SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પોતાની પારેખ' અટક અંગે સૌને સંતોષ થાય એવો જવાબ આપે છે. તેમણે ૩૦ થી પણ વધુ વર્ષોથી બુદ્ધિપ્રકાશ'નું સંપાદન કરી રહ્યા છે. રતિલાલ બોરીસાગર (હાસ્યલેખક-કૉલમીસ્ટ) સૂક્ષ્મ હાસ્યના ક્ષેત્રમાં પોતાનું સ્થાન નક્કર કરનાર અને ગુજરાતી પ્રજાને પોતાના અનુભવોથી હસાવી શકનારા શ્રી રતિલાલ બોરીસાગર (Ph.D.) ને જ્યોતીન્દ્ર શૈલીના હાસ્યલેખક ગણવામાં–માનવામાં આવે છે. તેમનો જન્મ તા. ૩૧-૮-૧૯૩૮ના રોજ સાવરકુંડલામાં થયો. એમ.એ., બી.એડ., પી.એચ.ડી. નું શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકથી માંડીને કલાસ વન ઓફિસર-સુધીની કામગીરી દરમ્યાન તેમની હાસ્યલેખન યાત્રા સતત ચાલી છે. “નવનીતસમર્પણ'નાં માધ્યમથી અને સામયિકો, દૈનિકોનાં માધ્યમથી તેઓ વાચકો સુધી પહોંચ્યા છે પણ તેથી યે વધુ સિદ્ધિ એ છે કે તેઓ સાહિત્યજગતમાં પણ સર્વમિત્ર બની રહ્યા છે. બે હાસ્યસંગ્રહો, ત્યારબાદ પોતાની એજીઓગ્રાફીને લગતું પુસ્તક અને કવિતા સિવાયના સાહિત્યના તમામ પ્રકારો તેમણે અજમાવ્યા છે તેવું કહેતાં શ્રી બોરીસાગરની સૌ પ્રથમ કૃતિ “મહિલાજગત’ સામયિકમાં પ્રકાશિત થઈ હતી. તેમનાં બંને પુસ્તકો “મરકમરક અને “આનંદલોક'ને અનુક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષિક અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક એનાયત થયાં છે. ડૉ. હસુ યાજ્ઞિક (સંપાદક “શબ્દસૃષ્ટિ'). મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય’ પર મહાશોધ નિબંધ લખનાર હસુ યાજ્ઞિકને ગુજરાતી અખબારોના માધ્યમથી ગુજરાતી પ્રજા સસ્પેન્સ કૃતિઓના લેખક અને કૉલમીસ્ટ તરીકે પણ ઓળખે છે. ગુજરાતી દૈનિકોમાંના નિયમિત લેખન અને ખુદના સ્વાધ્યાયના પરિણામે તેમના ૩૭ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. “દીવાલ પાછળની દુનિયા' નવલકથાને સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું. નવલકથા, ટૂંકીવાર્તા, સત્યઘટના, કથાસાહિત્યનું વિવેચન એવા સાહિત્યપ્રકારો તેમણે અજમાવ્યા છે. તેમના જ શબ્દોમાં “વ્યવસાય નિમિત્તે “શબ્દસૃષ્ટિ'નું સંપાદન સંભાળું છું.” વાયોલિનવાદનમાં સંગીતવિશારદ થયેલ ડૉ. હસુ યાજ્ઞિકને શ્રી રાધેશ્યામ શર્મા “પંચાવધ્યાની' તરીકે નવાજે છે. દિલીપ રાણપુરા ૧૪-૧૧-૧૯૩૧ના રોજ ધંધુકામાં જન્મેલા દિલીપભાઈ હવે આપણી વચ્ચે નથી પણ પત્રકારત્વમાં સત્યઘટનાને કેન્દ્રમાં રાખી જનજનની વાત માંડનાર પત્રકાર-કૉલમીસ્ટ ખેપિયા તરીકે સૌ તેમને આદરપૂર્વક યાદ કરે છે. જેટલા તેઓ નવલિકાકાર, નવલકથાકાર તરીકે જાણીતા છે એટલા ગ્રામીણ પત્રકાર તરીકે. માત્ર પ્રાથમિક શાળાનું શિક્ષણ ગાંઠે બાંધીને પત્રકારત્વનું ખેડાણ કરનાર દિલીપભાઈએ નાનાં મોટાં, જાણીતાં–અજાણ્યાં અનેક અખબારો-સામયિકોમાં લેખનકાર્ય કર્યું છે. શિક્ષક, તોલાટ, કંપોઝીટર જેવા વિવિધ વ્યવસાયો વચ્ચે તેમણે સાહિત્ય સર્જન કર્યું છે. “મીરાંની રહી મહેક' તે તેમના દાંપત્યજીવનને લોકો સમક્ષ લાવી મૂકે છે. આ વાંચીને લેખક-તંત્રી ભૂપત વડોદરિયાએ લખ્યું હતું કે, “સવિતા રાણપુરા (‘સ્ત્રીજીવન'ના તંત્રી મનુભાઈ જોધાણીના ભત્રીજી) એ વાર્તા જીવ્યાં, પણ પોતે લખી નહીં–એ તેમણે પતિના માથે નાંખ્યું–તેમને ઊંડે ઊંડે એવી પાકી શ્રદ્ધા હશે કે, પોતાની એ કથા પતિની યશકલગી બની રહેશે. ખરેખર એમ જ બન્યું છે.' તેમને અનેક એવોઝ મળ્યા છે અને ૬૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તેમના જ શબ્દોમાં તેમની વિષયપસંદગી અંગે જાણીએ તો, “માણસનાં સુખ દુઃખને વ્યક્ત કરવાં, ખાસ કરીને સામાન્ય માણસોની પીડા અને તેના સંઘર્ષની કથાઓમાં રસ પડે. (પૈસા માટે જુદા પ્રકારનું લખું ખરો.) તેઓ સાચા અર્થમાં લોકહૃદયના સિંહાસન પર જ બિરાજમાન રહ્યા અને સામાન્ય માણસોના હામી બની રહ્યા. તારક મહેતા (હાસ્યલેખક-કોલમીસ્ટ) | ગુજરાતી પત્રકારત્વમાં હાસ્યલેખનના ક્ષેત્રે ટપુડો’ પાત્ર સર્જીને એક સામયિક ‘ચિત્રલેખા' ને ઘરઘરમાં અનિવાર્ય બનાવનાર લેખક શ્રી તારક મહેતાને સૌ કોઈ જાણે છે. ૨૬૧૨-૨૯ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ. કામ શોધવા માટે મુંબઈ ગયા ને ત્યાંના જ થઈને રહી ગયા. ગુજરાતી સાથે એમ.એ. થયા એ સમય દરમ્યાન જ મુક્તલેખન શરૂ કર્યું. તેમના મતે “કુમાર” શ્રેષ્ઠ સામયિક હતું. શરૂશરૂમાં તેમણે કવિતા લખવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ એમનાં અનેક પુસ્તકોને નવાજ્યાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy