SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૭૯ ધીરૂભાઈ ઠાકર - ગુજરાતી સાહિત્યના સુખ્યાત વિવેચક ડો.ધીરુભાઈ ઠાકર સંશોધક, સંપાદક, ચરિત્રકાર પણ છે. એમની સહૃદય અને સમતોલ વિવેચનપ્રવૃત્તિથી સંખ્યાબંધ સુંદર પુસ્તકો પ્રગટ્યાં છે. “રસ અને રુચિ', “સામ્પત સાહિત્ય’, ‘પ્રતિભાવ’, ‘શદશ્રી', અભિજ્ઞાન’ જેવાં વિવેચનનાં ઉપરાંત “સંસ્કારમાધુરી’, ‘શબ્દમાધુરી' જેવાં નિબંધનાં પુસ્તકો આપણને મળ્યાં છે. એમણે કરેલાં સંપાદનોમાં “મણિલાલની વિચારધારા', મણિલાલના ત્રણ લેખો' તથા ‘કાન્તા', “નૃસિંહાવતાર' જેવાં નાટકો ઉપરાંત આત્મનિમજન' કાવ્યો છે. એમનું એક મુખ્ય પ્રદાન તે “ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ છે, જે લોકપ્રિય છે. નાટક અને રંગભૂમિ એમના વિશેષ રસના વિષયો છે. “સો દિવસ સફરના'- એ રસિકપ્રવાસ પુસ્તક પણ એમણે આપ્યું છે. “વિશ્વકોશ'ના પ્રકાશનનું ભગીરથ કાર્ય એમણે જૈફ વયે સુપેરે પાર પાડ્યું છે. મોડાસામાં એમણે આદરેલા શિક્ષણ સુધારણયજ્ઞની કરુણરાસિક વિગતો એમની આત્મકથા “સ્મરણમાધુરી’માં સચવાયેલી છે. એમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે. ધરૂભાઇ ઠાકર જયન્ત હિંમતલાલ પાઠક - આપણી હૃદયંગમ બાનીના સુકમાર કવિઓમાં શ્રી જયંત પાઠકનું સ્થાન ઊંચું છે. તેમની પ્રેમ કવિતામાં સ્ત્રી-પુરુષપ્રેમ, વતનપ્રેમ, ભૂમિપ્રેમ-એમ પ્રણયના વિવિધ રૂપો દૃષ્ટિગોચર થાય છે. અભિવ્યક્તિની નવીનતા અને તાજગીપ્રદ કલ્પનાલીલા આ કાવ્યોમાં દેખાય છે. તેમની કવિતાનો વિશેષ ઉન્મેષ પ્રકૃતિકવિતામાં પ્રગટયો છે. આ કવિ વનાંચલનું સંતાન છે અને પ્રકૃતિનાં અનેકવિધ રૂપો કવિની કવિતામાં દેખાય છે. તુકાવ્યો પણ તેઓએ રચ્યાં છે. નગરજીવનથી સંક્ષુબ્ધ કવિ આરણ્યક જનપદમાં આત્મીયતા અનુભવે છે. આધ્યાત્મિક અભિગમ દર્શાવતી, કવિતા વિશેનો અભિગમ પ્રગટ કરતી કાવ્યરચનાઓ પણ તેમણે કરી છે. સેનેટ અને ગીતના પ્રકારો તેમણે વિશેષ રચ્યા છે. કવિની સ્મૃતિકથા-'વનાંચલ'માં અતીતની ઝંખના રસાવહ રૂપે રજૂ થઈ છે. તેમનું ગધ પણ તેમના વ્યક્તિત્વની મુદ્રા ધારણ કરે છે. જયન્ત હિંમતલાલ પાઠક નટવરલાલ કુબેરભાઈ પંડ્યા, ઉશનસ્ - ઉશનસની કવિતામાં વિસ્મયની આભા પ્રગટ થાય છે. કાવ્યશૈલી, અભિવ્યક્તિ અને છંદોલયમાં તેમનો કાવ્યપ્રવાહ પરંપરાને અનુસરતો વહે છે. પ્રકૃતિ, પ્રેમ, પરમતત્વની ઝંખના, દેશભક્તિ, માનવકલ્યાણ વગેરે તેમની કવિતાના વિષયો છે. ‘તૃણનો ગ્રહ' અને “સ્પંદ અને છંદમાં તેમનું કવિત્વ વિશેષ મહોરી ઊઠતું દેખાય છે. વ્યાકુલ વૈષ્ણવ'નાં ગીતોમાં ભક્તહૃદયની પ્રતીતિ ગીતોમાં થાય છે. સોનેટ અને ગીત તેમના પ્રિય કાવ્યપ્રકારો છે. મુક્તક-હાઇકુ જેવાં લઘુ સ્વરૂપો પર પણ રસપ્રદ પ્રયોગો કર્યા છે. ભાવનીતરતાં કુટુંબચિત્રો, વન્યસૃષ્ટિનાં મનોહર ચિત્રો, ‘કર્ણકુત્તિ' જેવાં સંવાદ કાવ્યો તેમની કવિતાસૃષ્ટિનો વૈભવ છે. તેમની વિશિષ્ટતા વતનની અને પ્રકૃતિની આદિમતાનો તાજગીભર્યો રસ ચખાડતી વેગીલી છંદોબદ્ધ રચનાઓમાં પ્રતીત થાય છે. ગુજરાતી કવિઓ તેમની કૃતિઓ તથા કવિતાનાં વિભિન્ન અંગો વિશે વિવેચનાત્મક લેખો પણ તેમણે લખ્યા છે. નટવરલાલ પંડ્યા, ઉશનસ્ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy