SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ GF મુકુન્દ પારાશર્ય યશવંત શુકલ શ્રી યશવંત શુક્તે પોતાની મૂલ્યનિષ્ઠ શૈક્ષણિક, સાહિત્યિક, વાર્તાલાપની અનોખી કુશળતાથી અને વિશાળ દૃષ્ટિથી તેમ જ પ્રેમ અને સદ્ભાવની મૂડીથી ગુજરાતના જનહદયમાં ઉંઢ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે સુનીલાલ વર્ધમાન શાહની 'કર્મયોગી રાજેશ્વર'ની આલોચના કરી અને ગુજરાતી સાહિત્યજગતને તેમની સમર્થ વિવેચકીય કલમનો પરચો મળ્યો. વિધેયક ઉપરાંત તેઓ શિક્ષણકાર, સંપાદક, વારિ, અનુવાદક અને કટારલેખક પણ છે. તેમના સાહિત્યવિવેચનના લેખો વિવિધ સામયિકોમાં પ્રગટ થયા જ કરતા. ‘ઉપલબ્ધિ’ અને ‘શબ્દાન્તરે' તેમના વિવેચનસંગ્રહો છે. કેન્દ્ર અને પરિવ', 'સમય સાથે વહેતાં', વ્યક્તિલક્ષી-સમાજલક્ષી અને પ્રતિસ્પંદ' તેમની જાણીતી કૃતિઓ છે. ‘રાજવી' અને ‘સત્તા'ના તેમના અનુવાદો નોંધપાત્ર છે. વિવેચનક્ષેત્રે તેમની વિશિષ્ટ સેવાઓ માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. “પ્રજાબંધુ સાપ્તાહિકમાં તેમની સંસારના રંગ' અને 'ગ્રંથાવલોકન' કાલમ લોકપ્રિય બની હતી. - વેણીભાઈ પુરોહીત Jain Education International મુકુન્દ પારાશર્ય શ્રી મુકુન્દરાય વિજયશંકર પારાશર્ય કવિ, વિવેચક અને નવલકથાકાર હતા. સાહિત્યક્ષેત્રે તેમણે ‘અકિંચન' અને ‘માસ્તર'ને ઉપનામે સર્જન કર્યું. ‘અર્ચના', ‘ફૂલ ફાગણનાં’, ‘દીપમાળા’, ‘ભદ્રા’, ‘અલકા' તેમના કાવ્યસંગ્રહો છે. ‘ઉર્મિલા' તેમની નવલકથા અને ‘આલેખનની ઓળખ' તેમનો વિવેચનસંગ્રહ છે. શ્રી પારાશર્યે જીવનચરિત્રોના ‘સત્યકથાઓ' નામે પ્રચલિત પુસ્તકો દ્વારા ઉત્તમ લેખો ગુજરાતને આપ્યા છે, જે ચિરસ્મરણી બની રહેશે. સાદું સરળ છતાં ઉત્તમ પ્રકારનું ગધ એ તેમની વિશિષ્ટ દેણગી છે.'કુસુમ' કાવ્યમાં ઉદાત્તકવિ કહે છે:“જીવન સફલ ચારો કે ન ચાશે ન જાણું,મધુકર નહિં આવે? આવશે? ના પ્રમાણે.કુસુમહૃદય મારું: રાહ જોઈ શકું ના. પરિમલ લઉ વેરી જે મળી બે ઘડીમાં." તેમના ભક્તિગીતો, પર્ણો, સુભાષિત ક્ક્ષાના મુક્તકો અને દુહાઓ આપણી અધ્યાત્મપરંપરાના અમર વારસા જેવા છે. પથપ્રદર્શ યશવંત શુકલ વેણીભાઈ પુરોહિત ‘હું પોતે મારામાં છલકું, પંચામૃતનો મુખરિત પારાવાર’ જેવું નર્યા આત્માનંદનું ગાણું ગાનાર પત્રકારત્વ અને મુશાયરાની દુનિયાના લોકપ્રિય ગઝલકાર, ગીતકાર અને કવિ શ્રી વેણીભાઈ પુરાોહિત. તેઓ રાજેન્દ્ર-નિરંજનની પેઢીના બાલમુકુન્દ દવે જેવા રંગદર્શી કવિ છે. તેમનો યશસ્વી કાવ્યસંગ્રહ 'સિંજારવ' અને તે પછીનો *દિપ્તિ' ગીત સંગ્રહ છે. તદુપરાંત તેમણે ‘ગુલઝારે શાયરી' અને ‘આચમન' પણ આપ્યા છે, તેમનાં સર્જનો મહદઅંશે પ્રણય-પ્રકૃતિ-પ્રભુતાના સનાતન દોર પર ચાલે છે, “ અમે રે સંસારિયાં ને અમે રે સંજોગિયાં, અમને ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલ" કવિને આમ અધ્યાત્મનો રસ છે, તો બીજી બાજુ પ્રણયનો રસોલ્લાસ છે. તેમની કેટલીક ગઝલો-દશા અને દશા', ‘બંદો બદામી', 'લાલી', 'મશ્કરીમાં”, “પી જવાનું હોય છે' સારી લોકપ્રિય થઈ હતી. તેઓ શુદ્ધપરંપરાગત રંગીન કવિ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy