SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ८० સુરેશ જોષી મકરંદ વજેશંકર દવે ‘ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ', ‘માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ!', ‘જિંદગીભર જીવતું આલાં જિગર આપો મને' જીવનનો મર્મ ઘુંટાયો હોય એવાં આ કાવ્યોનાં પ્રેરકબળ છે : મહર્ષિ ટાગોર, શ્રી અરવિંદ તથા સંત કબીર-તુલસી.આવા ઉચ્ચ વિચારકોના સાહિત્યનું પરિશીલન અને ઉપનિષદો તથા યોગસાધનાનું તત્ત્વજ્ઞાન. પણ કવિતાનો રંગ તો કવિનો આગવો જ, કવિની આગવી જીવનષ્ટિ, આધ્યાત્મિક કવિતામાં જૂની પરંપરાને સાચવતા હોવા છતાં કવિની નિજી મૌલિકતાને કારણે તાજગીનો અનુભવ થાય છે.સાનેટ, છંદોબદ્ધ ઊર્મિકાવ્યો, મુક્તકો, ગઝલો અને ગીતો જેવા વિવિધ કાવ્યપ્રકારો તેમણે પ્રયોજ્યા છે. અનહદના આરાધકની અનુભૂતિ અને મસ્તી તેમની કાવ્યવાણીમાં સંભળાય છે. સુગેય, ઢાળ, લયકારી અને તળપદાં રૂપકો દ્વારા કવિતામાં ઝીલાતો જીવનમાં તેમના કાવ્યોનું એક આગવું આકર્ષણ છે.રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયા છે. ચુનિલાલ મડિયા Jain Education International સુરેશ હરિપ્રસાદ જોષી - આધુનિકતાનો આવિર્ભાવ એટલે ડૉ. સુરેશ જોષી. આધુનિક સાહિત્યધારાના આ પ્રવર્તક, પ્રયોગશીલ સર્જક, વિદગ્ધ વિવેચક, વૃષ્ટિવાનું અધ્યાપક, નીડર પત્રકાર, નિષ્ઠાવાન સંશોધક અને સમર્થ અનુવાદકની પ્રતિભા ધરાવે છે. તેઓ માનવતાવાદી ચિંતક અને મરમી કલાકોવિદ પણ હતા. દેશ-વિદેશની ઉત્તમ સાહિત્યકૃતિઓનો આસ્વાદ પણ તેમણે કરાવ્યો છે. સાહિત્યમાં પ્રવર્તતા પ્રતીકવાદ, કલ્પનવાદ, અસ્તિત્વવાદ, એબ્સર્ડ થિએટર વગેરેની તેમણે વિશદ ચર્ચા કરી છે. કેટલીક ઉત્તમ કવિતાઓના આસ્વાદ કરાવી તેઓએ કવિતાના માપદંડો પ્રસ્થાપિત કર્યા છે. તેમ જ નવી નવલકથાની વિભાવના પણ કરી આપી છે. રૂઢ નવલકથાના બંધનો ફગાવી અરૂઢ શૈલીની એમની નવલકથાઓ ધ્યાનાકર્ષક છે. 'છિન્નપત્ર' તથા ‘મરણોત્તર’ નવલકથાઓ નોંધપાત્ર છે. 'ગૃહપવેશ' જેવી નવલિકામાં નવી ટેકનિક તથા અભિવ્યક્તિની મનોરમ છટા અને શબ્દ સાથે સંવેદનાની કરામત જોવા મળે છે. પથપ્રદર્શક મકરંદ દવે ચુનીલાલ કાલિદાસ મડિયા શ્રી ચુનીલાલ મડિયા મુખ્યત્વે ગદ્યસર્જક છે. શ્રી મડિયા ઘટનાપ્રેમી સાહિત્યકાર છે. જીવનની ઘટનાઓમાંથી સાહિત્યોપકાર સંઘર્ષો શોધી-ઉપજાવી તેમણે નાટકો અને નવલકથાની રચના કરી છે. પૌરાણિક, ઐતિહાસિક તેમજ સામાજિક નાટકો તેમની પાસેથી મળે છે. ‘વિષવિમોચન’, ‘શરબતી મલમલ’, ‘સમ્રાટ શ્રેણિક' જેવાં ગંભીર નાટકો તેમજ ‘વન્સ મોર’, ‘વર પધરાવો' જેવાં હળવાં નાટકો પણ તેમની પાસેથી મળે છે. અભિનેય અને રંગમંચક્ષમ નાટકો તેમની પાસેથી મળે છે. નાટ્યાત્મક નિરૂપણ અને સજીવ પાત્રચિત્રણ તેમની સૌરાષ્ટ્રની ધીંગી ધરાની ઘટનાપ્રધાન નવલક્થાઓનું રસબિંદુ છે. ‘વ્યાજનો વારસ’, ‘ઈંધણ ઓછાં પડ્યાં’ અને ‘લીલુડી ધરતી’ તેમની પ્રચલિત નવલકથાઓ છે. શ્રી મડિયાને નવલિકા-લેખનમાં વિશિષ્ટ સફળતા મળી છે. ‘શરણાઇના સૂર’, ‘વાની મારી કોયલ', ‘અંત સ્ત્રોતા' તેમની ચિરંજીવ કૃતિઓ છે. વાર્તા અને નાટકો જેવાં સાહિત્યસ્વરૂપોની વિવેચના ઉપરાંત હળવા નિબંધો તેમણે લખ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy