SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ o૫૮ તરીકે શ્રી ચાતુર્વેદીનું અખબારી જગતનું પ્રદાન પેઢીગત છે. તેમના પુત્ર બકુલ ચાતુર્વેદી તથા પુત્રી ઇલા ચાતુર્વેદી પણ પત્રકાર છે. ભાવનગરના સવારના દૈનિક લોકરાજ'ના તંત્રી રહી ચૂકેલા શ્રી ઇન્દુભાઈ ચાતુર્વેદી ભાવનગર પ્રેસ ક્લબના સ્થાપક અને ધરોહર રહ્યા છે. સ્પષ્ટ વક્તા અને અત્યંત તીવ્ર ‘સેન્સ ઓફ હ્યુમર’નું વ્યક્તિત્વ ધરાવતા શ્રી ચાતુર્વેદીની મમતાભરી પ્રકૃતિ અસત્ય અને અન્યાયના પ્રસંગે ફૂંફાડા મારનારી જ બની રહે છે તેથી જ પત્રકાર આલમની કોઈ પણ સમસ્યા કે પ્રશ્ન શ્રી ઇન્દુકુમાર ચાતુર્વેદીનું નેતૃત્વ પરિણામ લઈને જ જંપ્યું છે. જાહેરજીવનમાં પણ શ્રી ઇન્દુભાઈ ચાતુર્વેદી સક્રિય રહ્યા છે. અનેકવિધ સંસ્થાઓ સાથે તેમનો નાતો અને ઘરોબો છે. ભાવનગર મોટર સંઘ શ્રી ઇન્દુભાઈ ચાતુર્વેદીની કુશળતા અને વહીવટી સૂઝનું ઉમદા દૃષ્ટાંત છે. નખશીખ પારદર્શિતા પથપ્રદર્શક અને સંગઠનબળની પ્રતિતિ કરાવતા રહેલા આ સંઘના સંચાલન સાથે તેમણે સહકારી પ્રવૃત્તિની રગ પણ પકડી જાણી છે. શ્રી ઇન્દુભાઈ ચાતુર્વેદીનો સ્વભાવ સાલસ છે. સંગાથીઓને તેઓ ક્યારેય ભૂલતા નથી. મનગમતાં માણસ મળી જાય તો સ્થળ, સમયને વિસારે પાડીને આત્મીયતા વ્યક્ત કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. શ્રી ઇન્દુભાઈનું નામ નજર સામે રાખવામાં આવે તો ભાવનગરનું હાલનું પત્રકાર જગત ત્રીજી પેઢી છે. ફૂલછાબ' “જન્મભૂમિ' અખબાર જૂથ દ્વારા અખબાર પ્રકાશન સિવાયની પણ અનેક સેવાકીય અને સખાવતી પ્રવૃત્તિ ચાલે છે. આ પ્રવૃત્તિઓનો ભાવનગરને પણ ટાણું આવ્ય, લાભ મળી રહે તે માટે ઇન્દુભાઈ પોતાની વગનો ઉપયોગ કરતા રહ્યા છે. E FOME) ::ૉં . ૮ ). SB રીત : નાના 750;૪૭r: ?' કરપS. tris પથ્થર અને લાકડામાં વ્યક્ત થતાં અદભુત લલિતકાવ્યો સમા સ્થાપત્યનું અને કલાદષ્ટિની જીવંત ઇમારતોનું ઐતિહાસિક ધામ અમદાવાદ કુમાર’ અમદાવાદના સૌજન્યથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy