SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ગુજરાતના ઉદયકાળના સાક્ષી પત્રકાર શંકર ભટ્ટ પત્રકાર શંકર ભટ્ટ સક્રિય પત્રકારત્વમાં આવ્યા એ અગાઉ આયુર્વેદના ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ પણ કરતા હતા. સત્તર વર્ષ સુધી એકધારી પ્રેક્ટિસ બાદ તેઓ સક્રિય પત્રકારત્વમાં આવ્યા હતા. ગરીબો પાસેથી પૈસા ન લેવા એવા આગ્રહને કારણે તેમની આવક વિશે અંદાજ બાંધી શકાય. પુત્ર તુષાર ભટ્ટને પત્રકારત્વની શીખ અને પાયાના પાઠ તેમણે જ શીખવ્યા. તેમના મતે, ‘આપણી આસપાસના સામાન્ય માણસોમાં ઘણું અસાધારણ તત્ત્વ પડેલું છે તેને શોધીને બહાર લાવવું.' તેમને સમાજમાં જાણીતા કરવા એ પણ પત્રકારત્વનું મહત્ત્વનું કામ છે.' તેઓ કહેતા, “પત્રકારત્વ એક આયના જેવું હોવું જોઈએ જેમાં સામાન્ય લોકોના અસામાન્ય સંઘર્ષ, જીવનશૈલી, તેમની પ્રામાણિકતા, આશાઓ, આકાંક્ષાઓ, સફળતા, નિષ્ફળતાઓ અને આનંદની નાનીમોટી તમામ ક્ષણો ઝિલાતી હોય. ‘જનસત્તા’અને ‘પ્રભાત દૈનિક'ની તેમની સુદીર્ધ કામગીરી દરમ્યાન ૧૯૭૪માં તેમને ઉત્તમ રિપોર્ટિંગ માટે ચંદ્રકાન્ત વોરા એવોર્ડ એનાયત થયો હતો. શંકર ભટ્ટ પત્રકારો, સાહિત્યકારો, ફિલસૂફો અને ગાંધીજનોનું વિશાળ ચાહક-વર્તુળ ધરાવતા હતા. તેમના પુત્ર તુષાર ભટ્ટ ગુજરાતની બૌદ્ધિક સંપદા છે અને તેમના પૌત્ર અભિજિત ભટ્ટ પણ પત્રકારત્વમાં જ કાર્યરત રહી તેમના આગવા વિચારોને આગળ ધપાવે છે. અંગ્રેજી મારફતે ગુજરાતીતાને પ્રસરાવનાર તુષાર ભટ્ટ રઘુવીર ચૌધરીના શબ્દોમાં, “તુષાર ભટ્ટ બોલે ત્યારે હાસ્ય લાગે, લખે ત્યારે કલામીમાંસા સુધી પહોંચી શકે અને એ જે જવાબદારી સંભાળતા હોય એ ગંભીર પ્રકારની હોય. શુષ્કને રસપ્રદ કરવાના એ માહેર છે.'' ગુજરાતમાં અંગ્રેજી અખબારો વાંચનારા અને તેમાંય ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' વાંચનારાઓ માટે તુષાર ભટ્ટ નામ અજાણ્યું નથી. ૭ જાન્યુઆરી ૧૯૪૨ના રોજ તેમનો જન્મ પત્રકાર-વૈદ્ય શંકર ભટ્ટના કુટુંબમાં. કુટુંબ જ સમાજચિંતનની શાળા જેવું. અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનો અભ્યાસ પણ હૈયે Jain Education International tuto છેવાડાનાં, નોખાં અને આગવાં ગુજરાતીને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાની ચિંતા–તેમને સક્રિય પત્રકારત્વમાં ખેંચી લાવી. ૧૯૯૨માં અમદાવાદમાં ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના નિવાસીતંત્રી તરીકે આવ્યા એ અગાઉ તેઓ પત્રકારત્વના ક્ષેત્રમાં વિવિધ કામગીરી કરી ચૂક્યા હતા. ‘હિન્દુ’ના ગુજરાત ખાતેના સંવાદદાતા, યુ એન આઈના અમદાવાદ બ્યુરોના વડા, મુંબઈમાં પત્રકારોની તાલીમ યોજનાના સંવાહક, ધી ઇકોનિમિક ટાઇમ્સ’ના સંવાદદાતા જેવી વિવિધ જવાબદારીઓનું વહન તેમણે કર્યું હતું. ૧૯૭૯માં કલકત્તાની ‘આનંદબજાર' પત્રિકાના આર્થિક વિભાગના ગુજરાત ખાતેના સંવાદદાતા બન્યા. ‘ટેલિગ્રાફ’ માં પણ જોડાયા. ૧૯૮૯ થી ધી ઇકોનોમિક ટાઇમ્સ'ના નિવાસી તંત્રી તરીકે અમદાવાદ આવ્યા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની અમદાવાદ આવૃત્તિને પણ સાચવી. નિવૃત્તિ બાદ ન્યૂયોર્કથી પ્રગટ થતા ‘ગુજરાત ટાઇમ્સ’ના સ્થાપક તરીકે પણ પાયાનું કામ કર્યું. તેમના પત્રકારત્વની આગવી શૈલી રહી છે અને તેમનાં વાચકો-ચાહકો મુંબઈથી ન્યૂયોર્ક સુધી વિસ્તરેલાં છે. અંગ્રેજી પત્રકારત્વક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ તેમને શેખાદમ આબુવાલા એવોર્ડ મળી ચૂક્યો છે. અંગ્રેજી દૈનિકમાં ગુજરાતનાં સંસ્કૃત' પણ ઓછાં જાણીતા ગુજરાતીઓ અંગે લેખમાળા લખીને ગુજરાતીઓને અંગ્રેજી મારફતે વિશ્વમાં જાણીતાં કર્યાં છે. તેમના લેખોનો સંગ્રહ અંગ્રેજીમાં ‘સ્કેચીઝ ઇન ધ સેન્ડ’ અને ગુજરાતીમાં રેતીમાં રેખાચિત્રો નામે પ્રકાશિત થઈ ચૂક્યો છે. દૂરદર્શન અને આકાશવાણી પરથી તેમના અનેક કાર્યક્રમો પ્રસારિત થઈ ચૂક્યા છે. તુષારભાઈએ લીધેલી મુલાકાતો ‘હળવે હૈયે' ગુજરાતીભાષામાં જાણીતો અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કાર્યક્રમ બની રહ્યો હતો. તુષારભાઈ માને છે કે, “આજનું પત્રકારત્વ વ્યક્તિ વિશેષ પર આધારિત બની ગયું છે. બૌદ્ધિક મુગ્ધતા વધી છે....પત્રકારો પોતે જે ખૂણામાં હોય તે ખૂણો ચોખ્ખો રાખે તો પણ ઘણું.' અનેકવિધ સંસ્થાઓના મોભી ઇન્દુભાઈ ચાતુર્વેદી ગાંધીવાદી વિચારસરણીના ચુસ્ત હિમાયતી અને અનુયાયી શ્રી ઇન્દુકુમાર ચાતુર્વેદીનું નામ ભાવનગરના પત્રકાર જગતમાં ચાર દાયકાથી પ્રખર રહ્યું છે. ‘ફૂલછાબ’ અને ‘જન્મભૂમિ' અખબાર જૂથના પ્રતિનિધિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy