SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ઝીણાભાઈ દેસાઈ, નેહરશ્મિ - સ્વાતંત્ર્યસંગ્રામના સેનાની ‘સ્નેહરશ્મિ' એ સ્વાધીનતા અને દેશભક્તિના ભાવાભિનિવેશવાળી કવિતાઓ રચી છે. ગાંધીયુગના રંગે રંગાઈને સાહિત્યમાં રજૂ થયેલી દેશભક્તિનો પ્રથમ ઉદ્ગાર તેમની કવિતામાં ઝીલાયો છે. સામાજિક વિષમતા સાથેનો આક્રોશ અને દીનજનવાત્સલ્ય તેમની કવિતામાં છલકાય છે. તેમણે સુદીર્ઘ ચિંતનકાવ્યો પણ રચ્યાં છે. ઊંડી આરત અને વિરહના ભાવો પણ એમનાં કાવ્યોમાં આલેખાયાં છે. લાલિત્ય અને સ્વરમાધુર્ય એમની વિશેષતા છે. જાપાનના કાવ્યપ્રકાર ‘હાઈકુનો પ્રયોગ પ્રથમવાર કરીને તેઓએ એક નવી કાવ્યકેડી કંડારી છે. સત્તર અક્ષરના ગુચ્છમાં પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યનું તેમણે પાન કરાવ્યું છે. કવિપ્રતિભાને પડકારરૂપ આ લઘુરસ્વરૂપમાં, કવિની સ્વસ્થતા, શબ્દપ્રભુત્વ અને રસવૃષ્ટિનો સમન્વય થયો છે. કેટલાંક ગતિશીલ ચિત્રો હાઈકુમાં તેમણે સહજ રીતે આલેખ્યાં છે. કવિ સ્નેહરશ્મિ નવલિકાકાર તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા છે. તેમની વાર્તાઓમાં પણ કવિતાનો રંગ છલકતો દેખાય છે. જીવનનાં મૂલ્યો અને વાતકલાની સમતુલા તેમણે બરાબર સાચવી છે. ઝીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ નગીનદાસ પારેખ - અભ્યાસી વિવેચક, અનુવાદક અને સંપાદક તરીકે પ્રા.નગીનદાસ પારેખ ચિરસ્મરણીય છે. એમણે બંગાળીમાંથી શરદચંદ્ર અને રવીન્દ્રનાથની મોટા ભાગની કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. ટાગોરની “ઘરે બાહિરે' તથા શરદબાબુની “પરિણીતા' જેવી સુખ્યાત નવલકથાઓનો ગુજરાતને પરિચય એમણે આપ્યો. “ગીતાંજલિ'નો પણ ગુજરાતીમાં આસ્વાદ આપ્યો. આ ઉપરાંત બંગાળીના અસંખ્ય અનુવાદો મૂળને વફાદાર, પ્રાસાદિક અને વિશદ છે. “અભિનવનો રસવિચાર અને બીજા લેખો' એમના અભ્યાસલેખોનો સંગ્રહ છે. “ન હન્યતે'ના અનુવાદ માટે એમને સાહિત્યઅકાદમીનો પુરસ્કાર મળ્યો છે. અંગ્રેજી અને સંસ્કૃતમાંથી પણ ઉપયોગી અને ઉત્કૃષ્ટ સાહિત્યાનુવાદ એમણે આપ્યા છે. એમની પાસેથી ‘નવલરામ', “મહાદેવ દેસાઈ’, ‘પ્રેમાનંદ', “ગાંધીજી' જેવાં ચરિત્રલક્ષી પુસ્તકો પ્રાપ્ત થયાં છે. મોલિક અને અનુવાદના થઈને દોઢસો જેટલા ગ્રંથો આપનાર શ્રી પારેખ નિષ્ઠાવાન અને વિરલ સાહિત્યકાર છે. નગીનદાસ પારેખ કિશનસિંહ ચાવડા - મર્મગાહી પ્રસંગોના આલેખક અને જીવનમાંગલ્યનું દર્શન કરનારા સર્જક શ્રી કિશનસિંહ ચાવડા, જિપ્સી’ને ઉપનામે માનવજીવનના વાસ્તવિક અનુભવોના “અમાસના તારા'ના લેખક શ્રી ચાવડા એક સાધક સાહિત્યકાર છે. “અમાસના તારા'માં એવા પ્રસંગો આપ્યા છે કે એ ચિરંજીવ વાર્તાઓ કે રેખાચિત્રો તરીકે ગુજરાતીમાં સુવિખ્યાત છે. તેમની પારદર્શકતા સ્પર્શી જાય તેવી છે. “શર્વરીની વાર્તાઓ તેમણે આપી છે. “સમુદ્રના દ્વીપ’ તેમનો ગણનાપાત્ર નિબંધસંગ્રહ છે. “અમાસથી પૂનમ ભણી’ની આધ્યાત્મિક વિકાસની આત્મકથા અનોખી છે. એમનાં હિમાલયનાં પત્રો કાકાસાહેબના ‘હિમાલયનો પ્રવાસ'ની જેમ યાદગાર બન્યાં છે. “ક્ષત્રિય’ અને ‘નવગુજરાત' રાષ્ટ્રીય સાપ્તાહિકનું સંપાદન એમણે કર્યું હતું. અમેરિકામાં મુદ્રણની વિશેષ તાલીમ લેનાર શ્રી ચાવડા વડોદરામાં સાધના અને ચેતના પ્રેસનું સંચાલન કરતા હતા. શ્રી કિશનસિંહ ચાવડાએ અલ્પ પણ અનન્ય સાહિત્યઆપ્યું છે. કિશનસિંહ ચાવડા સાડી * ''///Cookies * fo : * Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy