SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ગુણવંત શાહને અમદાવાદ આવવાનો યોગ થયો. ગુજરાત સમાચારમાં કપિલરાય મહેતાના હાથ નીચે તેમનું ઘડતર થયું. ગુજરાત સમાચાર છોડીને કપિલરાય ‘સંદેશ’માં ગયા અને સાથે ગુણવંતભાઈને પણ લેતા ગયા. વાસુદેવ મહેતાના હાથ નીચે તૈયાર થયા. ‘સંદેશ’ના માલિકતંત્રી ચિમનભાઈએ રવિપૂર્તિ ચાલુ કરવાનું વિચાર્યું અને સંપૂર્ણ જવાબદારી ગુણવંતભાઈને સોંપાઈ. ‘સંદેશ’ નું સર્ક્યુલેશન ઘણું વધ્યું. એ દિવસોમાં ગુજરાત સમાચાર'નો કાર્યભાર શ્રેયાંસભાઈ શાહે સંભાળવાનું શરૂ કર્યું હતું. તેમણે ગુણવંતભાઈને પાછા ‘ગુજરાત સમાચાર’માં બોલાવી લીધા. બુધવાર, રવિવારની પૂર્તિઓ શરૂ કર્યા બાદ તેમણે ‘આસપાસ’ નામનું સાપ્તાહિક ચાલુ કર્યું. સિનેમા અને રાજકારણ વિષયો દાખલ કરીને તેમણે આ સામયિકને અતિ લોકપ્રિય બનાવી દીધું. એ દિવસોમાં ઓફસેટ પ્રિન્ટીંગમાં ‘આસપાસ' છાપવામાં આવતું. તેની કુલ નકલ ૧,૨૫,૦૦૦ (સવાલાખ) જેટલી થઈ ગઈ હતી. પત્રકારત્વમાં તંત્રીપદે પહોંચવાની એષણા દરેકના મનમાં હોયજ ને ? જનસત્તા'ના તંત્રી તરીકે ૧૯૮૪ના વર્ષના દિવસોમાં જોડાયા. ઇન્દિરા ગાંધીની હત્યાનું વર્ષ તેમના તંત્રીપદની કામગીરીનું બની રહ્યું. શ્રેયાંસભાઈએ ના પાડી હોવા છતાં તેઓ ગયા હતા. થોડા જ સમયમાં ‘ગુજરાત સમાચારે’ પાછા બોલાવી લીધા. ‘જનસત્તા’નું સર્ક્યુલેશન ૫૦,૦૦૦ સુધી તેમણે પહોંચાડેલું. ‘ગુજરાત સમાચાર'માં પાછા ફર્યા ત્યારે તેઓ ભૂતકાળમાં જે કામ સંભાળતા તે કામ અન્યને સોંપાઈ ચૂક્યું હતું. આથી ગુણવંતભાઈએ પોતાના માટે આગવું કામ શોધી લીધું અને તેમાંથી આજની અતિ લોકપ્રિય કૉલમ ‘નેટવર્ક’નો જન્મ થયો. ‘ગુજરાત સમાચાર’ની મુંબઈ આવૃત્તિમાં મેટરની ખેંચ રહેતી. તેથી ગુણવંતભાઈ તેમાં નેટવર્કના લેખો મોકલતા. જે કાયમી કૉલમ બની ગઈ. પછી અન્ય આવૃત્તિઓમાં પણ ચાલુ થયું. રાજકોટમાં તો જો ‘નેટવર્ક’ ન છપાયું હોય તો ફેરિયાઓ બંડલ ઉપાડે જ નહીં.–ને આમ, ‘નેટવર્ક'નું નેટવર્ક ફેલાઈ ગયું. એકડા પાછળ અધ ધ ધ.....મીંડા મૂકીને મથાળું બનાવતા ગુણવંતભાઈએ ગુજરાતી પત્રકારત્વમાં એક આગવું સ્થાન હાંસલ કર્યું છે. તેમના ‘નેટવર્ક'ના લેખોનો સંચય કરીને ચારેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. છગન-લીલીના જોક્સ'ના પણ બે પુસ્તકો Jain Education International પથપ્રદર્શક અને અટલબિહારી બાજપેયી અંગેનું એક પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે. ‘કુમાર’, ‘અખંડ આનંદ’ ‘શારદા’ અને ‘જન્મભૂમિપ્રવાસી'થી ચાલુ થયેલી તેમની લેખન યાત્રા અથાગ ચાલુ રહે તેવી શુભેચ્છા. સરનામું : ૯, આમ્રમંજરી બંગલોઝ, વસંતબહાર પાસે, ગાલા ક્લબ, બોપલ, અમદાવાદ. ફોન : ૫૫૪૧૯૫૦૭. સુરેન્દ્રનગરના ‘સમય'ને સાચવનાર ભાનુભાઈ શુકલ ૧૯૧૮ની ૧૮મી ઓગષ્ટના રોજ જન્મેલા ભા. શુ. નામથી એક એક ઝાલાવાડીમાં જાણીતા ભાનુભાઈ શુક્લ એટલે ગ્રામીણ પત્રકારત્વની જીવંત અર્ધશતાબ્દી. સુરેન્દ્રનગર જેવા પછાત જિલ્લામાંથી છેલ્લાં ૫૫ વર્ષથી ‘સમય' નામનું સમાચાર સાપ્તાહિક પ્રગટ કરવું અને ખોટ ખાધા વગર ચલાવવું એ સામાન્ય ઘટના નથી. ભાનુભાઈ શુક્લે પોતે ઇછ્યું હોત તો તેઓ ઘણું બઘું નવું બની શક્યા હોત જ. ‘સમય’ને ૧૮,૦૦૦ થી વધુ નકલ સુધી પહોંચાડવામાં અને મોટાં શહેરોમાંથી નાનાં શહેરો પર ઠલવાતાં રહેતાં દૈનિકોની સામે ભાનુભાઈએ ‘સમય’ની વાટને સંકોરીને તેને દિનપ્રતિદિન મજબૂત સાપ્તાહિક બનાવ્યું છે. ૧૯૪૪માં ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. થયા. ખુમારી એટલી કે મિલમાલિકે સ્વમાનને ઠેસ પહોંચે એવું વર્તન કર્યું કે તરત ભરૂચ છોડી અમદાવાદ. ચંદ્રશંકર શુક્લ ‘ભારતી’ સામયિક કાઢતા. ભાનુભાઈ તેમની સાથે જોડાઈ ગયા. પછી તો જિલ્લાપંચાયતના અધિકારી, જિલ્લા સ્કૂલ બોર્ડના ચેરમેન, વાહનવ્યવહાર કો-ઓપરેટિવ સોસાયટીના ચેરમેન, વઢવાણ કેળવણી મંડળના મંત્રી....વગેરે બન્યા. ૧૯૫૦માં ‘સમય’નું સંચાલન હાથમાં લીધું જે આજ દિન સુધી અવિરત ચાલુ છે. કાઠિયાવાડ રાજકીય પરિષદપત્રિકા, વિરમગામ સ્કૂલમાં હસ્તલિખિત ભીંતપત્ર, શામળદાસ કૉલેજમાં હોસ્ટેલ બુલેટિન-આમ પત્રકારત્વનાં બીજ તો ખૂબ નાનપણથી જ રોપાયેલાં હતાં. પત્રકારત્વની સાથોસાથ તેઓ એટલાં જ સુંદર કાવ્યો રચે છે અને ચિત્રો પણ સર્જે છે. અમેરિકાસ્થિત તમામ સંતાનો ભાનુભાઈને ત્યાં બોલાવવા આગ્રહ કરે છે પણ ૮૭ વર્ષે અડીખમ ભાનુભાઈ ‘સમય’ને સમયસર બહાર પાડયે જ જાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy