SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ » મિ ગુલાબદાસ બ્રોકર, કથક - ગુજરાતી ટૂંકીવાર્તાના સર્જકોમાં ગુલાબદાસ બ્રોકરનું સ્થાન “ધૂમકેતુ'-'દ્વિરેફ'ની વાતપરંપરામાં આવે. મધ્યમવર્ગનાં પાત્રોની રોજિંદી ઘટનાઓને માનસશાસ્ત્રીય દૃષ્ટિકોણથી નવલિકાઓમાં નિરૂપી છે. અનેક વાર્તાઓ દ્વારા ગુજરાતી નવલિકાને તેમણે મનોભૂમિની “ઊભી વાટે' ચઢાવી દીધી. “લતા શું બોલે?', “ગુલામદીન ગાડીવાળો', “નીલીનું ભૂત', “ધૂમ્રસેર', “પંડિતજી', “નરહરજી', “માનો જીવ', બા”, “પ્રેમપદારથ'-તેમની ઉત્તમ વાર્તાકૃતિઓ છે. સત્યકથાઓનું આલેખન તટસ્થતાથી તેઓએ કર્યું છે. એકાંકી કાર અને નાટ્યકાર તરીકે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. જ્વલંત અગ્નિ' નામના તેમના એકાંકીઓના સંગ્રહે તેમને નાટ્યકાર તરીકેની વિશિષ્ટ કીર્તિના અધિકારી ઠેરવ્યા છે. સાહિત્યવિચારણા, અવલોકન અને વિવેચન તેમજ સંપાદન પણ તેમણે કર્યું છે. “કથક' નામે લખાયેલાં તેમના વિવેચનગ્રંથો “રૂપસૃષ્ટિમાં', “અભિવ્યક્તિ' અને “સાહિત્ય તત્ત્વ અને તંત્ર’ તેમની અભ્યાસશીલતા અને કલાપરખના પુરાવા છે. પ્રવાસ સાહિત્યનું સર્જન “નવા ગગનની નીચે’ પણ તેઓએ કર્યું છે. ગુલાબદાસ બ્રોકર, કથક યશોધર મહેતા - શ્રી યશોધર મહેતા વિશિષ્ટ કૃતિઓના લેખક છે. આ “અગમનિગમ'ના ઉપાસકે શરૂઆત “રણછોડલાલ અને બીજાં નાટકો'થી કરી, અને પછી “કંબોજંબો' ને “ઘેલો બબલ' જેવા સફળ અભિનેય નાટકો આપ્યાં. એમાં રણછોડલાલ’ નાટક શ્રેષ્ઠ ગણાયું. એમનું વિશિષ્ટ પ્રદાન નવલકથાઓ રહ્યું છે. ભાગમાં લખાયેલી “સરી જતી રેતી’ એમની નોંધપાત્ર અને ચર્ચાસ્પદ નવલકથા હતી. ગુપ્તવિધા અને અધ્યાત્મ-વિષયક નવલકથા “મહારાત્રી' એ “ચોગિનીકુમારી' અને ગુલાબસિંહ'નો સાહિત્યવારસો શોભાવ્યો. “મહારાત્રી’ નવલકથાનો હિંદીમાં પણ અનુવાદ થયો છે. “શ્રીનંદા' અને “૪૪ રાત્રિઓ' એમનાં પ્રવાસવર્ણનો છે તથા “કીમિયાગરો' અને ‘નવ સંતો' એમનાં ચરિત્રલેખનો છે. “પ્રેમગંગા', “રસનંદા', “ઉમા હૈમવતી' અને શક્તિયુગનું પ્રભાત' તેમની રસપ્રદ નવલિકાઓ છે. તત્ત્વવિચાપ્રેરક સાહિત્યનું પણ તેમણે વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું છે, જેમાં “અગમનિગમ', “શૂન્યતા અને શાંતિ', શ્રદ્ધાની રાત્રી', “શ્રદ્ધા અને અનુભૂતિ’ નોંધપાત્ર છે. યશોધર મહેતા જયતિ દલાલ - એકાંકીકાર અને નવલિકાકાર તરીકે જયક્તિ દલાલે સાહિત્યક્ષેત્રે પોતાની આગવી શૈલી અને સંવેદનાશક્તિ દ્વારા નોંધપાત્ર ફાળો નોંધાવ્યો છે.પ્રયોગશીલ અને રંગમંચક્ષમ નાટકો તેમની પાસેથી મળ્યાં છે. ચબરાકિયા સંવાદો અને નર્મ-મર્મ તેમની વિશેષતા છે. તેમના મોટાભાગનાં નાટકો સામાજિક છે. “માની દીકરી”, “પત્નીવત', મન બગડે એ પહેલાં’, ‘સોયનું નાકું', “દિન પલ્ટયો' વગેરે જાણીતી એકાંકીઓ છે. બાળનાટકોનું લેખન પણ તેમણે કર્યું છે. વર્તમાન સામાજિકસ્થિતિ અને દંભ પર કટાક્ષ કરતી નવલિકા તેમણે રચી છે. શોષણ સામેનો આક્રોશ તેમાં છતો થાય છે. નાટકના દેશ્ય જેવી તાદેશતા ધરાવતું વર્ણનકથન તેમની નવલિકાઓનું આકર્ષક અંગ છે. “જૂજવાં', કથરોટમાં ગંગા', “મૂકમ કરોતિ', “ઉત્તરા’, ‘આ ઘેર પેલે ઘેર”, “અડખે પડખે' વગેરે તેમની જાણીતી નવલિકાઓ છે. તેમણે સ્થળચિત્રો, વ્યકિતચિત્રો અને કટાક્ષલેખો પણ લખ્યા છે. “રેખા'માસિક અને “ગતિ' ગ્રંથમાળા દ્વારા અમૂલ્ય સાહિત્ય તેમણે આપ્યું છે. જયત્તિ દલાલ Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy