SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ७० પથપ્રદર્શક કેશવરામ કા. શાસ્ત્રી વિવેચકોની પરંપરામાં પણ વિવેચક કરતાં વધુ તો સંશોધક એવા શ્રી કે.કા.શાસ્ત્રીજી બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રકાંડ વિદ્વાન છે. એમણે મધ્યકાલીન કવિઓ અને કૃતિઓનું સારું એવું સંશોધન કર્યું છે. ‘કવિરચિત’ના બે ભાગોમાં એમણે મધ્યકાલીન કવિઓ વિષે સંશોધન કરી અલ્પજ્ઞાત કવિઓ પર પ્રકાશ પાડ્યો છે. મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનાં સંશોધન સાથે સંપાદનનાં સુફળ લેખે ચાલીસેક કૃતિઓ મળે છે. એમાં નરસિંહ, ભાલણ, પ્રેમાનંદ ને દયારામની કૃતિઓના સંગ્રહો તથા મહાભારતના પર્વો નોંધપાત્ર છે. ગુજરાતી ભાષાવિજ્ઞાન અને વ્યાકરણના ક્ષેત્રે એમનું પ્રશસ્ય પ્રદાન છે. ભાષાશાસ્ત્ર માટે ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ સન્માનથી નવાજ્યા છે. ‘બૃહદ્ ગુજરાતી કોષ ભાગ ૧-૨’, ‘ગુજરાતી ભાષાનો પાયાનો કોષ' વગેરે તેમણે પ્રસિદ્ધ કર્યા છે. આ ઉપરાંત સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, ઇતિહારા અને સંસ્કૃતિની કૃતિઓ, એકાંકીઓ, સંસ્કૃત અને અંગ્રેજીમાંથી અનુવાદો તેમણે કર્યા છે. તેમણે ‘વિશ્વ હિંદુ સમાચાર'માસિકના અને વલ્લભસંપ્રદાયના ‘અનુગ્રહ' માસિકના તંત્રી તરીકે પણ કામગીરી કરી છે. કેશવરામ કા. શાસ્ત્રી સુંદરજી ગોકુલદાસ બેટાઈ - ખંડ કાવ્યો, ઊર્મિ કાવ્યો, ગીતો અને ભજનોના કવિ શ્રી સુંદરજી બેટાઈ, ગાંધીયુગના આ કવિ વિવેચક અને અધ્યાપક તરીકે પણ નોંધપાત્ર છે. ‘જ્યોતિરેખા’, ‘ઇન્દ્રધનુ', ‘વિશેષાંજલિ', ‘સદ્ગત ચંદ્રશીલાને', ‘તુલસીદલ' વગેરે તેમના હાવ્યસંગ્રહો છે. એમણે 'સુલોચનાનું લોચનદાન' અને ‘શસ્ત્ર સંન્યાસ' જેવાં ખંડ કાવ્યો આપ્યાં છે. ‘સદ્ગત ચંદ્રશીલાને' કરુણપ્રશસ્તિ કાવ્યમાં પત્નીના અવસાન નિમિત્તે એમને ઉદ્દેશીને કરાયેલા ઉદ્ગારોમાં જીવનચિંતન પ્રગટ થાય છે.તેમણે છંદોબદ્ધ કાવ્યો તેમજ લયમધુર ગીતો રચ્યાં છે. ગુજરાતી ગીતોમાં એમની વિશિષ્ટતા એ દરિયાવિષયક નાવિક-ગીતો છે. 'શ્રાવણી વિદાય', 'દરિયાપીર' ને ખાસ તો ‘અલ્લાબેલી' ગીતથી એ સ્મરણીય છે. એમના ‘ખેલ દો' જેવાં ઉત્તમ ભક્તિકાવ્યો આસ્વાધ રામનારાયણ ના. પાઠક - છે. 'ગુજરાત સાહિત્યમાં સેનેટ અને ‘સુવર્ણમધ' વિવેચનગ્રંથોમાં તેમણે અધ્યાપકીય અભ્યાસની રીતે સૈદ્ધાંતિક અને સ્વરૂપલક્ષી વિવેચન કર્યું છે. Jain Education International સુંદરજી ગોકુલદાસ બેટાઈ રામનારાયણ ના. પાઠક પચીસ વર્ષની વયે તેમણે ‘પચાસ વર્ષ પછી' નામની નવલકથા લખી અને સાહિત્યની દુનિયામાં જાણીતા થયાં. આઝાદીની તમામ લડતોમાં સક્રિય ભાગ લીધો હતો. સાથે-સાથે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાલ શિક્ષણના પ્રણેતા ગિજુભાઈ વગેરે મળીને દસ જેટલાં જીવન ચરિત્રો લખ્યાં. ક્રાંતિકારી શહીદો તથા સંતોનાં ચરિત્રોધર્મકથાઓ, પ્રવાસવર્ણનો પણ લખ્યાં, તે બધું સાહિત્ય કિશોરોના જીવનઘડતર માટે તેમનું મૂલ્યવાન પ્રદાન છે. સ્વામી વિવેકાનંદના સાહિત્યના બાર ગ્રંથનું સંપાદન કરી એમણે ગુજરાતની પ્રજાને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત કર્યો, બધું મળીને તેમણે એસી જેટલાં પુસ્તકો લખ્યાં છે. સમાજસેવક તરીકેની તેમની પ્રવૃત્તિઓ, આ સાહિત્યના ઉદ્ગમનું પ્રેરણાબળ રહ્યું . અનેક શિક્ષણસંસ્થાઓમાં આચાર્ય તરીકે સેવાઓ આપી વિધાર્ટીઓના જીવન ઘડતર માટે ઉપયોગી સાહિત્ય પણ રચ્યું. દુનિયાભરના શિક્ષણ પ્રવાહો જાણવાસમજવા તેમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy