ જ છે ફાધર વાલેસ રમણલાલ જોષી - ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં રીડર તરીકે ફરજ બજાવનાર ડો. રમણલાલ જોષી, ગુજરાતીના એક સમર્થ વિવેચક છે. સર્જકની જે ચેતનાભૂમિમાંથી કળાકૃતિ સર્જાય છે એના સાથે વધુમાં વધુ તાદામ્ય સાધી તેનું રહસ્ય પ્રગટ કરવું અને એ સાથે જ આપણી રસાનંદ લેવાની શક્તિને વિકસાવવી એ વિવેચકનો ધર્મ છે.” એવું તેઓ માનતા હતા. ગોવર્ધનરામઃ એ અધ્યયન' એ એમનો ડોકટરેટ માટેનો મહાનિબંધ હતો. ‘પરિમાણ’, ‘શબ્દસેતુ', ‘અભીપ્સા' વગેરે એમના પ્રસિદ્ધ વિવેચનસંગ્રહો છે. “સ્વ.સાક્ષર નવલરામનું જીવનવૃત્તાંત', “અખેગીતા' (શ્રી ઉમાશંકર જોષી સાથે) અને ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગધરીતિ'(શ્રી રામપ્રસાદ બક્ષી સાથે)નાં સંપાદનો એમણે કર્યો છે. ગુજ.યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડે એમનો “ભારતીય નવલકથા' ગ્રંથ પ્રગટ કર્યો છે. વિવિધ સામાયિકો, ‘ઇન્ડિયન લિટરેચર', “પી.ઇ.એન'માં લખતા હતા. “જનસત્તા' દૈનિકનો સાહિત્યવિભાગ તેઓ સંભાળતા હતા. રમણલાલ જોષી નિરંજન નરહરિભાઈ ભગત - નિરંજન ભગત સૌંદર્યાભિમુખ કવિ છે. અભિનિવેશ આ રંગદર્શી કવિની પ્રકૃતિનો અંશ છે. ઉમાશંકર જોશીએ આ કવિને “સ્વપ્નનો સુરમો' આંજેલ કવિ તરીકે ઓળખાવ્યા છે. યુવાહદયમાં જાગતાં સ્પંદનો, મધુર સ્વપ્નરંગી ઊર્મિઓ, સુકુમાર પ્રણયની આછી ઝંખના તેમની અનેક કાવ્યરચનાઓમાં છે. આ કવિનાં પ્રકૃતિકાવ્યો પ્રમાણમાં ઓછાં હોવા છતાં આગવી ભાત પાડે છે. સૌષ્ઠવપૂર્ણ સેનેટો અને લયવાહી ગીતરચનાઓ તેમની કવિતાસૃષ્ટિનાં ધ્યાનાકર્ષક અંગો છે. આ કવિનાં પ્રવાલદ્વીપ'નાં કાવ્યોમાં મુંબઈનગરીની વિષમ યાતનાને કવિ આલેખતાં કહે છે: “ ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી” આ “આધુનિક અરણ્ય'માં વસતા માનવીની જિંદગી કારુણ્યની અનંતકથા છે, તેવું તેમનું વાસ્તવદર્શન છે. આ કાવ્યોમાં જીવતા માનવીનો ‘એક્સ-રે છે. કવિતાના વિવિધ પાસાંઓ-સંદર્ભો પરત્વે તેમણે કરેલું વિવેચન જીવનની તુલનામાં, કળાનો વિશેષ મહિમાં પ્રગટ કરે છે. ક નિરંજન ભગત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy