SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ રામપ્રસાદ પ્રે. બક્ષી ચાંપશી વી. ઉદેશી ઝવેરચંદ મેઘાણી - ગાંધીજીએ આપેલ મહામૂલું બિરુદ‘રાષ્ટ્રીય શાયર'- તરીકે પ્રસિદ્ધ ઝવેરચંદ મેઘાણી સર્જક ઉપરાંત સંશોધક તરીકે સદૈવ સ્મરણીય રહેશે. આ નખશીખ સોરઠી સાહિત્યકારે લોક્થાઓ, વ્રતકાઓ, સંતકચાઓ અને શૌર્યકથાઓનો ખજાનો ખોલી આપ્યો. લોકગીતો, લગ્નગીતો અને દુહાઓનો ભંડાર પ્રસ્તુત કર્યો. લોક્સાહિત્યનું સંશોધન અને સંપાદન તેમનું જીવનકાર્ય બની રહ્યું. સૌરાષ્ટ્રના ખમીરવંતા ઇતિહાસને અને સંસ્કૃતિને તેમણે પુનર્જીવિત કરી. તેમણે ઐતિહાસિક નવલકથાઓ પણ રચી, તળપદા કુટુંબજીવનની સૌરભને મહેકાવતી સામાજિક નવલકથાઓ પણ લખી, સોરઠ, તારાં વહેતાં પાણી', 'અપરાધી', ‘વેવિશાળ', ‘તુલસીક્યારો', વગેરે તેમની ખ્યાતિપ્રાપ્ત નવલકથાઓ છે. નાટક, ચરિત્ર, પત્રકારત્વ અને વિવેચનક્ષેત્રે પણ તેમણે કલમ ચલાવી છે. કોઈનો લાડકવાયો', 'છેલ્લો કટોરો' જેવાં કાવ્યો અને એવાં અનેક સંવેદનશીલ સર્જનોથી ગુજરાત તેના આ સોરઠીપુત્રને પોતાના હૃદયમાં ચિરંજીવ સ્થાન અર્પે છે. Jain Education International - ચાંપશી વી. ઉદ્દેશી ગુજરાતના એક પીઢ, સંનિષ્ઠ અને અનુભવી તંત્રી શ્રી ચાંપશી દેશી. શરૂઆતમાં તેઓ 'જ્ઞાનસુધા', 'વસંત', 'વીસમી સદી' જેવાં સાહિત્યિક સામાયિકોમાં લખતા હતા. ચાંપશીભાઈ એટલે ‘નવચેતન’ અને ‘નવચેતન’ એટલે ચાંપશીભાઈ, 'વીસમી સદી' બંધ થયા બાદ ત્યારે એ પ્રકારનું માસિક શરૂ કરવાનું ચાંપશીભાઈને મન થયું અને જન્મ થયો ‘નવચેતન’માસિકનો. ભારતીય સંસ્કૃતિના તેઓ ચાહક હતા. ‘નવચેતન'માં આવતી વાર્તાઓ પણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ હોય તેને પહેલી પસંદ કરતા.એક જ તંત્રી અને એક જ સંચાલક તરીકે પૂરા બાવન વર્ષ સુધી તેમણે પોતે ‘નવચેતન' માસિક ચલાવ્યું. નાટ્યક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન છે. અવેતન રંગભૂમિ માટે તેઓ નાટક લખતા, વ્યવસાયી રંગભૂમિ માટે તેમણે ‘જંજીરના ઝણકારે', “ઘેલી ગુણિયલ', 'ગરીબનાં આંસુ', 'આજની દુનિયા' નામનાં નાટકો લખ્યાં હતાં. 'કવિતાકલાપ' તેમનો કાવયસંગ્રહ છે અને ‘સ્મૃતિસંવેદન' તેમની આત્મકથા છે. પથપ્રદર્શક ઝવેરચંદ મેઘાણી રામપ્રસાદ પ્રે. બક્ષી ગાંધીયુગના વિવેચક તરીકે ઊચું સ્તર ધરાવનાર શ્રી રામપ્રસાદ બક્ષી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર તેમ જ આધુનિક અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના વિષયોના ઊંડા અભ્યાસી હતા. વાઙમયવિમર્શ'એમનો ગણનાપાત્ર વિવેચનગ્રંથ છે. એમાં રસ, અલંકાર, પ્રતીક, ટૂંકી વાર્તા, નિબંધિકા, એકાંકી વગેરે સ્વરૂપો જેવા વિષયો પર પોતાનું વિશિષ્ટ દૃષ્ટિબિંદુ પ્રગટ કર્યું છે. આ વિવેચનમાં એમની શાસ્ત્રીયતા અને પાંડિત્ય ઝળકી ઊઠે છે. એમની કાવ્યશાસ્ત્રની સમજ ઊંચી કોટિની છે. એમના ‘સ્નેહમુદ્રા’ અને અન્ય કાવ્યસંગ્રહના વિવેચનમાં પણ રસજ્ઞ પર્યેષણા દેખાય છે. એમનું 'કથાસરિતા', 'સુખમની', ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય'ઉપરાંત 'ગોવર્ધનરામની મનનનોંધ' જેવું પંડિત ગોવર્ધનરામની 'સ્કેપબુક'નું અનુવાદ કાર્ય પણ નોંધપાત્ર છે. એમણે ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય'માં ગોવર્ધનરામના વ્યક્તિત્વ અને સર્જકત્વનાં વિવિધ પાસાંની ચર્ચા કરી છે. તેઓ બહુશ્રુત વિદ્વાન વિવેચક ઉપરાંત ઉત્તમ શિક્ષક પણ હતા. - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy