SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૮૧ સામાજિક પ્રવૃત્તિ : દીકરો નહી હોવાથી લોકોપયોગી પ્રવૃત્તિઓમાં જોડાવાનો નિર્ણય કર્યો. ભગિની સેવા મંદિર, કુમારિકા સ્ત્રી મંડળ સંસ્થા કે જે આજથી ૭૫ વર્ષ પહેલાં પૂજ્ય ગાંધીબાપુના હસ્તે સ્થપાયેલી અને ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરતી હતી અને આજે પણ વિવિધ શૈક્ષણિક વિભાગોનું સંચાલન કરે છે. અને ખૂબ ફૂલીફાલી છે, ત્યાં મેનેજિંગ કમિટિના મેમ્બર તરીકે નિયુક્ત થઈ ત્યારબાદ છેલ્લાં ૩૨ વર્ષો મંત્રી, ખજાનચી અને મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી છે. અત્યારે પણ મંત્રી અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત હાલમાં વિલેપારલેની જમનાબાઈ સ્કુલમાં એડવાઈઝરી કમિટીમાં અને અનએઈડેડ સ્કુલ ફોરમમાં એકિઝક્યુટીવ કમિટીમાં છે. પ્રતિભાઓ કલાકારોની ભેટ ધરી છે. એ અજોડ છે. અનોખી છે અને ગુજરાતી નાટ્યજગત આ બાબતે આ દંપતિનું સદાય ઋણી રહેશે. મુક્તાબહેન આ એકેડેમીના વિજયભાઈની વિદાય પછી ડાયરેક્ટર પદે રહી યુવા કલાકારોને યોગ્ય પ્રેમાળ માર્ગદર્શન કરી રહ્યાં છે અને વિજયદત્તનું રંગભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યાં છે, વેદનાના પહાડને અંતરના છેલ્લે ખૂણે ધરબીને! મહારાષ્ટ્ર સરકારે છાનેખૂણે બેસી અનેકવિધ સામાજિકસાંસ્કૃતિક અને કલાક્ષેત્રની સેવા કશા જ ઘોંઘાટ-ધખારા વગર કરી રહેલાં મુક્તાબહેનને ૧૯૮૨માં એસ.ઇ.એમ.નો હોદ્દો આપી એમની કદર કરી છે. આટઆટલી પ્રવૃત્તિઓ કરતાં મુક્તાબેન ભાગ્યે જ “અખબાર"નાં પાને ચમક્યાં છે. કારણ કે એ “નેપથ્ય”ના માણસ છે. વિજય દત્તની નાટ્ય પ્રવૃત્તિની રગેરગમાં પ્રસરી ચૂકેલાં મુક્તાબેન નાટક એ રંગમંચનું હોય કે જીંદગીનું હોય, એમાં સદાય નેપથ્યમાં જ રહેવાના. આજના પ્રસિદ્ધિભૂખ્યા માનવસમાજમાં નેપચ્ચે જ રહેતાં મુક્તાબેનને આ બાબતમાં પ્રશ્ન કરતાં સરસ જવાબ મળે છે. | નેપથ્થ” જ મારો વૈભવ છે. મારી એકલીનો-મારો પોતીકો વૈભવ....અને આ “નેપથ્ય'માં વાસ છે મારા વિજયનો, મારા પરાગનો, મારા સિદ્ધાંતનો જે મારાં પ્રેરણા અને પ્રેરકબળ બની મારામાં ધબકતા રહ્યાં છે. મૃદુલા જતીનભાઈ રસકપુરવાલા | મૂળ વતન સુરત. જન્મ પ્રતિષ્ઠિત પાટીદાર કુટુંબમાં વીરમગામ નજીક પાટડી મુકામે થયો. પિતા શ્રી કાંતિલાલ મગનલાલ પટેલ મુંબઈમાં ધંધાર્થે સ્થાયી થવાથી બાળપણથી જ મુંબઈમાં રહેઠાણ. બાળપણનાં થોડાં વર્ષો સારાં ગયાં પણ નાની વયે જ પૂજ્ય માતા કલાવતીબેનનું અવસાન થતાં માતાનો પ્રેમ ગુમાવ્યો. શરૂઆતમાં પ્રાથમિક શિક્ષણ પ્રાર્થના સમાજ ખાતે સુનીતિ સ્કુલમાં અને ત્યારબાદ માધ્યમિક શિક્ષણ ચંદારામજી હાઈસ્કૂલમાં લીધું. અભ્યાસમાં સારી પ્રગતિ હોવા છતાં કૌટુંબિક સંજોગોને આધીન અભ્યાસ છોડવો પડ્યો. એસ.એસ.સી. પણ થઈ શકાયું નહીં. નાનપણથી જ સ્કુલમાં તેમજ સમાજમાં કાર્ય કરવાનો શોખ. વિલેપારલેમાં વર્ષોથી રહેતા પ્રતિષ્ઠિત રંગીલદાસ રસકપુરવાલાના કુટુંબના પુત્ર જતીન સાથે લગ્ન થયાં. સ્વ. મનહર રસકપૂર મૂળ વતન સુરત. જન્મ સુરત મુકામે એક સંસ્કારી રસકપૂરવાલા કુટુંબમાં થયો. પિતાશ્રી રંગીલદાસભાઈ મુંબઈ મુકામે સ્થિત હોવાથી બાળપણ મુંબઈ ખાતે પસાર થયું. યુવાન થતાં તેઓએ તેમની અટક રસકપૂરવાલાને બદલે રસકપૂર કરી હતી. મુંબઈની ગોકુલદાસ તેજપાલ સ્કૂલમાં શિક્ષણની શરૂઆત કરી ત્યારબાદ પિતાજીએ વિલેપારલામાં બંગલો લેતાં પાલની શ્રીમતી ગોકળીબાઈ પી. પી. હાઈસ્કૂલમાં દાખલ થયા. અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી હતા. મેટ્રિક સારી રીતે પાસ કરીને કોલેજમાં દાખલ થયા. પણ ૧૯૪૨ ની ચળવળમાં ભાગ લેવા અભ્યાસ છોડી દીધો. સ્કુલમાં દરેક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતા. નાનપણથી જ ફિલ્મલાઈનમાં જવાની ઇચ્છા હતી અને ઉંમર વધતાં તે દૃઢ થઈ. પિતાશ્રી તેમને પોતાના ધંધામાં જોડવા માંગતા હતા. પરંતુ તેની તેમણે દઢપણે ના પાડી. ફિલ્મલાઈનમાં જોડાવા માટે માતાપિતાનો ખૂબ જ વિરોધ હતો છતાં તેમણે મનહરભાઈની દઢ ઇચ્છાને વશ થવું પડ્યું. પિતાજીના સંબંધી અને તે જમાનાના ખ્યાતનામ નિર્માતા-દિગદર્શક શ્રી વિજય ભટ્ટના હાથ નીચે પ્રકાશ પિકચર્સમાં સહાયક દિગ્દર્શકની નોકરી તેમણે સ્વીકારી. ત્યારબાદ થોડા વખતમાં શ્રી વિજયભાઈના આશીર્વાદથી પોતાની ફિલ્મ કંપની સ્થાપી અને પ્રથમ ચિત્ર ‘જોગીદાસ ખુમાણનું નિર્માણ કર્યું. તેનું દિગ્દર્શન પણ તેમણે જ For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy