SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ વિશેષ નૈતિક જવાબદારી હતી. એ જમાનામાં તેઓ માત્ર પદ્મા હતાં. શાળામાં ભણતાં ભણતાં જ એમનામાંની પ્રતિભા કાઠું કાઢવા માંડી હતી. રાસ-ગરબામાં ભાગ લેવાથી માંડીને શાળામાં ભજવાતાં નાટકોમાં પણ તેઓ ન માત્ર ભાગ લેતાં પણ લોકોને વારંવાર પ્રભાવિત પણ કરતાં. આટલું ઓછું હોય તેમ રમતગમતમાં પણ તેઓ શ્રેષ્ઠ હતાં. પઘાની જેમ નાની બહેન ઇન્દુ, આજની સરિતા જોશી પણ એ સ્કૂલમાં ભણે. બંને બહેનોની વિવિધ કળા પ્રત્યેની રૂચિ સૌમાં જાણીતી હતી. જાણીતા અભિનેત્રી અરુણા ઇરાનીના પિતા ફરેદુન ઇરાની એ જમાનામાં નાટ્યક્ષેત્રે ખૂબ મોટું નામ હતા. લક્ષ્મી કલાકેન્દ્ર અને લક્ષ્મીકાંત નાટક સમાજ જેવી એમની નાટ્યસંસ્થાઓ ગુણવાન નાટકોનાં સર્જન માટે જાણીતી હતી. આ નાટક કંપનીએ એકવાર બરોડામાં પડાવ નાખ્યો હતો. લક્ષ્મી કલાકેન્દ્રના નેજા હેઠળ બનતા નાટક કુલીનકન્યા માટે ફરદુનશેઠને નવી અભિનેત્રીઓ જોઈતી હતી. એ જમાનામાં અત્યંત જાણીતાં અભિનેત્રી રાણી પ્રેમલતા આ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવતાં હતાં. નવી અભિનેત્રીઓની જરૂર વિશે ખબર પડતાં જ હાઈસ્કૂલમાંથી જ પદ્મારાણીના નામની ભલામણ કરવામાં આવી. અને એમનાથી નાની ઇન્દુની પણ. ૧૯૫૧–૫૩ ની સાલની એ ઘટના. કુલીનકન્યામાં પધા-ઇન્દુ બંને બહેનોને ભૂમિકા મળી અને બેઉનું સહિયારું જૂની રંગભૂમિ પર પદાર્પણ થયું. એ વખતે હજી તો કિશોરાવસ્થામાં હોવા છતાં બંને બહેનોએ એમની અભિનયક્ષમતાથી સૌનાં મન જીતી લીધાં. અને એ સાથે રંગભૂમિ સાથેનો બેઉનો અતૂટ સંબંધ શરૂ થયો. ફરદુન શેઠની નાટક કંપનીઓ જ્યાં સુધી બરોડા રહી ત્યાં સુધી બંને બહેનોએ એનાં નાટકોમાં પોતાના અભિનયનાં ઓજસ પાથર્યાં. રાણી પ્રેમલતા પદ્મારાણીના અભિનયથી અત્યંત પ્રભાવિત થયાં. એવામાં, “મારે નથી પરણવું’ નામના એક નાટક વખતે રાણી પ્રેમલતાની તબિયત લથડી. નાટક ભજવાતું રહે એ માટે એમનાં સ્થાને મુખ્ય ભૂમિકામાં કોઈક બીજી અભિનેત્રીને લેવાની જરૂર સર્જાઈ. એ વખતે એમણે આ પડકારજનક કાર્ય પાર પાડવા જાતે જ પદ્મારાણીની પસંદગી કરી. અને આ નાટકમાં પધાના નામ સાથે રાણી ઉમેરીને એમણે જ એમને પદ્મારાણી બનાવ્યાં. “મારે નથી પરણવું' ની જાહેરાતોનાં બોર્ડ પર પદ્મારાણી નામ પ્રસિદ્ધ થયું અને ત્યારથી પદમાએ એક નવા નામ સાથે ઓળખ બનાવવાનો અવિરત અધ્યાય શરૂ કર્યો. અત્યંત સફળ થયેલા આ નાટકથી હાઈસ્કૂલની એક કિશોરી રંગમંચના વિશાળ ફલક પર વિચારશીલ અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત થઈ. એ પછી ફરદુનશેઠની નાટક કંપની બરોડાથી મુંબઈ આવી. અને પદ્મા-ઇન્દુની બહેનબેલડીએ પણ મુંબઈની વાટ પકડી. મુંબઈમાં પદ્મારાણીને “પાનેતર” નામના એક સીમાચિહ્નરૂપ નાટકમાં ભૂમિકા ભજવવાની તક મળી, એ પણ મુખ્ય ભૂમિકા. ઇરાની શેઠની કંપનીના આ નાટકે એવી તો સફળતા મેળવી કે એણે અઢીસો પ્રયોગો ભજવ્યા. આ નાટકે પદ્મારાણીને મુંબઈની રંગભૂમિ પર મોટા ગજાનાં અભિનેત્રી બનાવી દીધાં. કારકિર્દીની શરૂઆતમાં એમણે ઇરાનીશેઠ ઉપરાંત અદી મર્ઝબાન અને વિજયદત્તની નાટ્યસંસ્થા ‘બહુરૂપી’ના નેજા હેઠળ વિજય દત્ત દિગ્દર્શિત “અભિષેક” નાટકમાં યાદગાર ભૂમિકા ભજવી. એ નાટકથી જ નવી રંગભૂમિમાં એમનું પદાર્પણ થયું. પદ્મારાણીએ કારકિર્દીની શરૂઆત હળવી શૈલીવાળાં રમૂજી પાત્રોથી કરી હતી. પણ મુંબઈમાં આવ્યા પછી એમને એક પછી એક વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવવાની તક મળતી ગઈ. પટરાણી’, ‘અભિષેક', “સ્વયંસિદ્ધા', ‘તૂટી દોર પતંગની' સહિતનાં કેટલાંય સફળ નાટકો એની સાબિતી છે. ચીમનલાલ ત્રિવેદીની સંસ્થા અભિનયભારતી સાથે પદ્મારાણી લાંબો સમય સંકળાયેલાં રહ્યાં હતાં. આ સંસ્થાના નેજા હેઠળ એમણે જુવાનીનાં ઝેર’, ‘ન્યાયના પંથે', “ધૂપસળી', ‘નીલગગનના પંખેરું', ‘મને અજવાળાં બોલાવે’, ‘આતમદીપનાં અજવાળાં', ‘રાતરાણી' જેવાં કેટલાંય નાટકોમાં અભિનય કર્યો. આ સંસ્થા માટે જ એમણે બધાં જ સ્ત્રીપાત્ર ધરાવતું ‘તુલસીક્યારો' નામનું એક અભિનવ નાટક દિગ્દર્શિત પણ કર્યું હતું. પદ્મારાણીનાં નાટકોની એક ખાસિયત એ રહી છે કે જે નાટકમાં એ કામ કરતાં અથવા આજે પણ કરે છે એ સફળતાને વરે છે અને આ નાટકના નિર્માતાનું નસીબ પણ ઊઘડે છે. નાટકનું પણ નિર્માણ કર્યું હતું. નિર્માત્રી હોવા છતાં એમણે ક્યારેય એવો આગ્રહ રાખ્યો નહીં કે પોતાની સંસ્થાનાં નાટક એ પોતે દિગ્દર્શિત કરે. અને આટલી વ્યસ્તતા છતાં પણ પદ્મારાણીએ કળાના અન્ય પ્રકાર એવા ફિલ્મક્ષેત્રે પણ અસાધારણ સ્થાન બનાવ્યું છે. પોતાની પ્રદીર્ઘ કારકિર્દીમાં બસોથી વધુ હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ૧૯૬૨માં નરસૈયાની હૂંડીફિલ્મમાં તેઓ રૂપેરી પડદે પ્રથમવાર ચમક્યાં હતાં. “કલાપી’ ફિલ્મમાં સંજીવકુમાર સાથે એમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાંના અભિનય માટે એમને ગુજરાત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy