SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ o૮૮ એસ.એન.ડી.ટી. યુનિ.માં પત્રકારત્વનાં વ્યાખ્યાનો આપ્યાં અને ત્યાંની વિદ્યાર્થીનીઓને પ્રેક્ટીકલ તાલિમ આપી. ‘એલિસ અજાયબ નગરીમાં', “પવિત્ર ભૂમિ', પુસ્તકો અનુવાદરૂપે પ્રસિદ્ધ થયા. ‘ચાર્લી ચેપ્લિન', “ઇસ્મત ચુગતાઈ', લીલાંછમ ગ્રાફિક્સ' (વાર્તાસંગ્રહ) પુસ્તકો તૈયાર કર્યા. તે ઉપરાંત સાહિત્ય અકાદમી, એન.એમ. ત્રિપાઠી અને પ્રવીણ પ્રકાશનમાં પુસ્તકોનાં કવરજેકેટ તૈયાર કર્યા. હરીન્દ્ર દવેના તંત્રીલેખોનું પુસ્તક “વ્યક્તિ અને વિભૂતિ’ ૧૯૯૭માં પ્રગટ કર્યું. | નોર્થ અમેરિકાના જૈન એસોસિએશન તરફથી તરુબેનને તેમની દસમી કોન્ફરન્સમાં “ગુજરાતી સાહિત્યમાં જૈનીઝમ' વિશે વ્યાખ્યાન આપવા આમંચ્યા હતાં. ૧૯૯૬માં મરીનલાઈન્સ જે.સી. તરફથી શહેરની વિશિષ્ટ મહિલા તરીકેનો એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૭માં કલકત્તા હલચલ' સાપ્તાહિક તરફથી પત્રકારત્વમાં વિશિષ્ટ યોગદાન માટે તરૂબેનને સન્માનવામાં આવ્યાં હતાં. ૧૯૯૭માં જૂહુ જાયન્ટસ તરફથી પત્રકારત્વના ક્ષેત્રમાં મહત્ત્વના યોગદાન બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૨૦૦૩માં બોમ્બે નોર્થ-વેસ્ટ રોટરી ક્લબ તરફથી પત્રકાર તરીકે વિશિષ્ટ વોકેશનલ એવોર્ડ મળ્યો હતો. શરદ જશવંતરાય દોશી શરદ દોશીનો જન્મ ૧૨ નવેમ્બર ૧૯૫૧ના રોજ શિહોરમાં થયો હતો. વ્યવસાયે મુંબઈ ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કોઓપરેટીવ બેંકની કાંદીવલી શાખાના શાખા વ્યવસ્થાપક તરીકે કામગીરી બજાવે છે. તેમણે એમ.એ., ડી.સી.એ., જી.ડી.સી. એન્ડ એ.ડી.સી.બી.એમ. તથા પત્રકારત્વનો ડિપ્લોમા અને કોવિદની પરીક્ષા પાસ કરી છે. તે ઉપરાંત સંસ્કૃત-ગીતા કોવિદ અને શુદ્ધદ્વૈત વિશારદની ડિગ્રી મેળવી છે. શરદ દોશી ફી લાન્સ પત્રકાર છે. ૧00 થી વધુ રેડિયો કાર્યક્રમો આકાશવાણી મુંબઈમાં કર્યા છે. ૧૫ થી વધુ ટી.વી. કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. મુંબઈ સમાચાર, જન્મભૂમિ પ્રવાસી, કપોળ અને કપોળ મિત્ર, કપોળ સમાજદર્પણમાં લેખો લખ્યા છે. પથપ્રદર્શક જન્મભૂમિમાં વરિષ્ઠ નાગરિકોની મુલાકાતો પ્રગટ થાય છે. ‘વાતાવરણની ભીતરમાં પર્યાવરણની શ્રેણી રજૂ થઈ છે. અપંગોની દુનિયા’ પુસ્તકમાં લેખો લખ્યા છે. સુગંધનું સરનામું પુસ્તિકાનું સંપાદન કર્યું છે. પ્રેમપુરી આશ્રમમાં થતાં વ્યાખ્યાનોનું વિવેચન અને હેવાલ પ્રસિદ્ધ કરે છે. વસંતભાઈ પરીખ એટલે અમરેલીમાં સદાકાળ વસંત દૂબળું પાતળું શરીર-ભાગ્યે જ ઓળેલા વાળ–અસ્તવ્યસ્ત કપડાં અને ધીમી ચાલે અમરેલીના રસ્તા પર કિનારે જો કોઈ ચાલતું જોવા મળે તો તેમ સમજવું કે સંસ્કૃત અને ગુજરાતી વિષયના કૃપાપાત્ર અને અમૃતપુત્ર વસંતભાઈ છે! નાજુક તબીયત અને તદ્દન સરળ જીવન વ્યવહાર સાથે જીવતા વસંતભાઈ ૭૨ વર્ષ વટાવી ચૂક્યા છે. શાંત-સરળ અને સૌજન્યશીલ વસંતભાઈ બે ત્રણ હુમલાને ખાળી પુનઃ સ્વસ્થ બની ગયા છે. અમરેલીની ફોરવર્ડ સ્કૂલના વિદ્યાર્થી અને સ્નાતક થયા પછી કોલેજમાં પ્રાધ્યાપક થયા ત્યાં સુધી (૧૯૫૫-૬૧) સુધી ફોરવર્ડ સ્કૂલમાં જ શિક્ષક તરીકે રહેલા શ્રી વસંતભાઈ પેઢી દર પેઢીથી અમરેલીના વતની છે. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા વસંતભાઈ તેમના અભ્યાસ કાળથી જ તીવ્ર બુદ્ધિપ્રતિભાથી સૌને પ્રભાવિત કરતા રહ્યા છે. તે સમયે અમરેલીમાં કોલેજ નહીં. ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃત મુખ્ય વિષય સાથે સ્નાતક થયા પછી અનુસ્નાતક પણ ત્યાં જ થયા. ફોરવર્ડ સ્કૂલમાં તેમની શિક્ષક તરીકેની કારકિર્દી દરમ્યાન અનેક વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેઓ કરતા રહ્યા. તે સમયે તેમણે વિદ્યાર્થીઓ ભજવી શકે તેવાં નાટકો લખ્યાં હતાં. અમરેલીમાં પ્રતાપરાય આર્ટ્સ કોલેજ શરૂ થઈ ત્યારથી તેઓ સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયેલા અને એ વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા ત્યાં સુધી એ જ સંસ્થામાં રહ્યા. શ્રી વસંતભાઈ એક કુશળ અધ્યાપક, એક પ્રમાણભૂત સંશોધક અને કુશળ વક્તા છે. તેમના હાથ નીચે દસેક વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. પરંતુ તેઓ આજે પણ એક વિદ્યાર્થી જ રહ્યા છે. સતત અભ્યાસ રત રહીને તેઓ જીવન જીવતા સંદર્ભ ગ્રંથ બન્યા છે. વેદ-ઉપનિષદ-પુરાણ-થી શરૂ કરીને અદ્યતન સાહિત્ય પ્રવાહોથી તેઓ સતત પરિચિત રહે છે. ભાગ્યે જ એવો કોઈ વિષય હશે. જેનું જ્ઞાન તેમની પાસે નહીં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy