SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી - ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિવેચક. માત્ર વિવેચનનાં લખાણો દ્વારા અસાધારણ પ્રતિષ્ઠા મેળવવી, નિર્ભય વિવેચનાઓ કર્યા રહેતા હોવા છતાં સાહિત્યની દુનિયામાં પ્રીતિ અને માનના અધિકારી બની રહેવું એ અત્યંત વિકટ સિદ્ધિ છે, તેઓ ધીરગંભીર અને પ્રસન્નભાવે વિવેચનને વર્ષો સુધી એકધારું ખેડીને અભિજાત સાક્ષરતાની છાપ પાડનાર વિવેચક હતા. પશ્ચિમના સાહિત્યના ગાઢ પરિશીલનથી ગુજરાતીસાહિત્યને નવો ઓપ આપ્યો. નર્મદથી લઈને આજના દરેક સાહિત્યકાર અને તેમની કૃતિઓ વિશે તેમણે તલસ્પર્શી વિવેચના કરી છે. કવિતા, કળા અને સૌંદર્યના મૂળભૂત સિદ્ધાંતોની તેમણે અનેકવાર સમર્થ ચર્ચા કરી છે. 'વિવેચન', 'પરિશીલન', 'અર્વાચીન ચિન્તનાત્મક ગધ' અને 'ઉપાયન' જેવા તેમના વિવેચનગ્રંથો તેમને સર્જકની કક્ષાએ મૂકે છે. તેઓ સમર્થ વિવેચક હોવા ઉપરાંત સુંદર ગધકાર પણ છે. ‘ભાવના સૃષ્ટિ’ અને ‘દ્રુમપર્ણ' તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ગુણવંતરાય આચાર્ય રાંદ્રવદન ચીમનલાલ મહેતા . સાહિત્યક્ષેત્રે નાટ્યમહર્ષિ ચન્દ્રવદનનો પ્રવેશ કવિતા દ્વારા થયો. અગેય પૃથ્વી છંદ, પ્રવાહી પદ્ય અને સેનેટ-ત્રણેનું નવી પેઢીમાં અવતરણ તેમના ‘યમલ’ કાવ્યસંગ્રહથી થયું. ‘ઇલાકાવ્યો’માં ભાઈ-બહેનનાં સ્નેહનાં કાવ્યો આપ્યાં. ગુર્જરભક્તિ અને સ્વદેશભક્તિની કવિતાઓ પણ રચી તો અછાંદસ કટાક્ષકાવ્યો પણ આપ્યાં. તેમની પ્રતિભા નાટ્યક્ષેત્રે વિશેષ મહોરતી દેખાય છે. અભિનેય નાટકો રચી નાસ્યસાહિત્યને સમૃદ્ધ કર્યું. કવિતાનો નાયમાં વિનિયોગ કરી આપ્યો. બાળનાટકો, રેડિયોનાટકો, ચરિત્રાત્મક નાટકો, પ્રહસનો અને ભવાઈ શૈલીનાં નાટકોના સફળ પ્રયોગો કર્યા છે. 'અખો', “મૂગી સ્ત્રી', 'આગગાડી', ‘નાગાબાવા', 'નર્મદની રંગલીલા' જેવાં કંઈક નાટકો તેમણે લખ્યાં અને સફળતાપૂર્વક રંગમંચ પર ઉતાર્યાં. ‘આગગાડી' જેવું ટ્રેજેડી નાટક એમનું શ્રેષ્ઠ નાટ્યસર્જન ગણાય છે. ‘ગઠરિયાં' શ્રેણીનાં ૧૧ પુસ્તકોમાં આત્મકથા અને સંસ્મરણો આલેખ્યાં છે. એમના વ્યકિતત્વની દૃઢ મુદ્રા એમના ગધ પર અંકાયેલી છે. Jain Education International વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી ગુણવંતરાય આચાર્ય - નવલચાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર શ્રી ગુણવંતરાય આચાર્ય દરિયાઈ નવલકથાઓ માટે જાણીતા છે. દરિયાઈ સાહસની નવલકથાઓ એ ગુણવંતરાયની વિશિષ્ટતા બની ગઈ. ભાવકોને આંજી નાખે એવી ભાષાીલીમાં થોકબંધ સાહિત્ય અંદાજે દોઢસો જેટલી કૃતિઓ એમણે લખી. ‘દરિયાલાલ’, ‘સક્કરબાર”, ‘સરફરોશ', ‘જળસમાધિ' જેવી સાગરવિષયક કથાઓનો દરિયો એમણે વાચક સમક્ષ ખુલ્લો કરી દીધો. એમણે ‘મહાઅમાત્ય માધવ’, ‘વર ગઢ’, ‘સારંગદેવ' જેવી ઐતિહાસિક નવલો પણ આપી છે. એમણે ‘અલ્લાબેલી', ‘જોગમાયા', ‘અખોવન', ‘આપઘાત' જેવાં નાટકો પણ આપ્યાં છે, જેમાં ‘અલ્લાબેલી' સાગરસંબદ્ધ સફળ અભિનેય નાટક છે. ‘સુભાષચંદ્ર બોઝ' જેવું ચરિત્ર લેખન એમની કલમે આપ્યું છે. આપણા ઇતિહારાનું ગૌરવ કરવું, વર્તમાનના રંગો ઝીલવા અને માનવીય મૂલ્યોની અસ્મિતા દાખવવી એ એમના સર્જનના ત્રિવિધ હેતુ રહ્યા છે. ५७ For Private & Personal Use Only ચંદ્રવદન ચીમનલાલ મહેત www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy