SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ o૫૦ દક્ષિણા (ત્રમાસિક) નું સંપાદન કરનાર સત્યશોધક, પ્રકૃતિવત્સલ અને ઉમાશંકરની લગોલગના કવિશ્રી સુન્દરમને સૌ કોઈ “મેન ઑફ શેકહેવ્ઝ' તરીકે જાણે છે. સુન્દરમનો જન્મ ૨૨-૩-૧૯૦૮ના રોજ માતર (મિયા) ભરૂચ મુકામે થયો. ગૂજરાત વિદ્યાપીઠમાં ભાષાવિશારદનું શિક્ષણ લીધું અને જ્યોતિસંઘમાં કાર્યકર્તા-શિક્ષક તરીકે જોડાયા. ચેતનાની અતિઉર્જાવાન પળે તેઓ પોંડિચેરી જઈને વસ્યા. “ચાહી ચાહીને અસુંદરને ય સુંદર' ની અનુભૂતિ કરાવનાર, કવિશ્રી સુન્દરમને સુન્દરમ્ ઉપનામ “સ્નેહરશ્મિ' એ (ઝીણાભાઈ) આપ્યું હતું. ભોળાભાઈ પટેલ (સંપાદક) સંદેશ' દૈનિકમાં લેખન અને “પરબ'ના સંપાદન સાથે જોડાયેલ-જોડાઈ રહેલા શ્રી ભોળાભાઈને ગુજરાતીઓ અને ગુજરાતીભાષાભાષીઓ સારામાં સારી રીતે જાણે છે. પ્રવાસવર્ણનોથી ગુજરાતી વાંચનારાઓને ઠેકઠેકાણે લઈ જનાર ભોળાભાઈનો જન્મ તા. ૭-૮-૧૯૩૪ના રોજ સોજા-જિ. મહેસાણા ખાતે થયો. એમ.એ. (હિન્દી), એમ.એ. (અંગ્રેજી) પી.એચ.ડી.ના અધ્યયનના દિવસો દરમ્યાન જ સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે તેઓ પોતાની આગવી જગ્યા બનાવી ચૂક્યા હતા. બહુભાષા-ભાષી શ્રી ભોળાભાઈ ગુજરાતી, હિન્દી, બંગાળી, અસમિયા, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાથી પરિચિત છે અને પરસ્પર સાહિત્ય આસ્વાદનું કાર્ય પણ અવારનવાર તમામ ભાષાભાષીઓને કરાવે છે. તેમના અનુવાદો સહિત અંદાજે ૩૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. કૃષ્ણવીર દીક્ષિત “જન્મભૂમિ'માં સમાચાર સંપાદક અને સાહિત્યવિભાગ કલમ અને કિતાબ'ના સંપાદક તરીકે એકધારું કામ કરનાર કૃષ્ણવીર દીક્ષિત પત્રકારત્વ અને સાહિત્યજગતમાં ક. દી. નામથી જાણીતા ગણાય છે. પત્રકારત્વના વ્યવસાયમાંથી થોડા સમય અગાઉ જ નિવૃત્તિ લીધેલા કૃષ્ણવીર દીક્ષિતનો જન્મ તા. ૧૨૭-૧૯૧૫ના રોજ સુરતમાં થયો હતો. રોજિંદું લેખન તથા કલમ અને કિતાબ' એ સાહિત્ય વિભાગનું સંપાદન કરતાં કરતાં તેમનાં પુસ્તકોની સંખ્યા, ૧૦ થી પણ વધારેની થઈ ચૂકી છે. તેમણે નિબંધ, ગ્રંથાવલોકન, સાહિત્યિક-સાંસ્કૃતિક સમારંભોના વૃત્તાંત-નિવેદન, વ્યાખ્યાનમાળાઓનું વૃત્તાંત નિવેદન જેવા લેખનપ્રકારોમાં નોંધપાત્ર, ગણનાપાત્ર કામ કર્યું છે. બાળકો પથપ્રદર્શક માટેના પાક્ષિક ‘ગાંડીવ'માં તેમની ર૦ વર્ષની ઉંમરે પ્રથમ બાળવાર્તા છપાઈ એ વાતને તેઓ આનંદની ઘટના તરીકે નોંધે છે પણ એ પછી તેમણે મૌલિક સર્જન આપ્યું નથી એનો ખેદ છે. પરંતુ અનેક કૃતિઓનો પરિચય કરાવનાર તરીકેની તેમની કામગીરીની સાહિત્ય તેમજ પત્રકારત્વ જગત બેવડી નોંધ લે છે એ સૌથી મોટો ચંદ્રક કહી શકાય. - નસીર ઇસ્માઈલી (પ્રખ્યાત સંવેદનશીલ લેખક) સંવેદનાના સૂર' નામની કૉલમથી ગુજરાતમાં અને ગુજરાતીઓમાં જાણીતા અને માનીતા થયેલા નસીર ઇસ્માઈલીનો જન્મ ૧૨-૮-૪૬ના રોજ હિંમતનગર ખાતે થયો. એમ.કોમ., એલ.એલ.બી.નો અભ્યાસ અને વ્યવસાયે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસરની નોકરી. સાહિત્યના ક્ષેત્રમાં રહીને અલ્પસર્જન કરનારથી વિરુદ્ધ સાહિત્યના ક્ષેત્રથી દૂર રહીને વિપુલ સાહિત્ય સર્જન કરનાર નસીરભાઈએ “સંવેદનાના સૂર’ કૉલમ મારફતે યુવા વાચકો સુધી પહોંચીને તેમની સમસ્યાઓને વાચા આપી છે. “વાત તમારી' નામથી તેમણે તેમની સૌ પ્રથમ કોલમ ચાલુ કરી. જે નૂતન ગુજરાતમાં થઈને ‘જનસત્તા'માં પણ છપાઈ અને હવે ‘ગુજરાત સમાચાર'માં પણ છપાઈ રહી છે. વાચકો તરફથી મળેલા પ્રશંસાના પુરસ્કાર ઉપરાંત તેમને તેમના વાર્તાસંગ્રહ ‘આમાં ક્યાંક તમે છો ને?' ને ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું હતું. ડૉ. મધુસૂદન પારેખ (પ્રિયદર્શી) (કોલમીસ્ટ હું શાણી.....ને શકરાભાઈ). ગુજરાત સમાચાર'ના રવિવારની પૂર્તિમાંની “હું શાણી ને.......કોલમ મારફતે મોટાભાગનાં ગુજરાતીઓના ઘરમાં જાણીતા બનેલા હાસ્યલેખક-કૉલમીસ્ટ શ્રી મધુસૂદન પારેખને લગભગ પ્રત્યેક મધ્યમવર્ગીય ગુજરાતી કુટુંબ પોતાના ગણીને પસંદ કરે છે. ‘પ્રિયદર્શી' ઉપનામથી તેઓએ આટલાં વર્ષોથી લેખનકાર્ય કર્યું છે. ‘ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળોએ વિષય પર તેમણે પી.એચ.ડી. કર્યું. કુમાર' પારિતોષિક, જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તેમજ ગુજરાત સરકાર તરફથી પાંચેક પુરસ્કાર તેમને મળી ચૂક્યા છે. તેમનાં મૌલિક સર્જનો ૨૫ થી વધુ છે. તેમાં હાસ્યકથા, નિબંધિકા, કટાક્ષકથા અને વિવેચન છે. તેમણે એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું છે. ૧૪ જુલાઈ ૧૯૨૩ના રોજ અમદાવાદમાં જન્મેલા મધુસૂદનભાઈ પારેખ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy