SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૬૫ વિજયરાય કલ્યાણરાય વૈધ, વિનોદકાન - શ્રી વિજયરાય વૈધની પ્રતિષ્ઠા ગુજરાતમાં આધુનિક વિવેચનકળાના આધદ્રષ્ટાતરીકે ઝળકી છે. તેઓ મર્મગ્રાહી વિવેચક છે. આરંભમાં “વિનોદકાન્ત' ઉપનામધારી વિજયરાયે ગુજરાતી વિવેચનમાં “સાહિત્ય દર્શન', જૂઈ અને કેતકી’, ‘નાનાલાલ કવિની જીવનવૃષ્ટિ' વગેરે સંશોધન-વિવેચનગ્રંથોથી રસલક્ષી અને કૌતુકરાગી વિવેચનની નવી દિશા ખોલી હતી. વિવેચનશાસ્ત્ર પણ રસ અને ઊર્મિ સાથે સંબંધિત છે, એ એમની નવતરશૈલીએ પ્રતિપાદિત કર્યું હતું. ગુજરાતી સાહિત્યની રૂપરેખા' એ રસલક્ષી શૈલીમાં ઝીણા અભ્યાસપૂર્વક આપેલ નોંધપાત્ર સાહિત્યપ્રદાન છે. “લીલાંસૂકાં પાન'માં તેમણે નર્મદયુગનો પરિચય કરાવ્યો છે. શુક્રતારક'માં ચિત્રાત્મક શૈલીમાં એમણે શ્રી નવલરામ પંડયાનું જીવનચરિત્ર આપ્યું છે. ગ્લેદકાળની સંસ્કૃતિ' એમની મહત્ત્વકાંક્ષી કૃતિ છે. “નાજુક સવારી', “પ્રભાતના રંગ'માં એમણે હળવી નિબંધિકાઓ આપી છે. એમની પોતાની સાહિત્ય-પત્રકારત્વ અને જીવનના સંઘર્ષની રસમય આત્મકથા “વિનાયકની આત્મકથા' નામે આપી છે. વિજયરાય કલ્યાણરાય વૈદ્ય રસિકલાલ પરીખ - શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ અઠંગ અભ્યાસી, સન્નિષ્ઠ સંશોધક-વિવેચક, વિધાર્થીવત્સલ વિદ્યાગુરુ, સમ્યક સંપાદક અને સંવેદનશીલ સર્જક હતા. “સંજય' ઉપનામથી એમણે “રૂપિયાનું ઝાડ' નામક નાટક અને “મૂસિકાર' ઉપનામથી કાવ્યો લખેલાં. “મૃતિ’ તેમનો કાવ્યસંગ્રહ અને “જીવનનાં વહેણો' તેમનો વાર્તાસંગ્રહ છે. નાટકમાં અને એ નાતે ભવાઈમાં તેમને ઊંડો રસ હતો. “શર્વિલક' અને મેના ગુર્જરી' તેમની વિખ્યાત નાટ્યકૃતિઓ છે. “શર્વિલક' તેમનું બહુ વખણાયેલું ઐતિહાસિક નાટક છે, જેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ‘આનંદમીમાંસા', “પુરોચન અને વિવેચન', “આકાશભાષિત', “સરસ્વતીચંદ્રનો મહિમા' આદિ તેમના વિવેચનસંગ્રહો છે. મુનિશ્રી જિનવિજયજી તથા પંડિત સુખલાલજી જેવા વિદ્વાનસંપર્કોથી સંશોધન અને અભ્યાસવૃત્તિની યોગ્ય દિશા સાંપડનાર શ્રી પરીખ પોતે સર્વતોમુખી પ્રતિભા અને સર્વતોભદ્ર પ્રકૃતિ ને પ્રવૃત્તિ દ્વારા અનેક અનુગામીઓના પ્રેરણારૂપ બની રહ્યા. રસિકલાલ છો. પરીખ હીરાબહેન રામનારાયણ પાઠક - કવિતાક્ષેત્રે તેમ જ વિવેચનમાં તેઓ અગ્રગણ્ય છે. પ્રખ્યાત સાહિત્યકાર શ્રી રામનારાયણ વી. પાઠક સાથે હીરાબહેને સ્નેહલગ્ન કર્યા હતાં. પાઠકસાહેબના અવસાન પછી હીરાબહેને પરલોકે પત્ર' શીર્ષકથી પાઠક સાહેબને સંબોધીને કવિતારૂપે પત્રો લખવા શરૂ કર્યા હતાં. તેમની આ રચના ગુજરાતી સાહિત્યમાં દામ્પત્યપ્રેમના સુદીર્ઘ કાવ્ય અને કરુણપ્રશસ્તિ કાવ્ય તરીકે ધ્યાનાકર્ષક બની રહેલા છે. કવિતા, લેખો, સંશોધન, વિવેચન જેવી લેખનપ્રવૃત્તિ દ્વારા એમણે રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક તથા ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત કર્યા હતાં. વિવેચનમાં “આપણું વિવેચનસાહિત્ય' (મહાનિબંધ), કાવ્યભાવન', “કાવ્યાસ્વાદ', “વિક્રુતિ' ને “પરિબોધના' વિવેચનલેખસંગ્રહ તથા “ગવાક્ષદીપ' ચિંતનાત્મક નિબંધો જેવી સમૃદ્ધ સાહિત્યસેવા કરી છે. સ્ત્રીવિવેચક તરીકે તેઓ શ્રેષ્ઠ છે. હીરાબહેન રામનારાયણ પાઠક Jain Education Intemational a For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy