SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ કૃષ્ણાલાલ શ્રીધરાણી પ્રહ્લાદ પારેખ શ્રી પ્રહ્લાદ પારેખે ‘થોડીક પણ અતીવ સુંદર' કવિતા આપીને ગુજરાતી ભાષાની અને કવિતાની મૂલ્યવાન સેવા કરી કવિ તરીકે અમરતા પ્રાપ્ત કરી છે. પ્રહ્લાદ પારેખ છંદોબદ્ધ કાવ્યો તેમજ ગીતની રચનાઓ બન્ને પર સરખી હથોટી ધરાવે છે. એમનાં ગીતોની સરળ પદાવલિમાં ભાવોની ગહનતા અને રહસ્યમાતાનો મધુરો સ્પર્શ અનુભવાય છે. ‘એકલું', ‘અવધુત', ‘તારો ઇતબાર’ વગેરે ગીતો 'બારી બહાર' (તેમનો કાવ્યસંગ્રહ)ની જ નહિં, ગુજરાતી કવિતાની સમૃદ્ધિ છે. તેઓ કહે છે; " રાહીશ, રહી મૌન છું, સકલ ઊર્મિ આયાતને" હૃદયના મુલાયમ અને છટકણા ભાવોને તે કુશળતાથી પડી શકે છે. ઉમાશંકર જોષીએ નવીનતર કવિઓનું એક વિશિષ્ટ લક્ષણ "સૌંદર્યાભિમુખતા” છે, એમ કહ્યું છે. પ્રહ્લાદ પારેખની કવિતામાં આ લક્ષણ માતબર સ્વરૂપે જોવા મળે છે. - ઉમાશંકર જોષી Jain Education International કૃષ્ણાલાલ શ્રીધરાણી -ગિરનારની તળેટીમાં ગાળેલા દેશવ અને ગાંધીજીએ જગાવેલા સ્વાતંત્ર્યનાદનો પડઘો તેમની કવિતાઓમાં પ્રણય, પ્રકૃતિ અને રાષ્ટ્રભક્તિ બનીને ઝીલાયો છે.તેમની કવિતામાં પ્રગટતું જીવનદર્શન ઊંડું, વિશાળ અને મધુર છે. કેટલાંક સુંદર કથાકાવ્યો 'સ્વરાજ રક્ષક', 'પાપી', 'સર્જકશ્રેષ્ઠ આંગળાં' નોંધપાત્ર છે. 'કોડિયાં' અને 'પુનરપિ' તેમના જાણીતાં કાવ્યસંગ્રહો છે. સંગીત, ભવાઈ અને કવિતાના સમન્વયથી રચાયેલું ‘વડલો' ગુજરાતી નાટ્યસાહિત્યની એક વિશિષ્ટ કૃતિ છે. ‘પીળાં પલાશ’, ‘બાળ રાજા' અને ‘સોનપરી’ તેમનાં સુંદર બાળનાટકો છે.તેમણે વિદેશની ઉચ્ચતમ ઉપાધિઓ પ્રાપ્ત કરી હતી.અંત સુધી તેમણે સુપ્રસિદ્ધ અંગજી અખબાર 'અમૃત બઝાર પત્રિકા'ના ફરાળ પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી હતી. ગુજરાતી ઉપરાંત અંગ્રેજીભાષામાં તેમણે ૧૦ ગ્રંથોનું પ્રદાન કર્યું છે. એમની સાહિત્યસિદ્ધિને ઉપલક્ષીને ઇ.સ.૧૯૫૮નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક એમને માટે જાહેર થયેલો, જે તેમના મૃત્યુ બાદ ઇ.સ.૧૯૬૧માં એનાયત કરાયો હતો. પથપ્રદર્શક પ્રહ્લાદ પારેખ ઉમાશંકર જોષી - ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ. તેમનું કાવ્ય-સર્જનનું ઝરણું પ્રથમ સાનેટ નખી સરોવર પર શરદ પૂર્ણિમા' સાથે માત્ર ૧૭ વર્ષની વયે વહેવા લાગ્યું હતું. ત્યાર બાદ દીર્ઘ કાવ્ય ‘વિશ્વશાંતિ’ લખાયું અને ગુજરાતીસાહિત્યને એક સક્ષમ સારસ્વત પ્રાપ્ત થયા. 'નિશીથ'માં પ્રકૃતિનાં ભાવ-સુંદર કલ્પનો રજૂ થયાં છે, ‘પ્રાચીના' અને ‘મહાપ્રસ્થાન’નાં પધરૂપકો પણ ધ્યાનાકર્ષક છે. તેમણે રસાળ નવલિકાઓ, સુઘડ એકાંકીઓ અને ઉત્તમ નિબંધો આપ્યા છે. તેમની કવિતાની વિષયસમૃદ્ધિ પણ વિશિષ્ટ હતી, નાના અને નજીવા લાગતા વિષયમાં પણ-‘એક ચુસાયેલા ગોટલા' જેવા ને એવા તો અનેક વિષયોમાં તેમણે કાવ્યત્વ અને વિચારસમૃદ્ધિ એટલા ઉંચિત પ્રમાણમાં ભર્યાં કે ગુજરાતી કવિતા માટે અનેક અણખૂલેલાં દ્વાર અનર્ગળ ખૂલી ગયાં. માનવતાની ઉપાસના એ આ કવિની કવિતાનો સ્થાયીભાવ છે. તેમને કેન્દ્રીય સાહિત્ય-અકાદમીનો એવોર્ડ, જ્ઞાનપીઠ એવોર્ડ જેવાં અનેક સન્માન પ્રાપ્ત થયાં હતાં. ‘સંસ્કૃતિ'માસિક દ્વારા તેમણે સાહિત્ય, સંસ્કૃતિ, સમાજ અને રાજકારણ પરત્વે ગુજરાતની પ્રજાને મોંઘું વિચારભાયું પૂરું પાડ્યું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy