SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ પથપ્રદર્શક શિવકુમાર ગિરિજાશંકર જોશી - બહુમુખી સર્જકપ્રતિભા ધરાવનાર લેખક શિવકુમાર જોશીનું વ્યક્તિત્વ એમની નવલકથાઓ, નાટકો, એકાંકી અને નવલિકાઓમાં માણવા મળે છે. એમનું મુખ્ય પ્રદાન નાટ્યક્ષેત્રે છે. શહેરી સમાજના પ્રશ્નોને લઈને સમાજનું વાતાવરણ લઈને તેમણે શિષ્ટ નાટકોની રચના કરી છે. એમના આ કસબ સાથે અભિનય અને રંગમંચકળાનો પણ સમન્વય છે. પાત્રોની લાગણીઓના સંઘર્ષનિરૂપણને કારણે તેમનાં નાટકો અને એકાંકીઓ સફળ નીવડ્યા છે. તેમની નવલિકાઓમાં પણ વિષયવૈવિધ્ય અને નાટ્યાત્મકતા જોવા મળે છે. ગુજરાતીના રંગનાટ્યસાહિત્યમાં તેમનું પ્રદાન જયત્તિ દલાલ અને મડિયા સાથે બેસે તેવું સમૃદ્ધ છે. ઉત્તેજક વર્ણનોમાં રાચતી છતાં ભાવનાશાળી ઉદ્દેશથી લખાયેલી નવલકથાઓ યુવાન વાચકવર્ગને આકર્ષે છે. તેમણે વિદેશ-પ્રવાસનાં વર્ણનો પણ લખ્યાં છે. “કંચુકીબંધ', “અનંગરાગ”, “રજનીગંધા', સુમંગલા', “પાંખ વિનાનાં પારેવાં', ‘નીલાંચલ' વગેરે તેમની જાણીતી કૃતિઓ છે. શિવકુમાર જોશી ભોગીલાલ સાંડેસરા - મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસમાં કામ કરનાર ડો.ભોગીલાલ સાંડેસરા, શ્રી કે.કા.શાસ્ત્રીની જેમ એક ગણનાપાત્ર નામ છે. એમણે ઇતિહાસ અને સંશોધનની કેડી પકડી છે. અપભ્રંશ અને જૂની ગુજરાતીનો શાસ્ત્રીય અભ્યાસ એમનો પ્રિય વિષય છે. “વાઘેલાઓનું ગુજરાત', “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત”, “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં ફાળો', પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના' વગેરે કૃતિઓ આપી છે. એમણે “સત્તરમાં શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યો', “પ્રાચીન ફાગુસંગ્રહ', માધવ-કૃત “રૂપસુંદર કથા' જેવી મધ્યકાલીન કૃતિઓનું સંપાદન કર્યું છે. એમણે પંચતંત્ર, ભારતીય આર્ય અને હિંદી જેવા ગ્રંથોનો અનુવાદ થતા “વર્ણસમુચ્ચય' ૧-૨નું નિર્માણ કર્યું છે. “પ્રદક્ષિણા એમનો પ્રવાસગ્રંથ છે. રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર શ્રી ભોગીલાલે “સ્વાધ્યાય માસિકના તંત્રી તરીકે કામગીરી બજાવી છે. ભોગીલાલ સાંડેસરા હરિવલ્લભ ભાયાણી - સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી ભાષા અને સાહિત્યના Twiec વિદ્વાન સંશોધક, ભાષાવૈજ્ઞાનિક અને વૈયાકરણ તથા કાવ્યશાસ્ત્રી તરીકે ડો. હરિવલ્લભ ભાયાણી લબ્ધપ્રતિષ્ઠિત છે. એમણે ભાષાવિજ્ઞાનમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ભાષાવિજ્ઞાનને લોકપ્રિય કરવામાં એમનો વિશેષ ફાળો છે. “કુમાર'માં “શબ્દકથા' ચલાવીને આપણને શબ્દોની વ્યુત્પત્તિમાં રસ લેતા કર્યા. “વાગવ્યાપાર' દ્વારા ગુજરાતી ભાષાના વિવિધ વિષયોના અધિકૃત લેખો આપ્યા. “અનુશીલનો’, ‘અનુસંધાન’, ‘શાદપરિશીલન', “ગુજરાતી ભાષાનો કુલકમ', વ્યુત્પત્તિવિચાર', “ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ' એ એમના ભાષાવિષયક ગ્રંથો છે. ગુજરાતી વ્યાકરણના વિષયમાં “ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ' પ્રમાણભૂત અભ્યાસ છે. એમણે કેટલીક મધ્યકાલીન કૃતિઓ “મદનમોહના', ત્રણ પ્રાચીન ગુર્જરકાવ્યો’, ‘સિંહાસનબત્રીસી' જેવાં શાસ્ત્રીય અધિકૃત સંપાદનો કર્યા છે. તેઓ કાવ્યશાસ્ત્રના પણ રસિક અભ્યાસી છે. “શોધ અને સ્વાધ્યાય' મધ્યકાલીન કવિઓ અને કૃતિઓનું વિવેચન છે. ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં પ્રથમ પંક્તિના ડો.ભાયાણીએ ગુજરાતી ભાષાનો વર્ણનાત્મક અભ્યાસ અમેરિકન પદ્ધતિએ કરવામાં વિશિષ્ટતા દાખવી છે. હરિવલ્લભ ભાયાણી Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy