SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ ७८० હાકલ પડતાં જ સમરાંગણ પર ગાંધીબાપુના એક બોલ પર ધસી જનારા હતા. સ્વાતંત્ર્ય સૈનિકો સાથે ખભેખભા મિલાવીઆઝાદીના જંગના અનેક આશકોમાં અમરેલીના પ્રગતિશીલ વિચારો ઘરાવતાં જૈન પરિવારના સમાજસેવક મગનભાઈ કોરડિયાને ત્યાં તા. ૨૫-૧૦-૩૨ના રોજ કન્યારત્નનો જન્મ થાય છે. “મુક્તિ” કાજે જંગે ચડેલા મગનભાઈ દીકરીનું નામ ‘“મુક્તિ’” પાડે છે. ’૪૨ની લડાઈમાં પિતાજીની આંગળી પકડી– પ્રભાતફેરી સરઘસ સભાઓમાં સાથે જ રહેતી, ગામડાઓમાં પ્રચારાર્થે પોતાના બાપુજી તેમજ ઉપર જણાવેલ સહુ સહકાર્યકર કાકાઓ સાથે પણ માઈલોના માઈલો ચાલીને પણ ગઈ છે. જૈનધર્મી મુક્તાએ જૈન પાઠશાળામાં જઈ સૂત્રોનો અભ્યાસ કર્યો છે. સાધુમહારાજોના ચોમાસા દરમ્યાન જૈનધર્મનાં શાશ્વત મૂલ્યો-આદર્શ અને ધર્મશાસ્ત્રના પરિશીલનતામાં પણ ઝબોળાયા છે. અને ગાંધી વિચારધારા સાદાઈ–ઉચ્ચ વિચારધારા–દેશસેવા જેવા અનેક આદર્શોનું પાલન કરવાનો માહોલ મળ્યો એનો પૂરેપૂરો લાભ લીધો છે. અને ઇ.સ. ૧૯૫૦માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી મુંબઈની અંધેરીની ભવન્સ કોલેજમાં સાયન્સમાં એડમીશન લઈ હોસ્ટેલમાં રહી અભ્યાસ આગળ વધારે છે. કલા, સંગીત અને સ્નેહના માધુર્યનો ત્રિવેણીસંગમ યુવાન કોલેજીયન મુક્તામાં પ્રવૃત્તિરુપે પાંગરતો હોય છે ત્યારે ગોળમટોળ કોમળ કસુંબલ ચહેરાવાળા મિષ્ટભાષી તેજસ્વી એવા એક યુવાનનો પરિચય થાય છે. ‘હોસ્ટેલ ડે’ની ઉજવણીના સમયે યુવાન કોલેજનો ઉભરતો કલાકાર છે. “નાટક”ની દુનિયા તરફ પા પા પગલી માંડતો છતાંયે એક ઉત્તમ અદાકાર-સંપૂર્ણ અદાકાર થવાની આગાહી આપતા એ યુવાન સાથેનો પરિચય નાટક ભજવતાં ભજવતાં પ્રણયમાં પરિણમે છે. ૧૯૫૨ની સાલ...બ્રાહ્મણ યુવાન વિજયભટ્ટ અને જૈન યુવતી મુક્તા ભવન્સ કોલેજની મેઈડ ફોર ઇચ અધર' ની જોડી બની રહે છે. પણ મુક્તાના એ મુક્ત વિચારધારા ધરાવતાં ન્યાતજાતમાં જરાયે નહિ માનતા દીર્ઘદ્રષ્ટિ અને ગાંધીયન વિચારધારી પિતાજી અને માતાના પરમ પવિત્ર આશીર્વાદ સાથે ૧૯૫૫માં લગ્નગ્રંથીથી જોડાયાં. કલાપ્રેમને પ્રાધાન્ય આપી સુતરના જ નહિ પ્રેમના તાંતણે ગૂંથાઈ જૈતમાંથી અદ્વૈત સર્જી રંગમંચના દેવતાને આ યુગલ શેષ જીવન સમર્પિત કરી, નાટ્યદેવતાના આજન્મ સેવક બની નાટ્યજગતનું પ્રસન્નદાંપત્યના વિરલ આદર્શરૂપ બની રહે છે. મુક્તાના સરળ અને લાગણીભીના સ્વભાવે ફક્ત એને Jain Education International પથપ્રદર્શક પ્રેમાળ ગૃહિણી-ગૃહસ્થી જ નથી બનાવી. વિજય દત્તની નાટ્ય પ્રવૃત્તિમાં ખભેખભા મિલાવી. જીંદગીની રણરેતના સુખદુઃખના સાથી, નાટ્યપ્રવૃત્તિના નેપથ્ય આજીવન કલાકાર, ત્રણત્રણ દિકરીઓની પ્રેમાળ માતા અને એક પુત્રની શિક્ષણદાત્રી પણ બની છે. દરેક સંતાનને કલાનું શિક્ષણ પણ આપ્યું છે. મંજરી વર્તેએ કથકનૃત્યની તાલીમ લીધી છે. મીનળ ભટ્ટ ક્લાસીકલ સંગીતનું શિક્ષણ પામ્યાં છે. સોનલ કાપડિયા ડ્રેસ ડિઝાઈનર છે અને પરાગે એલ.એલ.બી. કરીને, દૂરદર્શન પર પણ ટ્રેઈનીંગ લીધી હતી અને પ્રીન્ટીંગ પ્રેસનો માલિક હતો. કલાકાર તો ચારેય સંતાનો છે. નાટકોમાં સહુએ સફળતાપૂર્વક અભિનય આપ્યો છે, પણ ફક્ત શોખ ખાતર. સંતાનોના ઉછેરનું–સંસ્કાર સીંચનનું ઉચ્ચ કાર્ય કરી સુયોગ્ય જીવનસાથી સાથે સહુને પુરેપુરા ધાર્મિક વિશ્વથી તેમજ કોઈપણ ઝાકઝમાળ નહિ પણ સુંદર રીતે પરણાવ્યાં છે આ દંપતિએ. સાથે સાથે મુક્તાબેને નાટ્યપ્રવૃત્તિ અને ગૃહસ્થીમાંથી સમય કાઢીને મુંબઈની અનેક સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે પોતાની જાતને સંલગ્ન કરી છે. પ્રજ્ઞાચક્ષુ માટે ઘણી નોવેલ ત્યારે રેકોર્ડિંગ કરી આપી છે. કલાનો પણ સેવા તરીકે જ ઉપયોગ કર્યો છે. આ રીતે એમની જીંદગી-પ્રવૃત્તિની પાંખોથી સદાય ફડફડતી રહી છે. પછી એ પ્રવૃત્તિનું ધામ મૌક્તિક હિતવર્ધક મંડળ હોય, બોરડીની શાળા હોય-સ્વજન ફાઉન્ડેશન હોય; લાયન્સ ગ્રુપ હોય, જાયન્ટ્સ ગ્રુપ હોય કે મહિલા મંડળો હોય કે પછી કલાગુર્જરી હોય. એ રીતે આત્મીયતા સાથે જૈન ઉપાશ્રય–દેરાસર અને સ્વજનો જેઓએ દીક્ષા લઈ સાધુતા પ્રાપ્ત કરી છે એ સહુ સાથે સંકળાયેલાં છે. અનેક આધ્યાત્મિક શિબિરો પણ યોજી છે. અને અત્યારે છેલ્લા ૧૭ વર્ષથી કાવ્ય જગતની ‘“અક્ષર અર્ચના’”ના અધ્યક્ષા રહી દરમહિને કવિની બેઠકો યોજી ખૂબ જ સફળતાપૂર્વક અનેક કવિઓ એમાંથી આજે મોટું ગજું કાઢી આગળ પ્રગતિનાં સોપાન ચડી રહ્યા છે. વિજય દત્તની સાથે જીંદગીની એક એક ક્ષણને એણે એની કલા અને સેવા પ્રીતિથી શણગારીને માણી છે. ઉજાળી છે. પુત્ર-પુત્રવધૂ અને પૌત્રને વિમાની અકસ્માતમાં ગુમાવ્યાનાં અસહ્ય આઘાતને વિજયભાઈ અને મુક્તાબેને એક રચનાત્મક કાર્યમાં કલાક્ષેત્રે–વિશેષતઃ નાટ્યક્ષેત્રે દિકરા પરાગ જેવી પાંગરતી અન્ય કલાપ્રતિભાને પાંગરતી કરવા પુત્રને અંજલિ અર્પતું એક પ્રવૃત્તિથી ધબકતું સ્મારક “પરાગ વિજય દત્ત નાટ્ય અકાદમી'' શ્રી વિલેપાર્લે કેળવણી મંડળના સથવારે રચ્યું. અને આજે રંગમંચ ગજાવતાં અનેક તરુણ કલાકારોને નાટ્ય શિક્ષણ આપવાનો મહાન પુરુષાર્થ આ દંપતિએ કર્યો છે. અને રંગભૂમિનાં ચરણે દર વર્ષે નીતનવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy