SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ અનંતરાય મ. રાવળ - સત્યનિષ્ઠ, સહૃદય, સૌજન્યશીલ અને વિદ્વાન વિવેચક તરીકે શ્રી અનંતરાય રાવળે ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને તેમના વિવેચન સંગ્રહ ‘તારતમ્ય’ને સાહિત્યઅકાદમી એવોર્ડ પ્રાપ્ત થયા છે. ‘સાહિત્ય વિહાર', 'સાહિત્ય નિષ', 'સાહિત્યવિવેક', 'ગંધાક્ષત', 'સમીક્ષા', 'અનુદર્શન', 'સમાલોચના' વગેરે તેમના વિવેચનલેખોના સંગ્રહો છે . એમના સંગ્રહોમાં પહેલો લેખ મોટા ભાગે સાહિત્યની સૈદ્ધાંતિક ચર્ચાનો હોય,જીવનચરિત્રનો આદર્શ જેવા પ્રશસ્ય લેખો પણ તેમણે આપ્યા છે. મધ્યકાલીન ગુજરાતીસાહિત્યનો ઇતિહાસ તેમની શ્રેષ્ઠ કૃતિ છે. ‘રાઈનો પર્વત', 'નળાખ્વાન', 'મદનમોહના', કલાપી-નાનાલાલ-બોટાદકરની કૃતિઓનાં સંપાદનો અને એ નિમિત્તે જે તે લેખકોની સમીક્ષા કરતાં પ્રવેશકો આપણને તેમની પાસેથી પ્રાપ્ત થયા છે. અભ્યાસપૂર્ણ તટસ્થ તથા ઊંડી અને વ્યાપક વિવેચના પણ રજૂઆત સૌમ્ય અને પ્રિયભાષી એ તેમની લાક્ષણિકતા છે. પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ - નવીનતર કવિઓમાં અગ્ર એવા શ્રી રાજેન્દ્ર શાહ આપણા એક ઉત્તમ ઊર્મિકવિ છે. ન્હાનાલાલ-બળવંતરાયની કવિતાનું સાતત્ય તેમનામાં જોઈ શકાય છે. સો જેટલી સાનેટ રચનાઓ અને ત્રણસો ઉપરાંત ગીતરચનાઓ તેમની પાસેથી મળે છે. પ્રકૃતિનાં વૈવિધ્યપૂર્ણ ચિત્રો અને દર્દમધુર સંવેદનો તેમની કવિતામાં ઝિલાયાં છે, જીવનમૃત્યુ વિષયક ચિંતન પણ રજૂ થાય છે.‘આયુષ્યના અવશેષ' અને ‘રાગિણી' જેવી ઉત્તમ સાનેટમાળાઓ તેમણે રચી છે. રાજેન્દ્ર શાહની કવિતાનું અનન્ય આકર્ષણ તેમનાં ગીતોમાં છે. તેમાંનો લચહિલ્લોળ અને ભાવોર્મિનું ઊંડાણ ધ્યાનાકર્ષક છે. લોકગીત, ભજન, રાજસ્તાની, બંગાળી અને વ્રજગીતોના વૈવિધ્યપૂર્ણ ઢાળો તેમણે ગીતોમાં પ્રયોજ્યા છે. પ્રણય, પ્રકૃતિ, પ્રભુભક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિનો રણકાર આ ગીતોમાં સંભળાય છે, 'ધ્વનિ', 'શ્રુતિ', 'શાંત કોલાહલ', 'દક્ષિણા', પંચપવાં', 'દ્વા સુપર્ણા' વગેરે તેમના જાણીતા સંગ્રહો છે. રાજેન્દ્ર શાહ અનુગાંધીયુગના યુગધર કવિ છે. Jain Education International અનંતરાય મ. રાવળ પન્નાલાલ પટેલ ‘મળેલા જીવ' અને માનવીની ભવાઈ' જેવી સર્વોત્કૃષ્ટ વાસ્તવભૂમિ નવલકથાઓ દ્વારા પન્નાલાલ પટેલે ગુજરાતીસાહિત્યને સમૃદ્ધ કર્યું. ધરતીનાં સંતાનો તેમણે પાત્રો તરીકે રજૂ કર્યા, ગાયસૃષ્ટિનું, હાથ વલોવી નાંખે તેવાં સંવેદનો સાથે નવલકથામાં કલાત્મક નિરૂપણ કરી બતાવ્યું. તેમની નવલકથાઓમાં લોકજીવનનો ધબકાર ઝિલાય છે. તેઓએ પૌરાણિક કથાનકો લઇને પણ નવલકાઓ રચી છે. ‘વળામણાં', ‘જિંદગીના ખેલ', 'લખચોરાસી', 'કંકુ', 'ચીવન' વગેરે તેમની અનેક કૃતિઓ જાણીતી છે. તેમની નવલિકાઓમાં તળપદી બોલીનો આગવો મિજાજ પ્રગટ થાય છે. ‘સુખદુ:ખના સાથી’, ‘વાત્રકને કાંઠે’, ‘જીવો દાંડ' વગેરે નવલિકાઓ કસબની દૃષ્ટિએ ધ્યાનપાત્ર છે. વૈતરણીને કાંઠે' અને ‘એળે નહીં તો બેળે' જેવા એકાંકી અને ‘ઢોલિયા સાગસીસમના' જેવી નાટ્યરચના પણ નોંધપાત્ર છે.તેમને જ્ઞાનપીઠ એવોર્ડ,રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાતરાજ્યના પારિતોષિક મળેલ છે. તેમની કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે. For Private & Personal Use Only ૭૫ રાજેન્દ્ર શાહ www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy