SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ મગનભાઈ ભૂધરભાઈ પટેલ - કવિ પત્તીવ કવિ પતીલ' ગાંધીયુગમાં તેમની રંગદર્શિતાભરી અને દર્દીલી ગઝલ અને ગઝલની ભાષાશૈલી-આકૃતિના પ્રયોગો માટે મહત્ત્વના છે. કવિ કહે છે: “ દમે આખર પતલિયાને કહો છો શું તમે આવી?, ન આપ્યો પ્રેમ તો મુજતે-હવે ખપના દિલાસા શા?” પોતાને જીવનમાં પડેલાં દુઃખો, થયેલો વિશ્વાસઘાત, મિત્રોની વિમુખતા, સ્વજનોનો દ્રોહ બધું હતાશારૂપે પ્રગટે છે. તેમના દર્દમાં પણ રંગીન મસ્તી છે.શ્રી બાલાશંકરની ગઝલોની મસ્તી તેમણે જીવંત કરી છે. તેમનો કાવ્યસંગ્રહ 'પ્રભાત નર્મદા' પ્રકૃતિ, પ્રણય અને નર્મદાના મહિમા સાથે જીવનની હતાશા અને કરુણાનું પણ ગાન ગાય છે. તેઓ ફારસી શબ્દો, શૈલી અને ગઝલના વિવિધ પ્રયોગો કરે છે. તેઓ પ્રયોગવીર છે,ાંકડા ગઝલવીર છે. તેમના સર્જનનો મુખ્ય સૂર કરુણતા રહ્યો છે, પણ તેમનામાં હાસ્યનિરૂપણની શક્તિ છે એ તેમનું "વાસવક્લેશપરિહાર' દર્શાવે છે. - Jain Education International યશવંત પંડ્યા મનસુખલાલ મગનલાલ ઝવેરી શ્રી મનસુખલાલ ઝવેરી વિદ્વાન પ્રાધ્યાપક, સફળ વક્તા, સમર્થ વિવેચક, ભાષાના ઊંડા જાણકાર, સફળ અનુવાદક તથા નવલિકાકાર તો ખરા પણ તેમની વિશિષ્ટ કીર્તિ તો કવિ તરીકેની જ છે. વિશદ ભાવનિરૂપણ અને પ્રાસાદિક વર્ણનોથી સભર કવિતાનો ફાલ તેમની પાસેથી મળ્યો છે. લાંબી છંદોબદ્ધ કાવ્યરચનાઓ તેમની વિશેષતા છે. ‘કુરુક્ષેત્ર'નાં પ્રસંગકાવ્યો તેમનું શ્રેષ્ઠ કાવ્યાર્પણ છે. પ્રેમકાવ્યોમાં કવિની સૌંદર્યભક્તિ આલેખાય છે. શ્રદ્ધાંજલિ કાવ્યોમાં મૃત્યુ વિશેનું ચિંતન પણ નોંધપાત્ર છે. ‘ચંદ્રત', 'ફૂલદોલ', 'આરાધના', 'અભિસાર', 'અનુભૂતિ અને 'કાવ્યસુષમા' તેમની કાવ્યકૃતિઓ છે. તેમની પ્રતિભા મુખ્યત્વે કવિવિવેચકની છે. પુરોગામી અને સમકાલીન કવિઓ-સર્જકોનું તેમણે કરેલું વિવેચન, તેમની તટસ્થ વિવેચકપ્રતિભાની પ્રતીતિ કરાવે છે. ‘થોડા વિવેચનલેખો’, ‘પર્યેષણા', ‘કાવ્ય વિમર્શ'અને ‘અભિગમ' તેમની વિવેચનકૃતિઓ છે. વ્યક્તિચિત્રો તથા પ્રવાસવર્ણન અને સંસ્કૃત-અંગ્રેજી ગ્રંથોનાં રૂપાંતરો જેવાં કે ‘શકુન્તલા’, ‘હેમ્લેટ’, ‘મેકબેથ' અને ‘એથેલો’પણ આસ્વાદ્ય શૈલીમાં કર્યાં છે. કવિ પતીલ યશવંત પંડ્યા એકાંકી નાટકોના રચયિતા તરીકે ખ્યાતિપ્રાપ્ત સર્જક શ્રી યશવંત પંડ્યા. નવીન શૈલીના એકાંકી લખનારાઓમાં આધ એવા બટુભાઈ ઉમરવાડિયા અને પછી પ્રાણજીવન પાઠક વગેરેની પરંપરામાં યશવંતભાઈ ગણનાપાત્ર નામ છે. એમની બીજી પ્રશસ્ય પ્રવૃત્તિ તે શિષ્ટ અને સંગીન સાહિત્યકૃતિઓનું ‘વાર્ષિક' કાઢવાની હતી, જેના ફલસ્વરૂપ ‘વીણા' અને ‘શરદ'ના અંકો મળ્યા. ‘પડદા પાછળ', 'અ. સૌ.કુમારી', ‘મદનમંદિર', 'રસજીવન', 'શરતના ઘોડા', 'ઘરદીવડી', 'ત્રિવેણી' વગેરે નાટિકાઓના સંગ્રહો અને લેખો દ્વારા એમણે સવા-દોઢ દાયકા સુધી સાહિત્યપ્રવૃત્તિ કરી. મુંબઈના જાણીતા ‘કલમમંડળ'ના સ્થાપક સભ્યોમાંના તેઓ એક હતા. દર વર્ષે ‘કુમાર’માં પ્રગટ થએલી ઉત્તમ કૃતિ માટે અપાતો ‘કુમારચંદ્રક’એ શ્રી યશવંત પંડયાની દેણગી હતી. તેઓ ગુજરાતના એક સંસ્કારપ્રેમી સાહિત્ય સેવક હતા. G For Private & Personal Use Only મનસુખલાલ ઝવેરી www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy