SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કવિ, સંચાલક કિરીટ બારોટ ' કિરીટ હરગોવિંદજી બારોટનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ થયો હતો. અત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો મુંબઈના આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે એમ.એસ. યુનિ.માંથી બી.એ.ની પદવી મેળવી હતી. ૧૯૭૫ થી ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા છે. ૧૯૭૫ થી ૧૯૮૪ સુધી એનાઉન્સર, ૧૯૮૪ થી ૧૯૯૯ સુધી પ્રોડ્યુસર અને ૧૯૯૯ થી આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે કવિતા, ગદ્ય લખવાનો શોખ છે, નાટકોમાં અને ટી.વી.માં અભિનય કર્યો છે. સ્ટેજ શોના એન્કર તરીકે કામગીરી બજાવી છે. ૨00 થી વધુ રેડિયો કાર્યક્રમોમાં ભાગ લીધો, લેખન કર્યું અને નિર્માણ સંભાળ્યું છે. ઘાત, સેત. આક્રોશ, પ્રેમનુષ્પા. પુરૂષ, ઊછીના શ્વાસ, હું ઘેર નહિ આવું, ચકડોળ, પત્તાંની જોડ, અંધેરી નગરી, નખરાળી બહુ, મોટી બા, વિગેરે ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે. ધરમચંદ, સપ્તપદી, જ્યોતિ, ચલ ચક્ર, અમર વારસો વિગેરે ટી.વી. સિરિયલોમાં કામ કર્યું છે. મહાભારત, વર્તમાન, શ્રી ગણેશ, ટી.વી. સિરિયલમાં અવાજ આપ્યો છે. હિંદી ફિલ્મ ગુનાહોં કી શતરંજમાં પણ કામગીરી બજાવી તેજસ્વી પત્રકાર વૈશાલી ઠક્કર વૈશાલી જગદીશ ઠક્કરનો જન્મ ૩૧ જુલાઈ ૧૯૫૮માં થયો હતો. ૧૯૭૮માં એમ.એમ.પી. શાહ કૉલેજ માટુંગામાંથી બી.એ. ની પદવી મેળવી. ૧૯૭૯માં હિંદી ટાઈપીંગ શિખીને મિનિટે ૩૦ શબ્દોની સ્પીડ હાંસલ કરી. શાળા કોલેજમાં રમતગમત અને નાટકમાં અભિનય, રાસગરબા, વસ્તૃત્વ, નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાહિત્ય પ્રત્યેની અભિરૂચિ પિતા તરફથી વારસામાં મળી છે. ૧૯૭૮માં “આશીર્વાદ' સંસ્થા તરફથી હિંદી ભાષામાં લખાયેલી “બુઆજી કી સ્મશાન યાત્રા' વાર્તા માટે અખિલ ભારત સ્તરે પ્રથમ ઇનામ મળ્યું હતું. વાર્તાની પસંદગી સમિતિમાં કમલેશ્વર, ધર્માધિકારી અને દિનેશ શુક્લ હતા. “શક્તિદળ' નામના હિંદી સામાયિકમાં ટૂંકી વાર્તાઓ અને લેખો લખ્યા તથા “જન્મભૂમિ પ્રવાસી'માં જયશ્રી મજીઠિયાના નામે લેખો લખ્યા સાથે સાથે પિતાજીની ઓફિસનું કામ પણ સંભાળ્યું. શોખ ખાતર બ્યુટી–મહેંદીનો કોર્સ કર્યો. વાચન, લેખન, શાસ્ત્રીય સંગીત સાંભળવાનો શોખ “લોહાણા સૌરભ'માં મહિલા વિશેષાંકમાં લેખન કર્યું. પુત્ર મોટો થયો એટલે ઘરની જવાબદારી થોડી ઓછી થતાં “એગ્રીનેટ સોલ્યુશન્સ' કંપનીમાં ભાષાંતર, પ્રફ રીડીંગ, એડીટીંગ અને ટેલિ કપ્યુટીંગનું કામ સંભાળ્યું. ઉચ્ચ કક્ષાની ટેકનીકલ ભાષા સાથે નિષ્ણાતો દ્વારા લખાયેલા ખેતીવાડી વિશેના લેખોના અનુવાદ અને નેટ પર રજૂ થવાના હોવાથી તે પહેલાંનું કામ ખાસ્સી કાળજી માગી લે તેવું હતું. ત્યારબાદ ‘અભિયાન' સાપ્તાહિકમાં રીપોર્ટીગ, સ્ટોરી રાઈટીંગનું કામ શરૂ કર્યું, અનેક માણસોને મળી તેમની મુલાકાત રજૂ કરી. હાલમાં ગુજરાત સમાચાર' ની મુંબઈ આવૃત્તિમાં પત્રકાર તરીકેની કામગીરી બજાવે છે. • - તરુ મેઘાણી-કજારિયા તરુબેન અત્યારે “જન્મભૂમિ-પ્રવાસી' અખબારની રવિપૂર્તિનું તથા “કલમકિતાબ' સોમવારની પૂર્તિનું સંપાદન કરે છે. તેમણે ૧૯૭૦માં વેસ્ટ બંગાલ બોર્ડમાંથી હાયર સેકંડરીની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી હતી. ત્યારબાદ કલકત્તા યુનિ.માંથી બી.એ. અને એસ.એન.ડી.ટી. યુનિ.માંથી ગુજરાતી અને પત્રકારત્વ સાથે એમ.એ. પ્રથમ વર્ગમાં પાસ કર્યું. ૧૯૮૩થી ૧૯૮૭ સુધી ઉપતંત્રી તરીકે અને તે અગાઉ ૧૯૭૪ થી ફ્રિલાન્સ પત્રકાર તરીકે કામગીરી બજાવી. રેડિયો અને ટી.વી. પર વાર્તા કાવ્યો આપ્યાં અને મુલાકાતો લીધી. છે. કચ્છ ડિસ્ટ્રીક્ટ યુથ ફેસ્ટીવલમાં ‘ચોપગું' એકાંકીનું નિર્દેશન કર્યું હતું તેને પ્રથમ ઇનામ મળ્યું હતું. ગૂંચ’ નાટક પોતે લખ્યું અને નિર્દેશન પણ કર્યું હતું. અમિતાભ બચ્ચન, હેમા માલીની, ઋષિ કપૂર, અનિલ કપૂર, ગોવિંદા, જૉની લીવર, વિવેક મુશરન, સાધના સરગમ, પંકજ ઉધાસ, મનહર ઉધાસ, વિજુ શાહ, ચંદ્રવદન ભટ્ટ, અરવિંદ ઠક્કર, શંભુ દામનીવાલા, વિનેશ અંતાણી, બિમલ માંગલિયા, બિપિન કોટક, ચંદ્રકાંત સાંગાણી, રાજેન્દ્ર બુટાલા, આશા પારેખ, હની છાયા, હેમંત ઝા વિગેરે મહાનુભાવો સાથે કામ કર્યું છે. યુ. કે. અને કેનેડાનો ૧૯૯૩માં નાટ્યપ્રવાસ કર્યો હતો. “શબ્દાંકુર' કાવ્ય સંગ્રહ પ્રગટ થયો છે. ઓલ ઇન્ડિયા રેડિયોના માન્ય ઉદ્ઘોષક છે. . Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy