SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ ગની દહીંવાળા રમણલાલ સોની - મોડાસામાં જન્મેલા શ્રી રમણલાલ પીતાંબરદાસ સોનીની સર્જકપ્રતિભાએ બાળકો માટેના સાહિત્યસર્જનમાં અને બંગાળની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદમાં સારું કાઠું કાઢ્યું, જેલવાસ દરમિયાન શ્રી નગીનદાસ પારેખ પાસે બંગાળી શીખી અને શ્રી પારેખની જેમ જ બંગાળીમાંથી શ્રદ્ધેય અને સુવાચ્ય અનુવાદો તેમણે આપ્યા. સ્વીન્દ્રનાથ ટાગોરની ટર્ફ ટૂંકી વાર્તાઓના ‘કાબુલીવાલા', ‘અતિથિ' અને ‘ચંદનતિલક'એ ગંચત્રીમાં આવાધ અનુવાદો આપ્યા છે, જેને અનુલક્ષીને દિલ્હી સાહિત્યઅકાદમીનો અનુવાદ માટેનો એવોર્ડ તેમને મળ્યો છે. બંગાળી અનુવાદોમાં શરદબાબુની' સ્વામી' તથા 'શ્રીકાન્ત', *ચોર્પોરબાલી', 'વિરાજવહુ', 'બડીદીદી' જાણીતી કૃતિઓ છે. ‘શિશુથા', ‘શિશુસંસ્કારમાળા', 'શિશુભારતીપંથમાળા' આદિમાં તેમની બાલસાહિત્યકાર તરીકેની સર્જકતા અને સજ્જતા ઊભરી આવે છે. તેમણે બાલકાવ્યો અને બાલનાટકો પણ આપ્યાં, જે ‘રમણલાલ સોનીનાં બાળનાટકો' અને ‘રમણલાલ સોનીનાં બાળકાવ્યો'માં સંપાદિત છે. તેમના બાલસાહિત્યમાં કલ્પનાવૈભવ અને સહજ નિરૂપણ ધ્યાનાકર્ષક છે. ત્રિભોવન પુરુષોત્તમ લુહાર Jain Education International ગની દહીંવાળા ગુજરાતી શાયરોની પંગતમાં ગનીભાઈ માનવંતુ સ્થાન ધરાવે છે. એમની કલમ ખરેખર કસબી છે. ઈષ્ટ સામે દેખાતી વસ્તુને ગનીભાઈ એવી રીતે ઉપાડીને શેરમાં ઢાળી દે છે કે એ લોકજીભે આપોઆપ રમતો થઈ જાય છે. સુંદર કવિતા સાથે ઈશ્વરે તેમને હલમર્યો કંઠ પણ બચો છે. શ્રી 'શૂન્ય'ની જેમ શ્રીંગનીભાઈ પણ હિંદુ સંસ્કૃતિની છાયા હેઠળ છે. કીચો, રાધા, શંકર વગેરે પ્રતીકો એમની કલમમાંથી સહજરીતે પડે છે. ગીત-ગઝલા બંને પ્રકારો તેમણે ખેંકયા છે. જીવનદર્શનમાંથી પ્રગટતાં ચિંતન તેમણે ગીતો અને સવિશેષ ગઝલોમાં સરળતાથી અને રવાભાવિકતાથી, લાઘવ અને તીવ્રતાથી રજૂ કર્યાં છે. " રંગની' ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ; ગઝલમાં પ્રેમ નીતરતી, હું બાની લઈને આવ્યો છું.” એમ ગાનાર શાયર ગનીભાઈ ખરેખર ગુજરાતી ગઝલ-ઉપવનના બુલબુલ છે. પથપ્રદર્શક રમણલાલ સોની ત્રિભોવન પુરુષોત્તમ લુહાર, સુન્દરમ્ ‘સુંદરમ્' નું ઘડતર એમના રચનાકાળના પૂર્વાર્ધમાં ગાંધીદર્શનથી અને ઉત્તરાર્ધમાં શ્રી અરવિંદની અસરથી ચાયેલું છે. સુંદરમ્' તખલ્લુસ પણ તેમને ગાંધીજીની આત્મકથામાં આવતા એક નામ પરથી અપનાવ્યું છે. ૧૯૩૦ની સત્યાગ્રહની લડત વખતે અસંખ્ય યુવાનોની માફક સુંદરમ્ પણ ખભે થેલો ઝૂલાવીને નીકળી પડ્યા. એ પરિભ્રમણમાં તેમને અનેક કાવ્યો મળ્યાં. ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ ભાવ, અર્થ અને કાવ્યતત્ત્વ સમાવી દેવાની એમની શક્તિથી આપણને એક શ્રેષ્ઠ કવિ મળ્યા ! આ ઉપરાંત વાસ્તવવાદી વાર્તાકાર તરીકે પણ માનભર્યા સ્થાનના અધિકારી બન્યા છે. ‘પિયાસી' વાર્તાસંગ્રહમાં વાર્તાકાર તરીકેના તેમના ગુણો પરાકાષ્ટાએ પહોંચેલા દેખાઈ આવે છે. 'દક્ષિણાયન'માં દક્ષિણ ભારતના પ્રવાસના તેમના ઝમકદાર વર્ણનોએ આપણા પ્રવાસસાહિત્યમાં જુદી જ ભાત પાડી છે. એ પ્રવાસ પછી તેઓ દક્ષિણ ભારતમાં જ, અરવિંદ આશ્રમમાં સ્થાયી થયા અને પ્રભુપ્રીતિ અને અધ્યાત્મઝંખનાનાં બળવત્તર કાવ્યો પણ આપ્યા. ‘ઉન્નયન' સંગ્રહમાં આ ભાવનાને ગૂંથી લેવામાં તેઓ સફળ થયા છે. For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy