SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ રણજીતરામ વાવાભાઈ મહેતા વિશ્વનાથ મ. ભટ્ટ ગુજરાતીસાહિત્યના પ્રથમપંક્તિના અભ્યાસી અનેતટસ્થ વિવેચકોમાં શ્રી વિશ્વનાથનું સ્થાન ચિરંજીવ છે. ‘સાહિત્યસમીક્ષા', ‘વિવેચનમુકુર', પૂજા અને પરીક્ષા' વગેરે વિવેચનગ્રંથોમાં તેમનું તત્ત્વનિષ્ઠ અને અશેષ નિરૂપણ તેમને વિજયરાય અને વિષ્ણુપ્રસાદની હરોળમાં સ્થાન અપાવે છે, તેમની શૈલી વધારે ત્રાજુ અને પ્રસાદમધુર છે. 'સરસ્વતીચંદ્ર' અંગે ‘પંક્તિયુગનું મહાકાવ્ય' એ એમનું દીર્ઘ પ્રવચન કે ‘વિવેચન શાસ્ત્ર કે કલા ?' એ ચર્ચા એમની વિવેચનસૂઝના પુરાવારૂપ છે. ‘પારિભાષિક કોશ’, ‘નર્મદનું મંદિર' (૧-૨) અને ‘નિબંધમાલા' એમનાં અભ્યાસપૂર્ણ અને મનોહર સંપાદનો છે. ટોલ્સ્ટોયની છએક વૃત્તિઓનાં તેમણે સરળ અને રુચિર સંપાદનો આપ્યાં છે. ‘વીર નર્મદ’ આજ સુધીનાં ચરિત્રોમાં ઉચ્ચાસને બેસતું એમની રસપ્રદ શૈલીના અહં સમું છે. રણજિતરામ વાવાભાઈ મહેતા શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતા ગુજરાતના ઐતિહાસિક સાધનોના અભ્યાસી, ગુજરાતી સાહિત્યના નિરંતર ભક્ત, યુરોપીય આધુનિક સાહિત્યના વાચક અને વિવેચક તરીકે અનેરા હતા. ગુજરાતીસાહિત્યમાં જેમ રણજિતરામ સુવર્ણચંદ્રક મળવો વિશેષ બહુમાન લેખાય છે તેમ જ, તેમના કાળમાં મોટા-મોટા કવિઓ અને લેખકો શ્રી રણજિતરામના અનુમોદનની હોંશ રાખતા અને મદદની અપેક્ષા રાખતા. શ્રી મુનશી તો એટલે સુધી કહે છે કે "" ...મને લાગવા માંડ્યું કે જે કાંઈ લખું તે મારું નથી, રણજિતરામનો પણ તેમાં ભાગ છે.” અનેક લેખક, કવિ, અભ્યાસી, વિવેચકની આવી લાગણી છે. કેટલાક તેમને જીવંત સર્વજ્ઞાનસંગ્રહ(ર્વિબેંકે વૃડિ) કહેતા. તેઓ સાક્ષરોના પ્રેરક એવા સાક્ષર હતા. આપણી પાસે તેમના છૂટાછવાયા લેખો છે. ભૂત ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ લખવાની તેમના મનની ઉમેદ હતી પણ તે મનની મનમાં જ રહી અને અકાળે તેમનું અવસાન થયું. - Jain Education International બચુભાઈ પોપટભાઈ રાવત પથપ્રદર્શક વિશ્વનાથ મ. ભટ્ટ બચુભાઈ પોપટભાઈ રાવત સક્રિય સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વ દ્વારા ગાંધીયુગની સાહિત્યરુચિને સંસ્કારવામાં તેમનું પ્રદાન મૂલ્યવાન છે. ૧૯૨૪થી ૪૨ દરમિયાન રવિશંકર રાવળ સાથે ‘કુમાર’ના સહતંત્રી અને ૧૯૪૩થી ૮૦ દરમિયાન તંત્રી તરીકે કુશળ કામગીરી બજાવી. ગુજરાતની પ્રજાના સંસ્કાર અને સાહિત્યના ઘડતરમાં તેમનો અને ‘કુમાર’નો ફાળો અનન્ય છે. ૧૯૩૦માં તેમણે ‘બુધસભા’ની સ્થાપના કરી, જેણે અનેક ગુજરાતી કવિઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં.૧૯૫૪માં જૂના મુંબઈ રાજ્યની વિધાનસભામાં ગવર્નર તરફથી છ વર્ષ માટે તેમની નિમણૂક કરવામાં આવી. ‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા'માં તેમના કળાવિષયક લેખો અને કળાવિવેચન છે ઉપરાંત ‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ' પુસ્તક તેમણે આપ્યું છે. 'ટૂંકી વાર્તાઓ'માં તેમણે હિંદીમાંથી ટૂંકીવાર્તાના કરેલા અનુવાદો સંચિત છે. ૧૯૪૮માં પત્રકારત્વક્ષેત્રે સેવા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ૧૯૦૫માં ‘પદ્મશ્રી’થી તેમને સન્માનિત કરાયા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy